ગુજરાતમાં કૂતરાં કરડવાના કેસો ચિંતાજનક સ્તરે, દરરોજ સરેરાશ 700થી વધુ લોકો શિકાર

થોડા સમય પહેલા જ ઉત્તર પ્રદેશમાં કૂતરાંના કરડવાથી હડકવાના કારણે રાજ્યકક્ષાના કબડ્ડી ખેલાડીનું મૃત્યુ થયું, તો કેરળમાં બે બાળકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ, ગુજરાતમાં પણ શ્વાન કરડવાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે રાજ્યમાં ડોગ બાઈટના 2.41 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે દરરોજ સરેરાશ 700થી વધુ લોકો આ સમસ્યાનો ભોગ બને છે.

Dog Bite
reddyurgentcarecenters.com

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાણીના કરડવાના કેસમાં વધારો

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં જ 2023 થી મે 2025 સુધી એનિમલ બાઈટના 29,000થી વધુ કેસ નોંધાયા છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, આમાંથી લગભગ 95% કેસ માત્ર કૂતરાં કરડવાના છે. આ ગાળામાં કુલ 17,789 પુરુષો, 5,696 મહિલાઓ અને 5,721 બાળકોને પ્રાણી કરડવાના કારણે સારવાર આપવામાં આવી છે.

Dog Bite
schmidtlaw.org

પ્રાણીનું કરડવું સામાન્ય નથી

હડકવા એ એવી ગંભીર બીમારી છે, જે મુખ્યત્વે કૂતરા, બિલાડી, વાંદરા કે ચામાચીડિયા જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓની લાળમાંથી ફેલાય છે. કૂતરાંના કરડવાથી થનારા હડકવાના 90%થી વધુ કેસ નોંધાય છે. ડૉક્ટરો જણાવે છે કે હડકવાનો વાયરસ શરીરમાં પ્રવેશ કર્યા પછી સીધી રીતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે અને ત્રણથી 12 અઠવાડિયામાં મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચે છે. પરિણામે દર્દી લકવાગ્રસ્ત બની શકે છે, કોમામાં જઈ શકે છે કે મૃત્યુ પામે છે. કેટલીકવાર લક્ષણો દેખાવામાં એક વર્ષથી વધુ સમય પણ લાગી શકે છે.

ડૉક્ટરોની સલાહ અનુસાર, કોઈપણ પ્રાણી કરડવાની ઘટના પછી તેને ક્યારેય અવગણવી જોઈએ નહીં અને તરત જ ડૉક્ટરની સલાહ લઇ જરૂરી રસીકરણ કરાવવું અનિવાર્ય છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.