પરેશાનીનું કારણ બન્યા ઉર્ફીના વિચિત્ર કપડા, કબ્રસ્તાનમાં દફનાવા નહીં દઈએ: ફતવો

ઉર્ફી જાવેદના કપડાં એવા હોય છે કે, ચાહકોને તેને જોઈને ચક્કર આવી જાય છે. જ્યારે, કેટલીકવાર તો તે એવા કપડાં પહેરે છે કે જોનારાઓ તેમની આંખો પણ બંધ કરી દે છે. પરંતુ હવે ઉર્ફીના કપડાં તેના માટે પરેશાનીનું કારણ બની રહ્યા છે. હાલમાં જ ઉર્ફી જાવેદ વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ ફતવો સોશિયલ મીડિયા પ્રભાવક ફૈઝાન અંસારીએ બહાર પાડ્યો છે. આ ફતવામાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે ઉર્ફી જાવેદનું અવસાન થશે ત્યારે તેને કબ્રસ્તાનમાં જગ્યા આપવામાં આવશે નહીં.

ફૈઝાન અન્સારીએ ઉર્ફી જાવેદને લઈને જુહુના કબ્રસ્તાનમાં અરજી દાખલ કરી છે. આ સાથે મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે 'ઉર્ફી જાવેદ વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે'. તેણે કહ્યું કે, 'જ્યારે પણ કોઈ કહે છે કે, મુસ્લિમ યુવતી નગ્ન થઈને ફરે છે ત્યારે તેને શરમ આવે છે. ઉર્ફીએ ઈસ્લામનું અપમાન કર્યું છે. જ્યારે ઉર્ફી મૃત્યુ પામશે, ત્યારે તેને કબ્રસ્તાનમાં સ્થાન આપવામાં આવશે નહીં.'

આ સાથે ફૈઝાન અંસારીએ કહ્યું, 'ઉર્ફી જાવેદ જે પ્રકારનાં કપડાં પહેરે છે તેનાથી આખી દુનિયામાં મુસ્લિમોની બદનામી થઇ રહી છે. જો તે કહે છે કે, તે ઇસ્લામમાં માનતી નથી, તો તેનું નામ બદલી લે, પરંતુ ધર્મની બાબતમાં પણ ઉર્ફીએ તમામ હદો વટાવી દીધી છે.'

 
 
 
View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

ફૈઝાન અંસારીએ વધુમાં કહ્યું કે, 'ઉર્ફીએ ઈન્ટરવ્યુમાં ઘણી વખત કહ્યું છે કે તે ઈસ્લામ ધર્મમાં માનતી નથી. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે ઉર્ફી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો હોય. આ પહેલા એક નેતાએ ઉર્ફીના કપડા અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાં સુધી કે,  વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. આ પછી ઉર્ફીએ પોતાની સુરક્ષા માટે અપીલ પણ કરી હતી.

ફૈઝાન અંસારીએ વધુમાં જણાવ્યું કે, તેણે દિલ્હીના મૌલાના અને મુંબઈના સિટી કાઝીને ફતવો બહાર પાડવાની ફરિયાદ પણ કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

અહીં તમને જણાવી દઈએ કે, આ પ્રકારનો આ પહેલો મામલો નથી, આ પહેલા પણ ઉર્ફી જાવેદ વિરુદ્ધ તેના બોલ્ડ અને રિવિલિંગ કપડાના કારણે તમામ પ્રકારની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જો કે, દરેક વખતે અભિનેત્રી તેમના વિશે મુક્ત મને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળી છે. આવી સ્થિતિમાં, ફૈઝાન અન્સારીના આ નિવેદન પર ઉર્ફી જાવેદની પ્રતિક્રિયા શું છે તે જોવાનું રહેશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.