હાર્ટની એન્જીયોપ્લાસ્ટી સંબંધી સારવારનો ક્લેઈમ દર્દીને અગાઉથી ડાયાબિટીસ હોય તો...

સુરત, એક મહત્વના ચૂકાદામાં સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય)ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી.મેખીયા અને સભ્ય તીર્થેશ મહેતાએ હાર્ટની બિમારી અને ડાયાબીટીસની બિમારી વચ્ચે કોઈ સીધો સંબંધ નથી અને તેથી દર્દીની હાર્ટની એન્જીયોપ્લાસ્ટી સંબંધી સારવારનો ઈન્સ્યુરન્સ ક્લેઈમ દર્દીને અગાઉથી ડાયાબીટીસ હોય તો પણ ક્લેઈમ ચૂકવવાનો ઈન્કાર વીમા કંપની કરી શકે નહીં તેવું ઠરાવ્યું. વીમેદારને એન્જીયોપ્લાસ્ટીની સારવારના કલેઈમ ના રૂા. 2,38,977/- વ્યાજ વળતર અને ખર્ચ સહિત ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હૂકમ કર્યો.

કેસની વિગત મુજબ ફરિયાદીએ એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ અને ઈશાન શ્રેયસ દેસાઈ, મારફત એક ઈન્સ્યુરન્સ કંપની (સામાવાળા) વિરૂધ્ધ સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) સમક્ષ દાખલ કરાવેલી ફરિયાદમાં જણાવેલું કે ફરિયાદી સને-2006થી  ઈન્સ્યુરન્સ ધરાવતા હતા. ત્યારબાદ, એજન્ટના સૂચનથી વીમો સને-2015નાં અરસામાં તેમણે સામાવાળા વીમા કંપનીમાં પ્રોટેબીલીટી અન્વયે ટ્રાન્સફર કરાવેલી. સામાવાળા વીમા કંપનીના વીમાના 5 માં વીમાના જૂન-૨૦૨૦ ના અરસામાં ફરિયાદીને છાતીમાં દુખાવો થતા શહેર સુરતની હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયેલા. જયા ફરિયાદીને Exertional Angina હોવાનું નિદાન થયેલું. ત્યારબાદ, હોસ્પિટલમાં ફરિયાદીની એન્જીયોપ્લાસ્ટીની સર્જીકલ ટ્રીટમેન્ટ કરવામાં આવેલી. હોસ્પિટલે ફરિયાદીના સારવારની રકમ માટે કેશલેશ ધોરણે એપ્રુવર વીમા કંપની પાસે માંગેલું. પરંતુ વીમા કપંનીએ તે માટે ઈન્કાર કરેલું. જેથી સારવારનું કોઈ પૂરેપૂરૂ બીલ રૂા. 2,38,977/- ફરિયાદીએ હોસ્પિટલને ચૂકવી આપેલ. અને ત્યારબાદ, સામાવાળા વીમા કંપની સમક્ષ કલેઈમ કરેલો પરંતુ સામાવાળા વીમા કંપનીએ ફરિયાદીને 5 વર્ષ અગાઉથી ડાયાબીટીસ હોવાનું અને તે હકીકત ફરિયાદીએ વીમો લેતી વખતે છૂપાવી હોવાનું કારણ જણાવી ફરિયાદીનો કલેઈમ ચૂકવવાનો ઈન્કાર કરેલો. જેથી ફરિયાદીએ ગ્રાહક અદાલતના દરવાજા ખખડાવવાની ફરજ પડેલી.

31
Youtube.com

ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ અને ઈશાન શ્રેયસ દેસાઈએ દલીલો કરતા જણાવ્યું હતુ કે ફરિયાદીની ફરિયાદવાળી બિમારી Exertional Anginaની હતી. ફરિયાદવાળી બિમારીની જાણ સૌપ્રથમ જુન-2020માં થઈ હતી. જે માટે તબીબી સલાહ અનુસાર  ફરિયાદીએ સર્જરી કરાવેલ અને જરૂરી ટ્રીટમેન્ટ મેળવેલ. વળી, ફરિયાદીએ વીમો લીધા પહેલાં Exertional Angina સબંધિત કોઇ ટ્રીટમેન્ટ લીધેલ નથી. જેથી તે ડીસ્કલોઝ કરવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. વધુમાં, સામાવાળા જણાવે છે તે ડાયાબીટીસને ફરિયાદીની ફરિયાદવાળી બિમારી Exertional Angina સાથે કોઇ સીધો સંબંધ (Nexus) નથી.
વધુમાં, સામાવાળા દ્વારા કોઈ ઈન્વેસ્ટીગેશન કરવામાં આવેલ નથી સામાવાળાને જો કોઈ વિશે માહિતી કે ખુલાસાની જરૂર હોત તો સામાવાળા, ફરિયાદીને યા ટ્રીટીંગ ડોકટરને પૂછી શકયા હોત પરંતુ સામાવાળાએ તેમ પણ કર્યુ નથી. તેમજ ડોક્ટરની એફીડેવીટ પણ કરાવી નથી. અને, માત્ર અનુમાન આધારે ફરિયાદવાળો ક્લેઇમ નકાર્યો છે. આમ સામાવાળાએ ફરિયાદીનો સાચો અને વ્યાજબી ક્લેઈમ ખોટી અને ગેરવાજબી રીતે નામંજુર કરેલ છે.

સુરત જિલ્લા ગ્રાહક કમિશનના પ્રમુખ પી.પી. મેખિયા અને સભ્ય ડો. તીર્થેશ મહેતાએ કરેલ હૂકમમાં ડાયાબીટીસ એક લાઈફસ્ટાઈલ ડીસીસ છે. ફરિયાદીની બિમારી અને ડાયાબીટીસ વચ્ચે કોઈ અનિવાર્ય નથી. એવા કારણપર આવી ફરિયાદનો કલેઈમ રદ કરવાને વીમા કંપનીનું કૃત્ય ન્યાય સંગત ન હોવાનુ ઠરાવી સામાવાળા વીમા કંપનીએ ફરિયાદીને રૂા. 2,38,977/- વાર્ષિક 8% ના વ્યાજ સહિત તેમજ ત્રાસ અને હેરાનગતિનાં વળતરનાં 8,૦૦૦/- અને ફરિયાદીના ખર્ચનાં રૂા. 6,૦૦૦/- સહિત ચૂકવી આપવાનો આદેશ કરતો હૂકમ કર્યો છે.

About The Author

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.