સરકારી બેંકોમાં મોટાપાયે ભરતીઓ કરવા જઇ રહી છે સરકાર, નાણામંત્રીએ બોલાવી બેઠક

દેશમાં આવનારા મહિનાઓમાં સરકારી નોકરીઓની ભરતીઓ આવી રહી છે. ખાસકરીને સરકારી બેન્કોમાં મોટી સંખ્યામાં ભરતીઓ આવી શકે છે. તેના માટે કેન્દ્ર સરકારે પોતાની તરફથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જો બધી વસ્તુ સારી રહી તો સરકારી બેન્કો વિભન્ન ખાલી પદોની વેકેન્સીનું નોટિફિકેશન જારી કરી શકે છે અને ભરતીની શરૂઆત કરી શકે છે. જો આમ થસે તો સરકારી નોકરોની તૈયારી કરી રહેલા દેશના લાખો યુવાઓ માટે સારો મોકો મળી શકે છે.

ન્યુઝ એજન્સીના એક રિપોર્ટ અનુસાર, નાણાં મંત્રાલયે સકારી બેન્કોમાં ખાલી પદોની તપાસ કરવા માટે અને ભરતીની યોજના વિશે જાણવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. આ ઉચ્ચસ્તરીય બેઠક બુધવારે એટલે કે, 21મી સપ્ટેમ્બરના રોજ થનાર છે. બેઠકમાં દરેક સરકારી બેન્કોના પ્રમુખ હિસ્સો લેશે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, બેઠકમાં સરકારી બેન્કો સાતે જ સરકારી નાણાંકીય સ્થાનોના પ્રમુખ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં દરેક સરકારી બેન્કો તથા અન્ય નાણાંકીય સંસ્થાનોમાં ખાલી પદોની સમીક્ષા કરવામાં આવશે. તે સિવાય માસિક ભરતીની જાણકારી પણ આપવામાં આવશે.

સમાચાર એજન્સી અનુસાર, સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે, કાલે થનારી ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા નાણાંકીય સેવાઓના સચિવ સંજય મલ્હોત્રા કરશે. બેઠકમાં આભાસી તરીકે દરેક બેન્કો તથા નાણાંકીય સંસ્થાનોનું ટોપ મેનેજમેન્ટ હિસ્સો લેશે. આ બેઠકમાં દરેક સરકારી બેન્કો તથા નાણાંકીય સંસ્થાનો દ્વારા સરકારી ઇ માર્કેટપ્લેસ પોર્ટલ દ્વારા થતી ખરીદની પણ સમીક્ષા થશે.

ખબર અનુસાર, બેઠકમાં સ્પેશિયલ કેમ્પેન 2.0ને લઇને કરવામાં આવેલી તૈયારીઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ સ્પેશિયલ કેમ્પેન 2.0 02 ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર દરમિયાન આયોજિત થનારી છે. આ કેમ્પેનમાં સ્વચ્છતા તથા અન્ય ઇશ્યુઝ પર ફોકસ કરવામાં આવશે. અવધિ દરમિયાન સાંસદોના રેફરન્સ અને રાજ્ય સરકારોના રેફરન્સ વગેરે જેવા લંબિત મુદ્દાઓની સંખ્યાને ઓછી કરવામાં આવશે.

આ ઉચ્ચસ્તરીય બેઠક એવા સમયમાં થવા જઇ રહી છે, જ્યારે દેશભરમાં બેરોજગારી એક મહત્વનો રાજકીય મુદ્દો બનેલો છે. સરકાર પણ આ મુદ્દાને લઇને ચાલી રહેલી આલોચનાઓ પ્રતિ ગંભીર છે. એ જ કારણે સરકાર ચાહે છે કે, પર્યાપ્ત સંખ્યામાં ભરતી આવે,

જેથી તેના પર રોજગારના મોકા નહીં આપવાના આરોપ ન લાગી શકે. આ પગલું એ કારણે પણ મહત્વનું છે કે, બેન્કોમાં સ્ટાફની અછતની પણ સમસ્યા ઉત્પન્ન થઇ છે. કેટલાક બેન્ક અધિકારીઓનું કહેવું છે કે, પ્રાઇવેટ બેન્કોની સરખામણીમાં શહેરી વિસ્તારોની બ્રાન્ચોમાં સરકારી બેન્કોમાં ઓછા કર્મચારી છે. પાછલા 10 વર્ષમાં શહેરી બ્રાંચોની સંખ્યા 28 ટકા છે, જ્યારે કર્મચારીઓની સંખ્યા ઓછી થઇ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.