આ અફઘાન સુંદરી છે શિવ ભક્ત, મુસ્લિમ નામમાં 'શંકર' ઉમેર્યું અને ભારતીય છોકરા સાથે કરવા છે લગ્ન

ડેટિંગ રિયાલિટી શો 'સ્પ્લિટ્સવિલા 16' શરૂ થઈ ગયો છે. દેશભરમાંથી ઘણા છોકરાઓ અને છોકરીઓ પ્રેમની શોધમાં આ શોમાં જોડાયા છે. પરંતુ અફઘાનિસ્તાનથી આવેલી બ્યુટી ક્વીન સદફ શંકર હેડલાઇન્સમાં છવાઈ ગઈ છે. કારણ ખૂબ જ રસપ્રદ છે; તો ચાલો આપણે જાણી લઈએ...

Sadhaaf-Shankar2
hindi.news18.com

સદફ અફઘાનિસ્તાનની રહેવાસી છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી ભારતમાં રહે છે. સદફ એક ભારતીય છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. તેણે 'સ્પ્લિટ્સવિલા 16' શોમાં પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો.

સદફ, જે અફઘાનિસ્તાનથી આવેલી છે અને તે મુસ્લિમ છે. પરંતુ તે તેના નામની પાછળ 'શંકર' અટકનો ઉપયોગ કરે છે. આના કારણે શોના હોસ્ટ કરણ કુન્દ્રા ખૂબ મૂંઝવણમાં મુકાઈ ગયા.

Sadhaaf-Shankar3
hindi.news18.com

કરણે સદફને પૂછ્યું કે, તેના નામ પાછળનું રહસ્ય શું છે. તેને શંકર અટક કેવી રીતે મળી? સદફે બતાવ્યું કે તે શિવની બહુ મોટી ભક્ત છે અને ભગવાન શિવમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. તેથી જ તેણે તેના નામની પાછળ શંકર ઉમેર્યું છે.

કરણ કુન્દ્રા સહિત ત્યાં હાજર બધા લોકો સદફની આ વાત સાંભળીને દંગ રહી ગયા. બધાએ સદફની પ્રશંસા કરી.

https://www.instagram.com/p/DPoqbQejBpi/

મુસ્લિમ હોવા છતાં પણ, સદફ શંકર પૂજા પાઠ કરે છે અને ઉપવાસ પણ રાખે છે. તેણે પોતે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

Sadhaaf-Shankar4
hindi.news18.com

સદફ શંકર દિલથી એકદમ દેશી જેવી છે. તે પોતાને ભારતીય માને છે. તે કહે છે કે તે ભારતને પ્રેમ કરે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં, સદફ ખૂબ જ ગ્લેમરસ છે. બિકીની અને ટૂંકા ડ્રેસમાં તેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

સદફ સ્ટાઇલ અને સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે. તે ખૂબ જ આત્મવિશ્વાસુ અને બોલ્ડ છે. સદફનું સ્પષ્ટ બોલવાનું લોકોના દિલ જીતી રહ્યું છે.

સદફ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેની મજબૂત ફેન ફોલોઇંગ છે. 'સ્પ્લિટ્સવિલા 16'માં દેખાયા પછી તેની લોકપ્રિયતામાં ખુબ વધારો થયો છે. સદફ શો જીતશે કે નહીં તે તો આપણે હમણાં નહીં બતાવી શકીએ. પરંતુ તેણે પહેલા જ એપિસોડથી જ લોકોના દિલ જીતવાનું શરુ કરી દીધું છે.

Sadhaaf-Shankar1
indiatv.in

સદફ શંકર ઇન્સ્ટાગ્રામ પર @sadhaafshankar હેન્ડલ હેઠળ સક્રિય છે, જ્યાં તેના 162,000થી વધુ ફોલોઅર્સ છે. તેના બાયોમાં, તે લખે છે, 'હું પ્રખ્યાત છું, દુનિયાને હજુ સુધી તે ખબર નથી.' મૂળ અફઘાનિસ્તાનની, સદફ એક મોડેલ છે અને ભગવાન શિવની ભક્ત છે. તેના ફેસબુક પ્રોફાઇલ મુજબ, તેણે તાજેતરમાં જ તેની વ્યાવસાયિક મોડેલિંગ કારકિર્દી શરૂ કરી હતી.

સદફ શંકર તેની પોસ્ટમાં લખે છે, 'પ્રિય શિવ, હું તમારા માટે આ ઉપવાસ કરી રહી છું. મજબૂરીથી નહીં, પરંતુ મારી પોતાની સ્વતંત્ર ઇચ્છાથી, કારણ કે મારી અંદર ક્યાંક, મેં હંમેશા તમને અનુભવ્યા છે. મારી મૂંઝવણમાં શાંત અવાજની જેમ, એક એવા ઘરની જેમ જેને મારો આત્મા ઓળખે છે.'

About The Author

Related Posts

Top News

બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, આ રાજ્ય નિર્ણય લઇ શકે છે

ગોવા સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી શકે છે. તેના માટે ઓસ્ટ્રેલિયા જેવો જ...
National 
બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, આ રાજ્ય નિર્ણય લઇ શકે છે

ભારત અને EU વચ્ચે થઈ ગઈ સુપર ડીલ, ટ્રમ્પના ઇરાદાઓને મોટો ઝટકો

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-EU ફ્રી ટ્રેડ...
Business 
ભારત અને EU વચ્ચે થઈ ગઈ સુપર ડીલ, ટ્રમ્પના ઇરાદાઓને મોટો ઝટકો

સુહાગરાત પર પત્ની બોલી- ‘પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે...’, થોડા સમય બાદ બની ગઈ માતા

‘સાંભળો! મને ખૂબ જ પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે. હું તે સહન કરી શકતી નથી...’, સુહાગરાત પર કન્યાએ...
National 
સુહાગરાત પર પત્ની બોલી- ‘પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે...’, થોડા સમય બાદ બની ગઈ માતા

ભાજપના નેતાએ ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી હટાવવાની કરી અરજી, 2 દિવસ અગાઉ જ પદ્મશ્રી માટે પસંદ થયા હતા

ગુજરાતને દેશ-વિદેશમાં પોતાની કળાને લઈ ગૌરવ અપાવનારા હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંને 2 દિવસ અગાઉ જ હાજી રમકડુંને પદ્મશ્રી...
Gujarat 
ભાજપના નેતાએ ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી હટાવવાની કરી અરજી, 2 દિવસ અગાઉ જ પદ્મશ્રી માટે પસંદ થયા હતા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.