ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ મળશે કે નહીં? પાટીલે આપ્યા સંકેત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોડાઇ ગઇ છે. દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાંથી ગુજરાત ફર્યા બાદ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મીડિયાને સંબોધિત કરી હતી. આ અવસર પર CR પાટીલે ગુજરાતની મોટી જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું. CR પાટીલે કહ્યું કે, ગુજરાતમાં મોદી મેજિક ચાલ્યું. રાજ્યના લોકોએ તેમના ઉપર ફરી એક વખત પોતાનો અતૂટ વિશ્વાસ બનાવી રાખ્યો.

જેના કારણે પાર્ટી સત્તા વિરોધી લહેરી જેવી વસ્તુને સાઇડ પર કરીને જીતી. CR પાટીલે હુંકાર ભરતા કહ્યું કે, વર્ષ 2024ની ચૂંટણીમાં પાર્ટી અન્ય ઘણા રેકોર્ડ બનાવવા જઇ રહી છે. આ અવસર પર CR પાટીલને પૂછવામાં આવ્યું કે, ભાજપે ખૂબ સીટો જીતી છે. કોંગ્રેસને માત્ર 17 સીટો મળી છે, એવામાં મજબૂત વિપક્ષ માટે વિધાનસભામાં તેમને નેતા વિપક્ષ પદ મળશે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવું જોઇએ, પરંતુ તેની જવાબદારી શાસક પક્ષ લેતો નથી.

વિપક્ષે પોતે તેના માટે મહેનત કરવાની હોય છે અને મહેનત કરીને મજબૂત બનવાનું હોય છે. CR પાટીલે સીધી રીતે કશું જ નહીં, પરંતુ તેમણે પાર્ટીની લાઇન સ્પષ્ટ કરી દીધી. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને ધારાસભ્ય દાળના નેતા અને શૈલેષ પરમારને ઉપ નેતા બનાવ્યા છે. અમિત ચાવડા બુધવારે શપથ ગ્રહણ કરી શકે છે. કોંગ્રેસ નેતા વિપક્ષ પર પદ માટે દાવો નહીં કરી શકે.

એવામાં હવે બૉલ વિધાનસભા અધ્યક્ષના હાથમાં છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાને વિપક્ષ નેતાનો દરજ્જો આપે છે કે નહીં. CR પાટીલના નિવેદન બાદ હવે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાવિહીન હશે. તેની સંભાવના વધી ગઇ છે. કોંગ્રેસને નેતા વિપક્ષનો દરજ્જો મળવાની સંભાવના ત્યારે ઓછી થવા લાગી હતી, જ્યારે નેતા વિપક્ષના બંગ્લાને શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરને ફાળવી દેવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં એમ પહેલી વખત થશે, જ્યારે લાંબા સમય માટે વિધાનસભામાં કોઇ પણ નેતા વિપક્ષ નહીં હોય.

રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષોથી વિપક્ષમાં છે. તેઓ અત્યાર સુધી નેતા વિપક્ષમાં રહેતી હતી, પરંતુ આ વખત નહીં થાય. જ્યારે વિધાનસભાના નેતા વિપક્ષ વિહીન રહેશે. છેલ્લા 27 વર્ષમાં કોંગ્રેસ તરફથી 9 નેતાઓને નેતા વિપક્ષ બનવાનો અવસર મળ્યો. તેમાં અમર સિંહ ચૌધરી, નરેશ રાવલ, અર્જૂન મોઢવાડિયા, શક્તિ સિંહ ગોહિલ, શંકર સિંહ વાઘેલા, મોહન રાઠવા, પરેશ ધાનાણી અને સુખરામ રાઠવાના નામ સામેલ છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.