અમરેલીમાં સુતેલા બે વર્ષના બાળકને દિપડો ગળામાંથી પકડીને ઉંચકી ગયો

ગુજરાતના અમરેલીમાં રવિવારના રોજ દિપડાના હુમલામાં બે વર્ષના બાળકનું મોત થયું છે. અમરેલી ગામમાં એક સપ્તાહમાં જાનવરના હુમલામાં બાળકોના મોતની આ ત્રીજી ઘટના છે. આ પહેલા સોમવારે દિપડાના હુમલામાં એક ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. તેના આગલા દિવસે મંગળવારે સિંહે પાંચ મહિનાના બાળકને મારી નાખ્યું હતું.

હાલની ઘટના રાજુલા રેન્જ ફોરેસ્ટ હેઠળ આવતા કતાર ગામમાં થઇ હતી. ઘટના વખતે બળક પોતાના પરિવાર સાથે સુઇ રહ્યો હતો. દિપડાએ બાળકનું ગળું પકડ્યું અને તેને જંગલમાં લઇ ગયો. જેમ પરિવારના લોકોએ બુમાબુમ કરી, તો દિપડો બાળકને ત્યાં જ છોડીને ભાગી ગયો. પરિવારના લોકો બાળકને હોસ્પિટલ લઇ ગયા, પણ ડોકટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો.

8 અને 9મી મેના રોજ અમરોલી જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં સિંહણ અને દિપડાએ બે બાળકોના જીવ લીધા હતા. આ હુમલામાં મરનારું એક બાળક પાંચ મહિનાનું હતું, જ્યારે, બીજાની ઉંમર ત્રણ વર્ષની હતી. 14મી મેના રોજ બનેલી ઘટનામાં 2 વર્ષના બાળકનો જીવ ગયો હતો.

ડેપ્યુટી કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ જયન પટેલે કહ્યું કે, પહેલી ઘટના સાવરકુંડલા તાલુકાના કર્જલા ગામની છે. અહીં સોમવારે રાતે દીપડાના હુમલામાં એક ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. ઘટના પછી વન વિભાગના કર્મચારીઓએ દિપડાને પાંજરામાં પુરી દીધો.

બીજી ઘટના જિલ્લાના લિલિયા તાલુકાના ખારા ગામ પાસેની છે. ત્યાં મંગળવારે સવારે એક મજૂર પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો. તેણ પોતાના પાંચ મહિનાના બાળકને ખેતરમાં ઝાડની નીચે સુવડાવ્યો હતો. ત્યારે એક સિંહણે બાળકને ઉઠાવને લઇ ગઇ.

પરિજનોએ જ્યારે બાળકને ઝાડની નીચે ન જોયો તો તેની તલાશ શરૂ કરી દીધી. થોડી વાર પછી બાળકનું માથું લગભગ અડધા કિલોમીટર દૂર મળ્યું. જયન પટેલે કહ્યું કે, મોકા પર હાજર પગના નિશાન અને સ્થાનિક લોકોના નિવેદનના આધાર પર માનવામાં આવ્યું કે, સિંહણે બાળક પર હુમલો કર્યો હતો.

મહારાષ્ટ્રના ગોંદયામાં 13મી માર્ચના રોજ એક ડુક્કરે બાળક પર હુમલો કર્યો હતો. તેનાથી બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળકો બહાર રમી રહ્યા હતા અને ત્યારે જ અચાનક ડુક્કર આવ્યું અને 10 વર્ષના બાળક પર હુમલો કરી દીધો અને બાળક ડુક્કરના હુમલામાં ઘાયલ થઇ ગયો.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.