વિવિયનનો ખુલાસો, 4 વર્ષ પહેલા મુસ્લિમ બની ગયેલો, બોલ્યો- 5 વાર નમાઝ વાંચુ છું...

TV એક્ટર વિવિયન ડીસેના આ દિવસોમાં ચર્ચામાં બની રહ્યો છે. વાસ્તવમાં, વિવિયન ડીસેનાએ મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે, તેણે ચાર વર્ષ પહેલા પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા વિવિયને પવિત્ર રમઝાન મહિનામાં ઈસ્લામ કબૂલ કર્યો હતો. એટલું જ નહીં, અભિનેતાએ ઇન્ટરવ્યુમાં એ પણ ખુલાસો કર્યો કે તેણે એક વર્ષ પહેલા ઇજિપ્તમાં ગુપ્ત રીતે લગ્ન કેમ કર્યા હતા. વાંચો સંપૂર્ણ ઈન્ટરવ્યુ... 

વિવિયન ડીસેનાએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં તેના લગ્નની અફવાઓ પર મૌન તોડ્યું. અભિનેતાએ કહ્યું, 'હા, હું પરિણીત છું અને મને ચાર મહિનાની પુત્રી પણ છે. મારા લગ્ન સાથે કોઈને શું લેવાદેવા છે? એમાં શું મોટી વાત છે? મેં મારા લગ્ન અને મારી પુત્રી વિશે કહ્યું હોત પરંતુ, હું યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. વાસ્તવમાં, હું મારી અંગત અને વ્યાવસાયિક જીવનને અલગ રાખવાનું પસંદ કરું છું. હું નથી ઈચ્છતો કે મારો પરિવાર લાઇમલાઇટમાં રહે. મારી પત્ની નૂરાન પણ એવું જ ઈચ્છે છે. અહીં તમને જણાવી દઈએ કે, વિવિયને ગયા વર્ષે જ ઈજિપ્તમાં નૂરન સાથે લગ્ન કર્યા હતા.

એટલું જ નહીં, અભિનેતાએ ઈન્ટરવ્યુમાં પોતાના ધર્મ પરિવર્તન વિશે પણ જણાવ્યું. અભિનેતાએ કહ્યું, 'મારું જીવન જેવું છે તેવું જ છે. બહુ કંઈ બદલાયું નથી. મારો જન્મ ખ્રિસ્તી પરિવારમાં થયો હતો અને હવે હું ઇસ્લામ કબૂલ કરી ચૂક્યો છું. મેં ચાર વર્ષ પહેલા રમઝાનના પવિત્ર મહિનામાં ઈસ્લામ કબૂલ કર્યો હતો. હવે હું દરરોજ પાંચ વખત નમાઝ અદા કરું છું. તેનાથી મનને ઘણી શાંતિ મળે છે. તો હવે તમે લોકો અટકળો લગાવવાનું અને વાતો બનાવવાનું બંધ કરો.'

અહીં તમને બતાવી દઈએ કે, અગાઉ, વિવિયન ડીસેનાએ વાહબિઝ દોરાબજી સાથે લગ્ન કર્યા હતા અને તેમના અલગ થવાથી તેના તમામ ચાહકોને આઘાત લાગ્યો હતો. વિવિયન ડીસેના અને વાહબિઝ દોરાબજી પ્રથમ વખત TV શો 'પ્યાર કી યે એક કહાની'ના સેટ પર મળ્યા હતા. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, 7 જાન્યુઆરી 2013ના રોજ, તેઓ કાયમ માટે એકબીજાના બની ગયા. લગ્નના ચાર વર્ષ પછી બંને વચ્ચે ઘણી સમસ્યાઓ આવવા લાગી. વાહબિઝે વિવિયન પર લગ્નેત્તર સંબંધો અને ઘરેલુ હિંસાનો પણ આરોપ લગાવ્યો હતો. વર્ષ 2019 સુધીમાં, વિવિયન અને વાહબિઝ વચ્ચેની કડવાશએ ગંદું સ્વરૂપ લીધું હતું, ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે વહબિઝે વિવિયન પાસેથી ખૂબ જ મોટુ ભરણપોષણ માંગ્યું છે. વર્ષ 2021માં વહબિઝ અને વિવિયન એકબીજાથી અલગ થઈ ગયા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.