એડિનોવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, બાળકોને ટારગેટ પર, જાણો લક્ષણો અને બચાવ વિશે

કોરોના વાયરસ બાદ હવે વધુ એક વાયરસ પગ પેસારો કરી રહ્યો છે. તેનું નામ એડિનોવાયરસ છે. હાલ આ વાયરસ પશ્ચિમ બંગાળમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. એડિનોવાયરસની ચપેટમાં નાના બાળકો આવી રહ્યા છે. સરકારી આંકડા અનુસાર, પશ્ચિમ બંગાળમાં એડિનોવાયરસના કારણે અત્યારસુધીમાં 12 બાળકોના મોત થઈ ચુક્યા છે. તેમાંથી આઠ એવા હતા, જે પહેલાથી કોઈક ને કોઈક બીમારી સામે લડી રહ્યા હતા. જોકે, પ્રશાસને છેલ્લાં 24 કલાકમાં થયેલા મોતને એડિનોવાયરસ ડેથ નથી માન્યા. તેમનું કહેવુ છે કે, આ વાતાવરણમાં આ સંક્રમણ (એક્યૂટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન) સામાન્ય છે.

પ્રશાસને જણાવ્યું કે, કોઈપણ સ્થિતિ સામે લડવાની તૈયારી અમે કરી છે. 600 બાળ રોગ વિશેષજ્ઞો સાથે 121 હોસ્પિટલોમાં પાંચ હજાર બેડ તૈયાર રાખ્યા છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરાવમાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વીતેલા એક મહિનામાં એક્યૂટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન (ARI)ના 5213 મામલા સામે આવ્યા છે. ARI એક ઋતુગત સમસ્યા છે. આ વર્ષે મામલા એટલા માટે વધુ સામે આવી રહ્યા છે કારણ કે, વીતેલા બે વર્ષોમાં કોવિડના કારણે તે પકડમાં નહોતા આવી શકતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. સરકારે એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર- 1800-313444-222 પણ જાહેર કર્યો છે.

એડિનોવાયરસ શું છે?

એડિનો વાયરસ ઈન્ફેક્શન એક વાયરલ બીમારી છે જે એડિનોવાયરસના કારણે થાય છે. તે રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે કે શ્વાસ નળી પર હુમલો કરે છે. તેનાથી સંક્રમિત થવા પર સામાન્ય તાવ જેવુ સંક્રમણ થાય છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) અનુસાર, એડિનોવાયરસથી કોઈપણ ઉંમરની વ્યક્તિ ક્યારેય પણ સંક્રમિત થઈ શકે છે. નાના બાળકોને તેનાથી વધુ જોખમ છે. પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવુ છે કે, બે વર્ષ સુધીના બાળકોને તેનું સૌથી વધુ જોખમ છે. તેના કારણે મોટી ઉંમરના બાળકોના સંક્રમિત થવાના ચાન્સ ઓછાં છે.

કયા છે તેના લક્ષણો?

  • તેનાથી સંક્રમિત થવા પર કોમન કોલ્ડ અથવા ફ્લૂ જેવા લક્ષણ જોવા મળે છે. આ ઉપરાંત, તાવ, ગળુ સુકાવુ, એક્યૂટ બ્રોંકાઇટિસ જેવી સમસ્યા પણ આવે છે.
  • આ બધા ઉપરાંત નિમોનિયા, કન્ઝૂક્ટિવિટીઝ, ડાયેરિયા, ઉલ્ટી અથવા પેટમાં દુઃખાવા જેવી ફરિયાદ પણ થાય છે. કેટલાક લોકોને બ્લેડર ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

કઈ રીતે ફેલાય છે આ વાયરસ?

  • આ વાયરલ બીમારી છે એટલે કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી સંક્રમણ ફેલાઈ શકે છે. હવા દ્વારા પણ ખાંસી ખાવા અથવા છીંકવાથી ફેલાઈ શકે છે.
  • જો કોઈ સપાટી પર એડિનોવાયરસ હાજર હોય અને તેને તમે હાથ લગાડો અથવા તેના સંપર્કમાં આવો તો વાયરસની ચપેટમાં આવી શકે છે.
  • CDC અનુસાર, ઘણીવાર એડિનોવાયરસ સંક્રમિત વ્યક્તિના મળ દ્વારા પણ ફેલાઈ શકે છે. દાખલા તરીકે, ડાયપર બદલવા દરમિયાન. ઘણીવાર સ્વિમિંગ પૂલ દ્વારા પણ તે ફેલાઈ શકે છે.

સારવાર અને બચાવની રીત

  • CDCનું કહેવુ છે કે, આ વાયરસથી બચવા માટે થોડી-થોડીવારે ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવા જોઈએ.
  • ગંદા હાથોથી આંખ, નાક અને મોઢાંને અડકવા ના જોઈએ. જે લોકો બીમાર છે, તેમના સંપર્કમાં આવવાથી બચવુ જોઈએ. જો તમે બીમાર હો તો ઘરે જ રહેવુ જોઈએ. ખાંસી ખાતી વખતે અથવા છીંકતી વખતે ટીશ્યૂનો ઉપયોગ કરો. પોતાના વાસણો બીજા સાથે શેર ના કરો.
  • CDC અનુસાર, એડિનોવાયરસની કોઈ ખાસ દવા અથવા સારવાર નથી. મોટાભાગે એડિનોવાયરસ ઈન્ફેક્શનમાં હળવા લક્ષણો હોય છે અને દુઃખાવા અથવા તાવની દવાથી તેને દૂર કરી શકાય છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.