કરણ જોહર અનુષ્કા શર્માની કરિયર બરબાદ કરવા માગતો હતો, પોતે ખુલાસો કરી માફી માગી

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ યશ રાજની ફિલ્મ 'રબ ને બના દી જોડી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ પછી અનુષ્કાએ 'બેન્ડ બાજા બારાત'માં કામ કર્યું અને આ ફિલ્મમાં પણ અભિનેત્રીની એક્ટિંગની પ્રશંસા થઈ. પરંતુ શું તમે જાણો છો કે કરણ જોહરે 'રબ ને બના દી જોડી'ના નિર્દેશક આદિત્ય ચોપરાને અનુષ્કાને ફિલ્મમાં કાસ્ટ ન કરવા કહ્યું હતું. કરણ જોહરે પોતે ખુલાસો કર્યો છે કે, તે અનુષ્કા શર્માની કરિયર બરબાદ કરવા માંગતો હતો.

કરણ જોહરનો જૂનો ઈન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતે કહી રહ્યો છે કે, તે અનુષ્કાના કરિયરને બરબાદ કરવા માંગતો હતો, ત્યાર પછી કરણે અનુષ્કાની માફી પણ માંગી હતી.

વીડિયોમાં કરણ જોહર કહી રહ્યો છે કે, 'હું અનુષ્કા શર્માના કરિયરનું ખૂન કરવા માંગતો હતો... કારણ કે જ્યારે આદિત્ય ચોપરાએ મને આ તસવીર બતાવી ત્યારે મેં કહ્યું, ના… ના… તું આને સાઈન કરી રહ્યો છે, તારે તેને (અનુષ્કા) સાઈન કરવાની જરૂર નથી, મારી પાસે બીજી એક મુખ્ય અભિનેત્રી હતી જેને હું ઈચ્છતો હતો કે આદિત્ય તેને સાઈન કરે.'

કરણ જોહરે વધુમાં ઉમેર્યું, 'જ્યારે મેં 'બેન્ડ બાજા બારાત' જોઈ, ત્યારે મેં અનુષ્કાને આ બતાવ્યું હતું અને માફી માંગી હતી. માફી એટલે માંગી હતી, કારણ કે મને એટલી શરમ આવી હતી કે હું ખરેખર એક મહાન અભિનેત્રીની કારકિર્દીનો ગ્રાફ બગાડવાની કોશિશ કરી રહ્યો હતો.'

આ વીડિયો વર્ષ 2016નો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે અને અપૂર્વ અસરાનીએ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઘણા લોકોએ કરણ જોહરની ટીકા કરીને ટિપ્પણી કરી છે કે, તે હંમેશા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની બહારના લોકોને હાંકી કાઢવા માંગે છે. લોકો અનુષ્કાના વખાણ કરી રહ્યા છે કે, તેણે હસતાં હસતાં આ પરિસ્થિતિને સંભાળી હતી.

આ વીડિયો શેર કરતા વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, 'કરિયર બનાવવી અને તેનો અંત કરવો એ દરેકનો શોખ છે. જો બોલિવૂડ ગટરમાં છે, તો તેનું કારણ બહારથી આવેલા સક્ષમ લોકો સામે કેટલાક લોકોની ગંદી રાજનીતિ છે.' વીડિયોમાં અનુષ્કા શર્મા કરણ જોહરના નિવેદન પર હસતી જોઈ શકાય છે, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ફિલ્મ નિર્માતાના નિવેદન પર ખૂબ જ ગંભીર પ્રતિક્રિયા આપી છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.