મોંઘવારીનો વધુ એક માર, અદાણી બાદ ગુજરાત ગેસે CNGના ભાવમાં કર્યો મોટો વધારો

મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસ દ્વારા પણ CNGના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.3.75નો વધારો કર્યો છે. ગુજરાત ગેસ લિમિટેડે CNGના ભાવમાં પ્રતિ કિલો 3.75 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા બાદ વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકો અને કેબ ચાલકોના ખિસ્સા પર ભાર વધી જશે.

અગાઉ ગ્રાહકોને CNG માટે પ્રતિ કિલો રૂ.85.01 ચૂકવવા પડતા હતા. હવે આ ભાવવધારા બાદ ગુજરાત ગેસના CNGનો નવો દર પ્રતિ કિલો 88.76 રૂપિયા થઈ ગયો છે. કંપનીના નવા દર સોમવારની મધરાત બાદ અમલમાં આવ્યા છે. ગુજરાત ગેસના સત્તાવાર પોર્ટલ પર CNGના ભાવ ચકાસવાની સુવિધા ઉપલબ્ધ છે.

gujarat-gas
aninews.in
gujarat-gas2
aninews.in

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી સતત રહ્યા હોવાથી ઘણા વાહનચાલકો CNG વાહનો તરફ વળ્યાં હતા, પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી કંટાળીને લોકોએ CNG વાહનો ખરીદ્યા હતા. જોકે, હવે CNGના ભાવમાં પણ વધારો શરૂ થઈ ચૂક્યો છે. પહેલા અદાણી ટોટલ ગેસ લિમિટેડે CNGના ભાવમાં વધારો કર્યા બાદ હવે ગુજરાત ગેસે 3.75 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરી દીધો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના પુરવઠા અને ઇનપુટ કોસ્ટમાં થયેલા ફેરફારોને કારણે ગેસ વિતરણ કંપનીઓ દ્વારા આ વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ ભાવવધારાથી મધ્યમ વર્ગના વાહનચાલકો, કેબ ચાલકો અને ઓટો રિક્ષા ચાલકોના માસિક બજેટ પર ભારે અસર પડશે.

ઉલ્લેખનીય કે, અદાણી ગેસે 1 ઓગસ્ટ 2026ના રોજ CNGના ભાવમાં પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ અત્યારે CNG ગેસનો ભાવ 94.02 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

gujarat-gas
gujarati.news18.com

આ પહેલા 20 જુલાઈ 2026ના રોજ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા CNGના ભાવમાં 2 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો હતો. 27 મે 2026ના રોજ પ્રતિ કિલો 2 રૂપિયા, 16 મે 2026ના રોજ પ્રતિ કિલો 2.25 રૂપિયા અને 3 એપ્રિલ 2026ના રોજ પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો કરાયો હતો.

CNGના ભાવ નક્કી કરવામાં કુદરતી ગેસની કિંમત ઉપરાંત ગેસના પુરવઠા, પરિવહન અને અન્ય સંબંધિત ખર્ચ જેવા પરિબળોની અસર રહે છે. ગેસ વિતરણ કંપનીઓના ખર્ચમાં ફેરફાર થાય ત્યારે તેની અસર ગ્રાહકોને મળતા અંતિમ ભાવ પર પડી શકે છે. લોજિસ્ટિક્સ અને ડિલિવરી વાહનોમાં વપરાતા CNGના ભાવ વધવાથી શાકભાજી, દૂધ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના સ્થાનિક પરિવહન ખર્ચમાં પણ વધારો થવાની સંભાવના છે, જે આખરે છૂટક મોંઘવારીને વેગ આપી શકે છે.

About The Author

Related Posts

Top News

40 કરોડના ખર્ચે બનેલો રસ્તો પાણીની પાઇપલાઇનના પરીક્ષણમાં ધસી પડ્યો; ઘટના કેમેરામાં કેદ

જે રસ્તાને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આધુનિક સુવિધાઓથી લેસ અને સારા નિર્માણનું ઉદાહરણ ગણાવવામાં આવ્યું હતું, એ જ રસ્તો પાણીની...
National 
40 કરોડના ખર્ચે બનેલો રસ્તો પાણીની પાઇપલાઇનના પરીક્ષણમાં ધસી પડ્યો; ઘટના કેમેરામાં કેદ

શું અભિજીત દીપકે NDAમાં જોડાશે? કેન્દ્રીયમંત્રી અઠાવલેની ઓફર પર CJP ફાઉન્ડરે આપ્યો જવાબ

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકેને NDAમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું, ...
Politics 
શું અભિજીત દીપકે NDAમાં જોડાશે? કેન્દ્રીયમંત્રી અઠાવલેની ઓફર પર CJP ફાઉન્ડરે આપ્યો જવાબ

PM કેર્સ ફંડનો હિસાબ આવ્યો સામે, ખાતામાં છે 8452 કરોડ, એક વર્ષમાં ખર્ચ થયા 87 લાખ

તાજેતરના ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મુજબ, PM Cares ફંડ પાસે 2024-25 નાણાકીય વર્ષના અંતે ₹8,452 કરોડની રકમ હતી. નાણાકીય વર્ષ...
National 
PM કેર્સ ફંડનો હિસાબ આવ્યો સામે, ખાતામાં છે 8452 કરોડ, એક વર્ષમાં ખર્ચ થયા 87 લાખ

ટેક્સ આપીને મધ્યમ વર્ગને શું મળે છે? ભાજપથી છેડો ફાડ્યા પછી શહેઝાદ પૂનાવાલાએ સરકારને પૂછ્યા સવાલ

ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પાર્ટી છોડ્યા પછી દેશની સરકારો પર તીખા પ્રશ્નો પૂછ્યા છે. તેમણે કહ્યું કે ભારતના મધ્યમ...
Politics 
ટેક્સ આપીને મધ્યમ વર્ગને શું મળે છે? ભાજપથી છેડો ફાડ્યા પછી શહેઝાદ પૂનાવાલાએ સરકારને પૂછ્યા સવાલ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.