સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં બેરિકેડ બિનજરૂરી મુકવામાં આવે છેઃ કોર્પોરેટર

સુરત મહાનગર પાલિકામાં સામાન્ય રીતે શાસક અને વિપક્ષ એક મુદ્દા પર સહમત થતા હોય તેવું બનતું નથી. પરંતુ સુરત શહેરમાં છેલ્લાં ઘણા સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તેને કારણે દુકાનદારો, રાહદારીઓ અને આ વિસ્તારમાં રહેતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે શાસક અને વિપક્ષે એક થઇને બેજવાબદાર અધિકારીઓ સામે પસ્તાળ પાડી છે.

પાલિકાના નગર સેવકોએ મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે પ્રજાને થતી મુશ્કેલી દુર કરવાની માગ કરી છે.

સુરત શહેર માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ ભવિષ્યમાં આર્શાવાદ રૂપ પુરવાર થવાનો છે, કારણે કે સુરત એવું શહેર છે જ્યાં ટ્રાફીકની મોટી સમસ્યા છે. મેટ્રોને કારણે ટ્રાફીકની સમસ્યા થોડી હળવી થઇ શકે છે. પરંતુ સુરત મહાનગર પાલિકાના નગર સેવકોનું કહેવું એમ છે કે, સુરતમાં 2 કોરિડોર પર 6થી વધારે પેકેજોમાં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. 40 કિં.મી લાંબા રૂટ પર અધિકારીઓ આડેધડ કામગીરી કરી રહ્યા હોવાથી આ વિસ્તારમાં રહેતા લોકો, દુકાનદારો, આ રસ્તા પરથી પસાર થતા લોકો બધાએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નગર સેવકોનું કહેવું છે કે આડેધડ ખોદકામ કરી દેવામાં આવે છે અને બિનજરૂરી બેરિકેડ મુકી દેવાને કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે.નગર સેવકોએ તો ત્યાં સુધી કહી દીધું કે, મુશ્કેલી કોને કહેવાય એ સમજાવવા માટે આ અધિકારીઓના ઘરની બહાર જ બેરિકેડ લગાવી દો, તો તેમને ખબર પડશે કે શું હાલત થાય છે.

નગર સેવકોએ કહ્યું કે શંખેશ્વર કોમ્પલેકસથી મજૂરા ગેટ સુધીના વિસ્તારમાં તો અનેક હોસ્પિટલો આવેલી છે. આ વિસ્તારોમાં બેરિકેડ લગાવી દેવાને કારણે દર્દીઓને ઉંચકીને લઇ જવા પડે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નગર સેવકોએ સુરત મહાનગર પાલિકાના તંત્રને આ મામલે દરમિયાનગીરી કરવાની વિનંતી કરી હતી.

ભાજપના કોર્પોરેટર કેયુર ચપટવાલાએ પાલિકાની સામાન્ય સભામાં મેટ્રો પ્રોજેક્ટનો સવાલ ઉભો કરીને કહ્યું હતું કે, મેટ્રો કંપનીના કેટલાંક અધિકારીઓની અણઆવડતને અને બેજવાદારીને કારણે ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. રાજમાર્ગ સહિતના કેટલાંક વિસ્તારામાં લોકોના રોજગાર પડી ભાંગ્યા છે.

સુરત મહાનગર પાલિકાના કમિશ્નર  IAS શાલિની અગ્રવાલે GMRCCના અધિકારીઓ સાથે બેઠક કરી છે અને શક્ય તેટલા રૂટ પરથી બેરિકેડ દુર કરવાની અને કામગીરીને સેફ સ્ટેજ પર લઇ જવાની તાકીદ કરી છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.