માનહાનિ કેસમાં પૂર્વ પત્ની પાસેથી મળેલા 8 કરોડ 21 લાખ અભિનેતાએ દાન કરી દીધા

જોની ડેપ અને તેની પૂર્વ પત્ની  એંબર હર્ડ વચ્ચે લાંબી કાનૂની લડાઈ ચાલી હતી. માનહાનિના કેસમાં અંતિમ ચુકાદો જોનીની તરફેણમાં સંભળાવવામાં આવ્યો હતો. એંબરે જોનીને વળતર તરીકે કરોડો રૂપિયા આપ્યા, જે અભિનેતાએ ચેરિટીમાં દાન કરી દીધા છે.

‘પાઇરેટસ ઓફ કેરેબિયન’ ફિલ્મથી જાણીતા હોલિવુડ અભિનેતા જોની ડેપ ફરી એકવાર ચર્ચામાં છે અને તેનું કારણ તેમની પૂર્વ પત્ની એંબર હર્ડ છે. જો કે તમે જે વિચારી રહ્યા છો તેવું કશું નથી, આ વખતે કોઇ કાનૂની લડાઇને કારણે ચર્ચા નથી, પરંતુ માનહાનિના કેસ જીત્યા પછી જોની ડેપને પૂર્વ પત્ની એંબર હર્ડ પાસેથી જે રકમ મળી છે તે બધી આ  અભિનેતાએ દાન કરી દીધી છે. જોની ડેપે બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે 8 કરોડ 21 લાખ રૂપિયાની રકમ દાન કરી દીધી છે.

CNNના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જોની ડેપે સેટલમેન્ટ ફંડ દાન કરવા માટે 5 ચેરિટીની પસંદગી કરી છે. જેમાં મેક-એ ફિલ્મ ફાઉન્ડેશન, ધ પેંટેડ ટર્ટલ, રેડ ફેધર, માર્લન બ્રેન્ડોની ટેટિયારોઆ સોસાયટી ચેરિટી અને અમેજોનિયા ફંડ અલાયન્સ સામેલ છે.  જોની ડેપે દરેક સંસ્થાને 200,000 ડોલર રકમ દાન કરવાની યોજના બનાવી છે.

જોની ડેપ અને  એંબર હાર્ડે વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ વર્ષ 2015માં લોસએન્જેલસના ઘરમાં સીક્રેટ લગ્ન કરી લીધા હતા. પરંતુ તેમનું લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહીં. એંબર બર્ડે 23 મે 2016ના દિવસે જોની સાથે છુટાછેડાની અરજી કરી હતી. એંબરે અરજીમાં કહ્યું હતું કે, જોનીએ તેણીનું શારિરિક શોષણ કર્યું  હતું, એ પણ જ્યારે જોની ડ્રગ્સ કે દારૂના નશામાં રહેતા હતા ત્યારે.

વોશિંગ્ટન પોસ્ટના ઓપ-એડ પછી જ્હોનીએ માર્ચ 2019માં એંબર સામે 50 મિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો જેમાં એંબરે ઘરેલુ હિંસાનો ભોગ બનવા વિશે લખ્યું હતું. લેખમાં જોનીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જો કે, વાત ત્યારે સામે આવી જ્યારે તેમના છૂટાછેડાના કેસની ભારે ચર્ચા શરૂ થઇ. બંને વચ્ચે લાંબી કાનૂની લડાઈ ચાલી અને અંતે જોની ડેપ કેસ જીતી છે.

હોલિવુડના અભેનિતા જોન ડેપના આ પગલાંની ચારેકોર ભારે પ્રસંશા થઇ રહી છે, 8 કરોડ રૂપિયા જેટલી મસમોટી રકમ દાન કરી દેવી એ બધાની તાકાત હોતી નથી.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.