ગુજરાતમાં હવે હેલમેટ વિના પકડાયા તો દંડ નહીં થાય, પોલીસ કરશે આ કામ

હેલમેટ ટૂ-વ્હિલર ચાલકોની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે, હેલમેટ વિના ઘણા ટૂ-વ્હીલર ચાલકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાત સરકારે હાલમાં જ ટૂ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે ફરજિયાત હેલમેટનો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદા પછી સુરત અને રાજકોટમાં તેનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાયદાની વિરોધમાં માત્ર લોકો જ નહીં, પરંતુ સત્તાપક્ષ નેતાઓ અને વિરોધ પક્ષ બંનેએ જ નિરાશા વ્યક્ત કરી હતી. ગઇકાલે જ ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ ફરજિયાત હેલમેટના કાયદાને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહ વિભાગને વિચારવા કહ્યું હતું.

તો સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનવાલાએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને E-mail દ્વારા આવેદન આપીને ફરજિયાત હેલમેટના મામલે ફરી વિચાર કરવાની માગ કરી હતી. તેમણે પત્રમાં દંડના નામે થતી ખુલ્લી લૂંટપર ગંભીર આરોપ લગાવીને ફરજિયાત હેલમેટના મામલે વ્યાપક સમીક્ષા કરવાની માગ કરી હતી.

Gujarat Police
https://x.com/i/grok

સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં હેલમેટના દંડ સામે લોકોને પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘણા ધારાસભ્યો અને સ્થાનિક પ્રતિનિધિઓએ પણ આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે દંડ કરતા પહેલા લોકોમાં જાગૃતિ લાવવી વધુ જરૂરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સરકારે એક અલગ જ નિણર્ય લીધો છે. હવે જો તમે હેલમેટ વિના પકડાશો પોલિસ તમને તો દંડ કરવાને બદલે ગુલાબ આપશે.

સરકારના નવા નિર્ણય અનુસાર હવે હેલમેટ નહીં પહેરનારા વાહનચાલકોને તરત દંડ કરવામાં નહીં આવે, પરંતુ તેમના હાથમાં એક ગુલાબ આપીને શાંત અને સમજદારીપૂર્વક નિયમનું મહત્ત્વ સમજાવવામાં આવશે. પોલીસ વિભાગને પણ આ અંગે દિશા-નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે જ્યાં સુધી યોગ્ય જાગૃતિ ન ફેલાય ત્યાં સુધી દંડ ન કરવામાં આવે. લોકોને હેલમેટ પહેરવાની આવશ્યકતા અને તેની પાછળની સુરક્ષા અંગે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Gujarat Police
english.gujaratsamachar.com

અત્યારે દંડને નહીં લેવામાં આવે, પરંતુ હેલમેટ માટેનું સુરક્ષા અભિયાન રાજ્યભરમાં ચાલુ રહેશે. વાહનચાલકોને સતત જાગૃત કરવામાં આવશે કે હેલમેટ તેમના માટે જીવ બચાવનારી ઢાળ છે અને તે કોઇ પણ જાતનો દંડ ટાળવા માટે નહીં, પરંતુ પોતાની સુરક્ષા માટે છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકાર લોકોની ભાવનાઓને માન આપે છે, પરંતુ દરેક નાગરિકની પણ જવાબદારી છે કે તે નિયમોનું પાલન કરે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.