ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને લઈને  સરકાર પર પ્રહાર કરતાં હોય છે. તો સત્તા પક્ષના નેતાઓ બચાવ કરતાં હોય છે અથવા તો વિપક્ષની તત્કાલિન સરકાર અને અન્ય રાજ્યોમાં રહેલી તેમની સરકારનો સંદર્ભ આપીને વિપક્ષી નેતાઓ પર જ પ્રહાર કરતાં હોય છે, ત્યારે જો સત્તા પક્ષના નેતા કોઈ વિપક્ષી નેતાની પ્રશંસા કરે અને એ પણ જાહેર મંચ પર ત્યારે રાજકારણમાં ખળભળાટ મચવો સ્વાભાવિક છે. ચર્ચાઓ થવી સ્વાભાવિક છે. તાજેતરમાં આવું જ કઈક થયું છે. સત્તા પક્ષના નેતા અને ભાજપના નેતા મોહન ધોડિયાએ જાહેરમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાં નેતા અનંત પટેલની પ્રસંશા કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

મહુવા તાલુકાના દેદવાસણ ગામે રવિવારે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની અસ્મિતા અને સંસ્કૃતિને બચાવવાના ઉમદા હેતુ સાથે યોજાયેલા આ મંચ પર પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓ એકતાના તાંતણે બંધાયેલા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મહુવાના ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયાનું સંબોધન રહ્યું હતું. તેમણે મંચ પર હાજર AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પ્રત્યે સન્માન વ્યક્ત કરતા કહ્યું  કે, ‘આજે આપણા આંગણે 3 સિંહ આવ્યા છે, તેમને દિલથી વધાવો.

chaitar vasava
divyabhaskar.co.in

સત્તા પક્ષના ધારાસભ્ય દ્વારા વિપક્ષના કટ્ટર હરીફોના જાહેરમાં ભરપેટ વખાણ કરાતા સભામાં હાજર ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મોહન ધોડિયાએ બંને નેતાઓની કાર્યશૈલીનો સ્વીકાર કરતા કહ્યું કે, ‘હું સરકારમાં રહીને કામ કરું છું, જ્યારે ચૈતર વસાવા અને અનંત પટેલ સમાજના હકો માટે સરકાર સામે લડત આપીને સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

મોહન ધોડિયાએ પોતાની માતૃભાષા 'ધોડિયા'માં જ જનમેદનીને સંબોધિત કરી હતી. તેમણે ભાવુક સંદેશ આપ્યો કે, આધુનિકતા અને રોજગારની દોટમાં આદિવાસી સમાજ પોતાની મૂળ ભાષા અને સંસ્કૃતિ ભૂલતો જાય છે. સમાજના પ્રત્યેક વ્યક્તિએ પોતાની પરંપરા અને ભાષાને જીવંત રાખવી એ નૈતિક ફરજ છે.

ભૂતકાળમાં અનંત પટેલ અને મોહન ધોડિયા વચ્ચે અનેક મુદ્દાઓ પર આકરા શાબ્દિક પ્રહારો અને વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે. જોકે, દેદવાસણના આ કાર્યક્રમે સાબિત કર્યું કે જ્યારે વાત આદિવાસી સમાજના હિત અને અસ્મિતાની આવે છે ત્યારે પક્ષીય રાજકારણ ગૌણ બની જાય છે.

MLA
facebook.com/MohanDhodiyaMLA

આ સાંસ્કૃતિક મહોત્સવમાં મહુવા અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો પરંપરાગત વેશભૂષામાં ઉમટી પડ્યા હતા. વિશાળ જનમેદનીની હાજરીમાં નેતાઓની આ રાજકીય એકતાએ સમાજમાં એક નવો આશાવાદ જન્માવ્યો છે. ભાજપના ધારાસભ્યનો આ બદલાયેલો અંદાજ આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના રાજકારણમાં કેવા સમીકરણો રચશે તે જોવું રસપ્રદ રહેશે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.