કાશ્મીરમાં આતંકી સાથેની અથડામણમાં ગુજરાતનો વીર જવાન શહીદ, પત્ની ગર્ભવતી હતા

જમ્મૂ-કશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં માત્ર 25 વર્ષના ગુજરાતી યુવાન શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે. મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના, પરંતુ અત્યારે અમદાવાદમાં રહેતા આ વીર સૈનિકનો પાશ્વરદેહ રવિવારે બપોરે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો તો  સેંકડોની સંખ્યામાં ભેગા થયેલા લોકોની આંખોમાંથી વીર જવાનને નમન કરતી વખતે આંખોમાંથી અશ્રુધારા વહેવવા માંડી હતી. જવાનને સન્માન આપવા માટે અમદાવાદ એરપોર્ટથી વિરાટ નગર તેમના ઘર સુધી લોકોની ભીડ જોવા મળી હતી અને જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે પરિવારના ચોધાર આંસુઓએ બધાને હચમચાવી મુક્યા હતા.

મુળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને અત્યારે અમદાવાદના વિરાટ નગરમાં રહેતા મહિપાલ સિંહ વાળા જમ્મૂ-કશ્મીરના કુલગામમાં  આતંકવાદીઓ સાથેની મૂઠભેડમાં શહીદ થઇ ગયા હતા. તેમની ઉમર માત્ર 25 વર્ષની હતી અને તેમના પત્ની ગર્ભવતી છે, મહિપાલ સિંહ પિતા તરીકે ખુશી મેળવે તે પહેલા આતંકવાદીઓની ગોળીએ આ વીર જવાનની ખુશી છીનવી લીધી હતી. દેશની સુરક્ષા માટે ગુજરાતી જવાને પોતાની જાન ન્યોછાવર કરી દીધી હતી.

ઇન્ડિયન આર્મીના વીર જવાન મહિપાલ સિંહ વાળાના પાર્થિવ દેહને રવિવારે વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેમની વિરાટ નગરના ઘરે અને પછી ઘરેથી સ્મશાન સુધીની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. મહિપાલ સિંહ શહીદ થયા હોવાની વાત લોકોને ખબર હતી એટલે જ્યારે તેમના પાર્થિવ દેહને એરપોર્ટથી વિરાટનગર લાવવામાં આવ્યો ત્યારે ઠેર ઠેર લોકોની ભીડ આ વીર જવાનને નમન કરવા માટે ઉભી હતી. વીર જવાનના માનમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.જ્યારે શહીદ જવાનની અંતિમ યાત્રા નિકળી તો લોકો તેમના આંસૂ રોકી શક્યા નહોતા. પુરા માન સન્માન સાથે જવાનને વિદાય આપવામાં આવી હતી.

વીર શહીદ જવાન મહિપાલ સિંહ વાળા વર્ષ 2016માં ભારતીય સેનામાં જોડાયા હતા અને મધ્ય પ્રદેશના જબલપુરમાં તેમણે 1 વર્ષની ટ્રેનિંગ લીધી હતી. તેમનુ પહેલું પોસ્ટિંગ આસામના ગૌહાટીમાં  થયુ હતું. ગૌહાટી પછી તેમનીપોસ્ટિંગ ચંદીગઢ થઇ હતી અને છેલ્લાં 6 મહિનાથી તેમની જમ્મ-કશ્મીર ખાતે બદલી કરવામાં આવી હતી.શહીદ જવાન મહિપાલનું પોસ્ટિંગ 34 રાષ્ટ્રીય રાઇફલમાં થયું હતું.

વીર જવાન મહિપાલ સિંહના હજુ તો 3 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને તેમના પત્ની અત્યારે ગર્ભવતી છે અને 9 મહિના પુરા થવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. મતલબ કે મહિપાલ સિંહ ટુંક સમયમાં પિતા બનવાની તૈયારીમાં હતા. પરંતુ એ પહેલાં તેઓ શહીદ થઇ ગયા છે.

About The Author

Related Posts

Top News

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ 37મી...
Gujarat 
સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હજીરા-સુરત, ડિસેમ્બર 17, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ને વીજ મંત્રાલય દ્વારા આયોજિત અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી...
Gujarat 
AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

હૈદરાબાદ (તેલંગાણા) [ભારત], 15 ડિસેમ્બર: સેવા વિતરણ અને ઝડપી પ્રતિભાવમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને, હૈદરાબાદ જિલ્લા કલેક્ટર હરિ...
National 
હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.