સારાભાઈ વર્સીસ સારાભાઈની અભિનેત્રીનું મોત, કાર 50 ફૂટ ઊંડી ખીણમાં કેવી રીતે પડી?

આજે સવારની શરૂઆત એક દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સાથે થઈ.  લોકપ્રિય શો 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' ફેઇમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય હવે આ દુનિયામાં નથી. અભિનેત્રીએ કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. 

વૈભવી છેલ્લા કેટલાક સમયથી હિમાચલ પ્રદેશમાં હતી. સોમવારે તે તેના મંગેતર જય સુરેશ ગાંધી સાથે ફરવા નીકળી હતી. મળતી માહિતી મુજબ, વૈભવી તેના મંગેતર સાથે તેની ફોર્ચ્યુનર કારમાં હતી. બંને તીર્થધામ બંજરની ખીણમાં ફરવા જઈ રહ્યા હતા. તે જ સમયે બંજર નજીક સિધવા ખાતે તેમની કારે અચાનક કાબૂ ગુમાવ્યો અને કાર રસ્તાથી લગભગ 50 ફૂટ નીચે ઊંડી ખીણમાં જઈને પડી.

અભિનેત્રીના અકસ્માતના સમાચાર મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ પોલીસને પણ આ અંગે જાણ કરી હતી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે વૈભવીને કારમાં જોઈ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જોકે, અભિનેત્રીના મંગેતરનો જીવ બચી ગયો હતો. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. સ્થાનિક લોકોએ જય સુરેશ ગાંધીને કારમાંથી બહાર કાઢ્યા હતા. તેને સારવાર માટે બંજાર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

DSP બંજર શેર સિંહે જણાવ્યું કે, બંને બંજરની તીર્થન ઘાટીની મુલાકાત લેવા આવી રહ્યા હતા. ત્યારે તેની સાથે આ અકસ્માત થયો હતો. વૈભવીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિજનોને સોંપવામાં આવ્યું છે. આ સિવાય બંજર પોલીસની ટીમ હવે અકસ્માતનું કારણ શોધવામાં લાગેલી છે. વૈભવીના અંતિમ સંસ્કાર આજે બપોરે ભાભાઈ હિન્દુ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

વૈભવી ઉપાધ્યાય TV ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. તેણે ઘણા TV શોમાં કામ કર્યું. અભિનેત્રી 'ક્યા કસૂર હૈ અમલા કા'માં પણ જોવા મળી હતી. તે વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી, પરંતુ એક્ટ્રેસને સિરિયલ 'સારાભાઈ વર્સેસ સારાભાઈ'થી મોટી ઓળખ મળી હતી. આ શોમાં તેના પાત્રનું નામ જાસ્મીન હતું. અભિનેત્રીની ભૂમિકા અને અભિનયને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. TV શો ઉપરાંત વૈભવીએ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકમાં પણ કામ કર્યું હતું.

અભિનેત્રીના નિધન પર સમગ્ર TV ઈન્ડસ્ટ્રીમાં મૌન છવાઈ ગયું છે. ફેન્સ અને સેલેબ્સ એ વાત પર વિશ્વાસ કરી શકતા નથી કે, વૈભવી હવે આપણી વચ્ચે નથી. દરેક વ્યક્તિ તેને ભીની આંખે યાદ કરી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.