ગુજરાતમાં 8702 કરોડના ટોલ ટેક્સનું ઉઘરાણું, AAP MLA બોલ્યા- ‘બદલામાં શું મળ્યું? તૂટેલા રસ્તા અને ખાડાઓ!’

ગુજરાતમાં ઘણી જગ્યાએ નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે પરિણામે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવા હાઇવે હોવા છતા વાહનચાલકો પાસેથી ટોલટેક્સ લેવાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 5 વર્ષમાં ટોલટેક્સના રૂપે વાહનચાલકો પાસેથી કુલ મળીને લગભગ 8702 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.

Highways
english.gujaratsamachar.com

ગુજરાતમાં હાલમાં નેશનલ હાઇવે પર કુલ 62 ટોલ છે જ્યાં જીપ,કાર-ભારે વાહનો પાસેથી 70 રુપિયથી લઈને 500 રૂપિયા સુધીનો ટોલ ટેક્સ લેવામાં આવે છે. વર્ષ 2020-21માં ગુજરાતમાં વાહનચાલકો પાસેથી લગભગ 1196 કરોડ રૂપિયા ટોલટેક્સ વસૂલાયો હતો જ્યારે વર્ષ 2024-25માં 2113 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ લેવામાં આવ્યો. આ ઉપરાંત જે વાહનચાલકો પાસે ફાસ્ટટેગ નહોતા. તેમની પાસેથી 78.58 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા.

 

આ વખતે ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ સાથે સાથે હાઈવે પણ ધોવાયા હતા. રસ્તાની કફોળી હાલતને કારણે સરકારની ભારે ફજેતી થઈ, પરિણામે રાજ્ય સરકારે રસ્તાના સમારકામને લઈને આદેશ આપવા પડ્યાં હતા. આટલુ જ નહીં પ્રભારી મંત્રીઓને મત વિસ્તારમાં દોડાવી રસ્તાઓ અંગે જાણકારી મેળવી અહેવાલ આપવાના નિર્દેશ આપ્યા હતા.

બીજી તરફ, વરસાદી પાણીને કારણે નેશનલ હાઇવેની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. અમદાવાદથી હિંમતનગર સુધી નેશનલ હાઇવે બિસ્માર થઈ ગયો હતો, છતાં વાહનચાલકોએ નાછૂટકે ટોલટેક્સ ચૂકવવો પડ્યો હતો. હાઇવેના બિસ્માર હાલતને કારણે છેક દિલ્હી સુધી રજૂઆત થઈ હતી. આખરે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ગાંધીનગર દોડી આવ્યા હતાં અને બેઠક કરીને અધિકારીઓને હાઈવેના સમારકામને લઈને સૂચના આપી હતી.

hemant-khava3
facebook.com/khavahemant

ઇનશોર્ટ, આવા બિસ્માર હાઇવે હોવા છતા વાહનચાલકોના પૈસે સરકારી તિજોરી છલકાઈ હતી. ઉલ્લેખનીય છે કે, હાઈવેના નિર્માણ પાછળ જેટલો ખર્ચ થયો છે જેના કરતાં ટોલટેક્સ ઉઘરાવી બમણી વસૂલાત કરાઈ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ આ મામલાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

હેમંત ખવાએ આ અંગે ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ગુજરાતની જનતા પાસેથી છેલ્લા 5 વર્ષમાં ટોલ ટેક્સના નામે 8,702 કરોડ રૂપિયા ઉઘરાવ્યા, પણ બદલામાં શું મળ્યું? તૂટેલા રસ્તા અને ખાડાઓ!  જ્યાં રસ્તા બનાવવાના ખર્ચ કરતા બમણી રકમ વસૂલાઈ ગઈ છે, ત્યાં પણ હજુ ટોલ ટેક્સ ચાલુ છે. સરકાર આ પૈસા રસ્તા સુધારવાને બદલે પોતાની વાહવાહીમાં વાપરી રહી છે. મારી સ્પષ્ટ માંગ છે કે આવા અન્યાયી ટોલ તાત્કાલિક બંધ કરવામાં આવે અને રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવે.

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.