ગાંધીનગરની બેઠક પર બોલિવુડ અભિનેતા રાજેશ ખન્ના પણ ચૂંટણી લડી ગયા છે

ગાંધીનગરની બેઠક પર ભાજપે આ વખતે અમિત શાહને ફરી રિપીટ કરેલા છે અને કોંગ્રેસે સોનલ પટેલને અમિત શાહની સામે મેદાનમાં ઉતારેલા છે. ગાંધીનગરની બેઠક એવી છે જેની પર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, શંકરસિંહ વાઘેલા ભાજપમાંથી ચૂંટણી લડેલા છે.

છેલ્લાં 35 વર્ષથી ગાંધીનગરની બેઠક પર ભાજપનો કબ્જો છે અને કોંગ્રેસે 10 ઉમેદવારોને ઉતાર્યા છે પણ બધા નિષ્ફળ નિવડ્યા છે. 1996માં એક ઇન્ટરેસ્ટીંગ ચૂંટણી થઇ હતી.

1996માં અટલ બિહારી વાજપેયી બે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, એક લખનૌ અને બીજી ગાંધીનગર. વાજપેયી બંને બેઠક પરથી ચૂંટણી જીતી ગયા અને તેમણે ગાંધીનગરની બેઠક ખાલી કરી દીધી હતી. તે વખતે પેટા ચૂંટણી થઇ અને કોંગ્રેસ બોલિવુડના સુપર સ્ટાર દિવગંત રાજેશ ખન્નાને મેદાનમાં ઉતારેલો તો ભાજપે એડવોકેટ વિજય પટેલને ટિકિટ આપેલી.

રાજેશ ખન્ના ગાંધીનગર પ્રચાર માટે આવતા ત્યારે તેમના પત્ની ડીમ્પલ કાપડીયા અને પુત્રી ટ્વિન્કલ ખન્ના પણ સાથે રહેતી. અભિનેતાને જોવા માટે લોકોની પડાપડી થતી હતી. જો કે ખન્ના ચૂંટણી જીતી શક્યા નહોતા.

Related Posts

Top News

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.