ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને લઈને  સરકાર પર પ્રહાર કરતાં હોય છે. તો સત્તા પક્ષના નેતાઓ બચાવ કરતાં હોય છે અથવા તો વિપક્ષની તત્કાલિન સરકાર અને અન્ય રાજ્યોમાં રહેલી તેમની સરકારનો સંદર્ભ આપીને વિપક્ષી નેતાઓ પર જ પ્રહાર કરતાં હોય છે, ત્યારે જો સત્તા પક્ષના નેતા કોઈ વિપક્ષી નેતાની પ્રશંસા કરે અને એ પણ જાહેર મંચ પર ત્યારે રાજકારણમાં ખળભળાટ મચવો સ્વાભાવિક છે. ચર્ચાઓ થવી સ્વાભાવિક છે. તાજેતરમાં આવું જ કઈક થયું છે. સત્તા પક્ષના નેતા અને ભાજપના નેતા મોહન ધોડિયાએ જાહેરમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાં નેતા અનંત પટેલની પ્રસંશા કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

મહુવા તાલુકાના દેદવાસણ ગામે રવિવારે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની અસ્મિતા અને સંસ્કૃતિને બચાવવાના ઉમદા હેતુ સાથે યોજાયેલા આ મંચ પર પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓ એકતાના તાંતણે બંધાયેલા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મહુવાના ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયાનું સંબોધન રહ્યું હતું. તેમણે મંચ પર હાજર AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પ્રત્યે સન્માન વ્યક્ત કરતા કહ્યું  કે, ‘આજે આપણા આંગણે 3 સિંહ આવ્યા છે, તેમને દિલથી વધાવો.

chaitar vasava
divyabhaskar.co.in

સત્તા પક્ષના ધારાસભ્ય દ્વારા વિપક્ષના કટ્ટર હરીફોના જાહેરમાં ભરપેટ વખાણ કરાતા સભામાં હાજર ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મોહન ધોડિયાએ બંને નેતાઓની કાર્યશૈલીનો સ્વીકાર કરતા કહ્યું કે, ‘હું સરકારમાં રહીને કામ કરું છું, જ્યારે ચૈતર વસાવા અને અનંત પટેલ સમાજના હકો માટે સરકાર સામે લડત આપીને સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

મોહન ધોડિયાએ પોતાની માતૃભાષા 'ધોડિયા'માં જ જનમેદનીને સંબોધિત કરી હતી. તેમણે ભાવુક સંદેશ આપ્યો કે, આધુનિકતા અને રોજગારની દોટમાં આદિવાસી સમાજ પોતાની મૂળ ભાષા અને સંસ્કૃતિ ભૂલતો જાય છે. સમાજના પ્રત્યેક વ્યક્તિએ પોતાની પરંપરા અને ભાષાને જીવંત રાખવી એ નૈતિક ફરજ છે.

ભૂતકાળમાં અનંત પટેલ અને મોહન ધોડિયા વચ્ચે અનેક મુદ્દાઓ પર આકરા શાબ્દિક પ્રહારો અને વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે. જોકે, દેદવાસણના આ કાર્યક્રમે સાબિત કર્યું કે જ્યારે વાત આદિવાસી સમાજના હિત અને અસ્મિતાની આવે છે ત્યારે પક્ષીય રાજકારણ ગૌણ બની જાય છે.

MLA
facebook.com/MohanDhodiyaMLA

આ સાંસ્કૃતિક મહોત્સવમાં મહુવા અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો પરંપરાગત વેશભૂષામાં ઉમટી પડ્યા હતા. વિશાળ જનમેદનીની હાજરીમાં નેતાઓની આ રાજકીય એકતાએ સમાજમાં એક નવો આશાવાદ જન્માવ્યો છે. ભાજપના ધારાસભ્યનો આ બદલાયેલો અંદાજ આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના રાજકારણમાં કેવા સમીકરણો રચશે તે જોવું રસપ્રદ રહેશે.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.