ગુજરાતમાં કૂતરાં કરડવાના કેસો ચિંતાજનક સ્તરે, દરરોજ સરેરાશ 700થી વધુ લોકો શિકાર

થોડા સમય પહેલા જ ઉત્તર પ્રદેશમાં કૂતરાંના કરડવાથી હડકવાના કારણે રાજ્યકક્ષાના કબડ્ડી ખેલાડીનું મૃત્યુ થયું, તો કેરળમાં બે બાળકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ, ગુજરાતમાં પણ શ્વાન કરડવાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે રાજ્યમાં ડોગ બાઈટના 2.41 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે દરરોજ સરેરાશ 700થી વધુ લોકો આ સમસ્યાનો ભોગ બને છે.

Dog Bite
reddyurgentcarecenters.com

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાણીના કરડવાના કેસમાં વધારો

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં જ 2023 થી મે 2025 સુધી એનિમલ બાઈટના 29,000થી વધુ કેસ નોંધાયા છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, આમાંથી લગભગ 95% કેસ માત્ર કૂતરાં કરડવાના છે. આ ગાળામાં કુલ 17,789 પુરુષો, 5,696 મહિલાઓ અને 5,721 બાળકોને પ્રાણી કરડવાના કારણે સારવાર આપવામાં આવી છે.

Dog Bite
schmidtlaw.org

પ્રાણીનું કરડવું સામાન્ય નથી

હડકવા એ એવી ગંભીર બીમારી છે, જે મુખ્યત્વે કૂતરા, બિલાડી, વાંદરા કે ચામાચીડિયા જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓની લાળમાંથી ફેલાય છે. કૂતરાંના કરડવાથી થનારા હડકવાના 90%થી વધુ કેસ નોંધાય છે. ડૉક્ટરો જણાવે છે કે હડકવાનો વાયરસ શરીરમાં પ્રવેશ કર્યા પછી સીધી રીતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે અને ત્રણથી 12 અઠવાડિયામાં મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચે છે. પરિણામે દર્દી લકવાગ્રસ્ત બની શકે છે, કોમામાં જઈ શકે છે કે મૃત્યુ પામે છે. કેટલીકવાર લક્ષણો દેખાવામાં એક વર્ષથી વધુ સમય પણ લાગી શકે છે.

ડૉક્ટરોની સલાહ અનુસાર, કોઈપણ પ્રાણી કરડવાની ઘટના પછી તેને ક્યારેય અવગણવી જોઈએ નહીં અને તરત જ ડૉક્ટરની સલાહ લઇ જરૂરી રસીકરણ કરાવવું અનિવાર્ય છે.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.