ગાંધીનગરની બેઠક પર બોલિવુડ અભિનેતા રાજેશ ખન્ના પણ ચૂંટણી લડી ગયા છે

On

ગાંધીનગરની બેઠક પર ભાજપે આ વખતે અમિત શાહને ફરી રિપીટ કરેલા છે અને કોંગ્રેસે સોનલ પટેલને અમિત શાહની સામે મેદાનમાં ઉતારેલા છે. ગાંધીનગરની બેઠક એવી છે જેની પર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, શંકરસિંહ વાઘેલા ભાજપમાંથી ચૂંટણી લડેલા છે.

છેલ્લાં 35 વર્ષથી ગાંધીનગરની બેઠક પર ભાજપનો કબ્જો છે અને કોંગ્રેસે 10 ઉમેદવારોને ઉતાર્યા છે પણ બધા નિષ્ફળ નિવડ્યા છે. 1996માં એક ઇન્ટરેસ્ટીંગ ચૂંટણી થઇ હતી.

1996માં અટલ બિહારી વાજપેયી બે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, એક લખનૌ અને બીજી ગાંધીનગર. વાજપેયી બંને બેઠક પરથી ચૂંટણી જીતી ગયા અને તેમણે ગાંધીનગરની બેઠક ખાલી કરી દીધી હતી. તે વખતે પેટા ચૂંટણી થઇ અને કોંગ્રેસ બોલિવુડના સુપર સ્ટાર દિવગંત રાજેશ ખન્નાને મેદાનમાં ઉતારેલો તો ભાજપે એડવોકેટ વિજય પટેલને ટિકિટ આપેલી.

રાજેશ ખન્ના ગાંધીનગર પ્રચાર માટે આવતા ત્યારે તેમના પત્ની ડીમ્પલ કાપડીયા અને પુત્રી ટ્વિન્કલ ખન્ના પણ સાથે રહેતી. અભિનેતાને જોવા માટે લોકોની પડાપડી થતી હતી. જો કે ખન્ના ચૂંટણી જીતી શક્યા નહોતા.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.