ગુજરાતમાં 8702 કરોડના ટોલ ટેક્સનું ઉઘરાણું, AAP MLA બોલ્યા- ‘બદલામાં શું મળ્યું? તૂટેલા રસ્તા અને ખાડાઓ!’

ગુજરાતમાં ઘણી જગ્યાએ નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે પરિણામે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવા હાઇવે હોવા છતા વાહનચાલકો પાસેથી ટોલટેક્સ લેવાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 5 વર્ષમાં ટોલટેક્સના રૂપે વાહનચાલકો પાસેથી કુલ મળીને લગભગ 8702 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.

Highways
english.gujaratsamachar.com

ગુજરાતમાં હાલમાં નેશનલ હાઇવે પર કુલ 62 ટોલ છે જ્યાં જીપ,કાર-ભારે વાહનો પાસેથી 70 રુપિયથી લઈને 500 રૂપિયા સુધીનો ટોલ ટેક્સ લેવામાં આવે છે. વર્ષ 2020-21માં ગુજરાતમાં વાહનચાલકો પાસેથી લગભગ 1196 કરોડ રૂપિયા ટોલટેક્સ વસૂલાયો હતો જ્યારે વર્ષ 2024-25માં 2113 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ લેવામાં આવ્યો. આ ઉપરાંત જે વાહનચાલકો પાસે ફાસ્ટટેગ નહોતા. તેમની પાસેથી 78.58 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા.

 

આ વખતે ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ સાથે સાથે હાઈવે પણ ધોવાયા હતા. રસ્તાની કફોળી હાલતને કારણે સરકારની ભારે ફજેતી થઈ, પરિણામે રાજ્ય સરકારે રસ્તાના સમારકામને લઈને આદેશ આપવા પડ્યાં હતા. આટલુ જ નહીં પ્રભારી મંત્રીઓને મત વિસ્તારમાં દોડાવી રસ્તાઓ અંગે જાણકારી મેળવી અહેવાલ આપવાના નિર્દેશ આપ્યા હતા.

બીજી તરફ, વરસાદી પાણીને કારણે નેશનલ હાઇવેની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. અમદાવાદથી હિંમતનગર સુધી નેશનલ હાઇવે બિસ્માર થઈ ગયો હતો, છતાં વાહનચાલકોએ નાછૂટકે ટોલટેક્સ ચૂકવવો પડ્યો હતો. હાઇવેના બિસ્માર હાલતને કારણે છેક દિલ્હી સુધી રજૂઆત થઈ હતી. આખરે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ગાંધીનગર દોડી આવ્યા હતાં અને બેઠક કરીને અધિકારીઓને હાઈવેના સમારકામને લઈને સૂચના આપી હતી.

hemant-khava3
facebook.com/khavahemant

ઇનશોર્ટ, આવા બિસ્માર હાઇવે હોવા છતા વાહનચાલકોના પૈસે સરકારી તિજોરી છલકાઈ હતી. ઉલ્લેખનીય છે કે, હાઈવેના નિર્માણ પાછળ જેટલો ખર્ચ થયો છે જેના કરતાં ટોલટેક્સ ઉઘરાવી બમણી વસૂલાત કરાઈ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ આ મામલાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

હેમંત ખવાએ આ અંગે ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ગુજરાતની જનતા પાસેથી છેલ્લા 5 વર્ષમાં ટોલ ટેક્સના નામે 8,702 કરોડ રૂપિયા ઉઘરાવ્યા, પણ બદલામાં શું મળ્યું? તૂટેલા રસ્તા અને ખાડાઓ!  જ્યાં રસ્તા બનાવવાના ખર્ચ કરતા બમણી રકમ વસૂલાઈ ગઈ છે, ત્યાં પણ હજુ ટોલ ટેક્સ ચાલુ છે. સરકાર આ પૈસા રસ્તા સુધારવાને બદલે પોતાની વાહવાહીમાં વાપરી રહી છે. મારી સ્પષ્ટ માંગ છે કે આવા અન્યાયી ટોલ તાત્કાલિક બંધ કરવામાં આવે અને રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.