ગુજરાતમાં કૂતરાં કરડવાના કેસો ચિંતાજનક સ્તરે, દરરોજ સરેરાશ 700થી વધુ લોકો શિકાર

થોડા સમય પહેલા જ ઉત્તર પ્રદેશમાં કૂતરાંના કરડવાથી હડકવાના કારણે રાજ્યકક્ષાના કબડ્ડી ખેલાડીનું મૃત્યુ થયું, તો કેરળમાં બે બાળકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ, ગુજરાતમાં પણ શ્વાન કરડવાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે રાજ્યમાં ડોગ બાઈટના 2.41 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે દરરોજ સરેરાશ 700થી વધુ લોકો આ સમસ્યાનો ભોગ બને છે.

Dog Bite
reddyurgentcarecenters.com

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાણીના કરડવાના કેસમાં વધારો

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં જ 2023 થી મે 2025 સુધી એનિમલ બાઈટના 29,000થી વધુ કેસ નોંધાયા છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, આમાંથી લગભગ 95% કેસ માત્ર કૂતરાં કરડવાના છે. આ ગાળામાં કુલ 17,789 પુરુષો, 5,696 મહિલાઓ અને 5,721 બાળકોને પ્રાણી કરડવાના કારણે સારવાર આપવામાં આવી છે.

Dog Bite
schmidtlaw.org

પ્રાણીનું કરડવું સામાન્ય નથી

હડકવા એ એવી ગંભીર બીમારી છે, જે મુખ્યત્વે કૂતરા, બિલાડી, વાંદરા કે ચામાચીડિયા જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓની લાળમાંથી ફેલાય છે. કૂતરાંના કરડવાથી થનારા હડકવાના 90%થી વધુ કેસ નોંધાય છે. ડૉક્ટરો જણાવે છે કે હડકવાનો વાયરસ શરીરમાં પ્રવેશ કર્યા પછી સીધી રીતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે અને ત્રણથી 12 અઠવાડિયામાં મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચે છે. પરિણામે દર્દી લકવાગ્રસ્ત બની શકે છે, કોમામાં જઈ શકે છે કે મૃત્યુ પામે છે. કેટલીકવાર લક્ષણો દેખાવામાં એક વર્ષથી વધુ સમય પણ લાગી શકે છે.

ડૉક્ટરોની સલાહ અનુસાર, કોઈપણ પ્રાણી કરડવાની ઘટના પછી તેને ક્યારેય અવગણવી જોઈએ નહીં અને તરત જ ડૉક્ટરની સલાહ લઇ જરૂરી રસીકરણ કરાવવું અનિવાર્ય છે.

About The Author

Related Posts

Top News

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.