શિલ્પા શેટ્ટી અને મલાઈકા અરોરાને પોતાના પ્રેરણાસ્ત્રોત કહેતા ફસાઈ રશ્મિ દેસાઈ

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં કોઈકને કોઈક ટ્રેન્ડ ચાલતો જ રહે છે. આ ટ્રેન્ડમાં માત્ર સામાન્ય માણસો જ નહી પરંતુ સેલિબ્રિટીઓ પણ ઉત્સાહભેર ભાગ લેતા જોવા મળે છે. હવે અત્યારે જ આવું રશ્મિ દેસાઈએ કર્યું હતું. આ અભિનેત્રીએ ટ્રેન્ડને ફોલો કરતા એક એવી રીલ બનાવી દીધી હતી, જેના કારણે તેને વારંવાર ટ્રોલ કરવામાં આવી રહી છે. હકીકતમાં હાલમાં જ રશ્મિ દેસાઈએ તેના વર્કઆઉટનો એક વીડિયો શેયર કર્યો હતો, જેને જોયા બાદ લોકોએ પોતાના મિક્સડ રિએક્શન આપવાનું શરૂ કર્યું હતું. એક તરફ જ્યાં રશ્મિ દેસાઈના ચાહકો તેના આ વીડિયોના ઉત્સાહભેર વખાણ કરી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક લોકો રશ્મિને ભયંકર રીતે ટ્રોલ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Rashami Desai (@imrashamidesai)

આ વીડિયોને જોયા બાદ રશ્મિને ટ્રોલ કરવાવાળા તેને જાડી કહી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, શું ફાયદો થાય છે આવી ફિટનેસની રીલ બનાવવનો જ્યારે તમે પોતે જ ફિટનેસને લઈને ગંભીર નથી હોતા. તમે તો માત્ર વજન ઘટાડવામાં જ લાગ્યા હોવ છો. ત્યાં જ બીજા એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, જેનાથી તમને પ્રેરણા મળે છે તેને જોઈને જ પાતળા થઇ જાવ. તમને જણાવી દઇએ કે રશ્મિ દેસાઈ પણ બીજા બધાની જેમ જ મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટીના ફિટનેસની દીવાની છે.

ઘણીવાર રશ્મિ દેસાઈએ આ વાતનો ખુલાસો કર્યો છે કે મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટીના ફિટનેસથી તેને પ્રેરણા મળે છે. એટલું જ નહી પણ રશ્મિએ તેના વર્કઆઉટનો વીડિયો શેયર કરી મલાઈકા અને શિલ્પાને ટેગ કરી તેમને પોતાના પ્રેરણાસ્ત્રોત પણ બતાવ્યા હતા. રશ્મિ દેસાઈએ વિડિયોને શેયર કરતા કેપશનમાં લખ્યું હતું કે મલાઈકા અને શિલ્પાના ફિટનેસથી તેને પ્રેરણા મળે છે. આ કંઈ પહેલીવાર નથી કે જ્યારે રશ્મિ દેસાઈને તેના વજનના કારણે ટ્રોલ થવું પડ્યું હતું.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.