KBCમાં અશ્વિન સાથે જોડાયેલો 25 લાખ રૂપિયાનો આ સવાલ પૂછાયો, શું તમે જાણો છો?

ટી.વી. જગતનો સૌથી લોકપ્રિય ક્વિઝ શૉ ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની નવી સીઝન શરૂ થઈ ચૂકી છે. આ સીઝનમાં પ્રતિભાગીઓને ક્રિકેટ સાથે જોડાયેલા ઘણા સવાલ પૂછવામાં આવી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ કૌન બનેગા કરોડપતિમાં ભારતીય દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સાથે જોડાયેલો 25 લાખ રૂપિયાનો એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો જવાબ દરેક ક્રિકેટ ફેનને સારી રીતે ખબર હતી.

‘કૌન બનેગ કરોડપતિ’ શૉના હોસ્ટ અમિતાભ બચ્ચને કન્ટેસ્ટટેન્ટને સવાલ પૂછ્યો કે એ કયો એકમાત્ર ભારતીય ક્રિકેટર છે, જેણે પિતા અને દીકરા બંનેની વિકેટ લીધી છે? આ સવાલના ઓપ્શન હતા (A). રવીન્દ્ર જાડેજા (B). રવિચંદ્રન અશ્વિન, (C). ઈશાંત શર્મા, અને (D). મોહમ્મદ શમી. તમને જણાવી દઈએ કે આ સવાલનો સાચો જવાન B વિકલ્પ છે એટલે કે રવિચંદ્રન અશ્વિન. જમણા હાથના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને હાલમાં જ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર રમાયેલી ટેસ્ટ મેચમાં તેજનારાયણ ચંદ્રપોલને આઉટ કરીને આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

રવિચંદ્રન અશ્વિને આ અગાઉ વર્ષ 2011માં તેજનારાયણના પિતા શિવનારાયણ ચંદ્રપોલની વિકેટ પણ લીધી હતી. રવિચંદ્રન અશ્વિને પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 5 વખત તેની વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિન પિતા-પુત્રને આઉટ કરનારો પહેલો ભારતીય અને દુનિયાનો પાંચમો ખેલાડી બન્યો હતો. આ અગાઉ આ કારનામું નસિમ અકરમ, મિચેલ સ્ટાર્ક, સાઇમ હાર્મર અને ઇયાન બોથમે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આ જ શૉના એક એપિસોડમાં યુવા બેટ્સમેન રિન્કુ સિંહ સાથે જોડાયેલો એક સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો બૉલીવુડ એક્ટ્રેસ સૈયામી ખેરે એકદમ સાચો જવાબ આપ્યો હતો.

રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રમાયેલી 2 મેચોની ટેસ્ટ ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઇનિંગમાં કુલ 15 વિકેટ લીધી હતી અને બેટિંગ દરમિયાન એક મહત્ત્વની અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમે સીરિઝ 1-0થી પોતાના નામે કરી લીધી હતી. રવિચંદ્રન અશ્વિન હાલના દિવસોમાં ક્રિકેટ એક્શનથી દૂર છે કેમ કે લિમિટેડ ઓવરોના ફોર્મેટમાં તેને હવે એટલા વધારે ચાંસ મળી રહ્યા નથી. તેને આ મહિનાના અંતમાં શરૂ થતા એશિયા કપની ટીમમાં પણ જગ્યા આપવામાં આવી નથી. હવે જોવાનું એ રહેશે કે વન-ડે વર્લ્ડ કપ અગાઉ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી સીરિઝ અને વન-ડે વર્લ્ડ કપમાં તેને જગ્યા મળે છે કે નહીં.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.