તારક મહેતા શો જેટલો પ્રખ્યાત એટલો જ વિવાદિત રહ્યો...અનેક આરોપો પર અસીત મોદીએ આપ્યો જવાબ

TVનું પ્રખ્યાત સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) 17 વર્ષથી ચાહકોમાં હિટ રહ્યું છે. કેટલા વર્ષોથી, આ શો સતત TRP યાદીમાં ટોચ પર રહ્યો છે. ઘણા કલાકારોએ આ શો છોડી દીધો હતો જ્યારે ઘણાએ નિર્માતાઓ પર માનસિક સતામણીનો આરોપ પણ લગાવ્યો હતો. આ શોને લોકોનો જેટલો પ્રેમ મળ્યો, તેટલો જ તે વિવાદોથી પણ ઘેરાયેલો રહ્યો.

TMKOC
tv9hindi.com

શોના નિર્માતા અસિત કુમાર મોદીએ આ અંગે વાત કરી. શો છોડી ગયેલા કલાકારોએ અસિત પર પૈસા ન ચૂકવવાથી લઈને માનસિક ત્રાસ આપવા સુધીના તમામ આરોપો લગાવ્યા. આમાંથી કેટલાક કેસ તો કોર્ટમાં પણ ખેંચવામાં આવ્યા. મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં શોના નિર્માતા અસિતે કહ્યું કે, જ્યારે લોકો તેને બદનામ કરે છે ત્યારે તેને ખરાબ લાગે છે. તેઓ આવા આરોપોથી તે ખૂબ જ પરેશાન થાય છે.

TMKOC
indiatv.in

શોના નિર્માતા અસિતે કહ્યું, મેં ક્યારેય મારી જાતને કલાકારોથી અલગ કરી નથી. જો કોઈ સમસ્યા હોય, તો તેઓ હંમેશા મારો સંપર્ક કરી શકે છે. હું હંમેશા ખૂબ જ પ્રામાણિક રહ્યો છું અને શોને પ્રાથમિકતા આપું છું. મેં ક્યારેય કોઈ અંગત લાભ વિશે વિચાર્યું નથી, તેથી આવી ઘટનાઓને લઈને હું પરેશાન થઇ જાઉં છું, પરંતુ હું સ્વીકારું છું કે, આ જીવનનો એક ભાગ છે.

TMKOC
timesnownews-com.translate.goog

અસિતે આગળ કહ્યું, 'જે કલાકારો શો છોડીને ગયા છે, તેઓ મારી વિરુદ્ધ વાત કરી રહ્યા છે. કોઈ વાંધો નથી. હું તેમને કંઈ કહીશ નહીં. તેમણે મારા શોમાં કામ કર્યું છે અને TMKOCની સફળતામાં તેમની પણ ભૂમિકા છે. ભલે મેં તેનું નેતૃત્વ કર્યું હોય, પણ બધાના પ્રયત્નોને કારણે આ શો પ્રખ્યાત થયો. હું આજે શોને જે કંઈ બનાવી શક્યો છું, તે હું એકલો બનાવો શકતો ન હતો. અમે એક ટ્રેન જેવા છીએ. કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી જાય છે, પરંતુ ટ્રેન આગળ ચાલતી રહેશે. મને ખરાબ લાગે છે, પણ હું તેમને માફ કરું છું, કારણ કે જો હું મારા દિલમાં કોઈ ફરિયાદ રાખુ છું, તો હું ખુશ નહીં રહીશ અને લોકોને હસાવી શકીશ નહીં.'

TMKOC
abplive.com

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સફળતા વિશે વાત કરતા, અસિત કુમાર મોદીએ કહ્યું, 'જ્યારે કોઈ શો લોકપ્રિય બને છે, ત્યારે તે એક ટીમ પ્રયાસ હોય છે. તેઓ બધા ખૂબ જ સખત મહેનત કરે છે. હું ખાતરી કરવાની કોશિશ કરું છું કે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. હું તેમને એક રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું, અને જો તેઓ તેમના કામમાં પ્રામાણિક હોય, તો મોટાભાગે સમસ્યાઓ ઊભી થતી નથી.'

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.