સુરતની કોર્ટે રાહુલ ગાંધીને આપ્યો મોટો ઝટકો, સજા પર નહીં લાગે રોક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે રાહુલ ગાંધીની એ અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે ‘મોદી સરનેમ’ને લઈને માનહાનિના કેસમાં નીચલી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજા પર રોક લગાવવાની માગ કરી હતી. રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન ‘મોદી સરનેમ’ને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.

4 વર્ષ બાદ 23 માર્ચ 2023ના રોજ સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષી કરાર આપતા 2 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ જનપ્રતિનિધિ અધિનિયમ હેઠળ લોકસભા સચિવાલય તરફથી રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. જનપ્રતિનિધિ કાયદામાં પ્રવધાન છે કે, જો કોઈ સાંસદ કે ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેનાથી વધારે સજા થાય છે તો તેમની સભ્યતા (સંસદ અને વિધાનસભા) રદ્દ થઈ જાય છે. એટલું જ નહીં સજાની અવધિ પૂરી કર્યા બાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય પણ થઈ જાય છે.

સેશન્સ કોર્ટમાં અત્યાર સુધી શું થયું?

રાહુલ ગાંધીએ 2 એપ્રિલના રોજ નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ સુરત સેશન્સ કોર્ટ જવાનો નિર્ણય લીધો હતો. તેમના દ્વારા 2 અરજીઓ દાખલ કરવામાં આવી છે. પહેલી અરજીમાં સજા પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી, જ્યારે બીજી અરજીમાં અપીલનો નીકાલ ન થાય ત્યાં સુધી કન્વિક્શન પર રોક લાગાવનરી અરજી પર નોટિસ જાહેર કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, નીચલી કોર્ટમાં કેસની સુનાવણી ઉચિત નહોતી. આ કેસમાં મહત્તમ સજાની કોઈ જરૂરિયાત નથી. રાહુલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, જો નીચલી કોર્ટના 23 માર્ચના નિર્ણયને સસ્પેન્ડ અને સ્થગિત ન કર્યો તો તેનાથી તેમની પ્રતિષ્ઠાને ક્ષતિ થશે.

હવે રાહુલ ગાંધી પાસે શું છે વિકલ્પ?

રાહુલ ગાંધીની અરજી પર સેસન્સ કોર્ટના આજના નિર્ણયને ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે કેમ કે કોર્ટ જો સજા પર રોક લગાવતી તો તેનાથી રાહુલ ગાંધીની સંસદ સભ્યતા પાછી આવી શકતી હતી. હાલમાં જ લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલના કેસમાં પણ એવું જોવા મળ્યું હતું. જાન્યુઆરીમાં તેમને હત્યાના પ્રયાસમાં દોષી ઠેરવતા નીચલી કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ ફૈઝલની લોકસભા સભ્યતા રદ્દ થઈ ગઈ હતી.

ફૈઝલે નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ કેરળ હાઇ કોર્ટ જવાનો નિર્ણય લીધો હતો. જ્યાં ફૈઝલની સજા પર રોક લગાવી દેવામાં આવી હતી. જો કોર્ટ નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખે છે તો રાહુલ ગાંધી હાઇ કોર્ટ જઈ શકે છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019ના રોજ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, ‘નીરવ મોદી, લલીત મોદી, નરેન્દ્ર મોદીનું સરનેમ કોમન કેમ છે? બધા ચોરોનું સરનેમ મોદી કેમ હોય છે?’

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.