ગુજરાતમાં હવે હેલમેટ વિના પકડાયા તો દંડ નહીં થાય, પોલીસ કરશે આ કામ

હેલમેટ ટૂ-વ્હિલર ચાલકોની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે, હેલમેટ વિના ઘણા ટૂ-વ્હીલર ચાલકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાત સરકારે હાલમાં જ ટૂ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે ફરજિયાત હેલમેટનો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદા પછી સુરત અને રાજકોટમાં તેનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાયદાની વિરોધમાં માત્ર લોકો જ નહીં, પરંતુ સત્તાપક્ષ નેતાઓ અને વિરોધ પક્ષ બંનેએ જ નિરાશા વ્યક્ત કરી હતી. ગઇકાલે જ ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ ફરજિયાત હેલમેટના કાયદાને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહ વિભાગને વિચારવા કહ્યું હતું.

તો સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનવાલાએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને E-mail દ્વારા આવેદન આપીને ફરજિયાત હેલમેટના મામલે ફરી વિચાર કરવાની માગ કરી હતી. તેમણે પત્રમાં દંડના નામે થતી ખુલ્લી લૂંટપર ગંભીર આરોપ લગાવીને ફરજિયાત હેલમેટના મામલે વ્યાપક સમીક્ષા કરવાની માગ કરી હતી.

Gujarat Police
https://x.com/i/grok

સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં હેલમેટના દંડ સામે લોકોને પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘણા ધારાસભ્યો અને સ્થાનિક પ્રતિનિધિઓએ પણ આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે દંડ કરતા પહેલા લોકોમાં જાગૃતિ લાવવી વધુ જરૂરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સરકારે એક અલગ જ નિણર્ય લીધો છે. હવે જો તમે હેલમેટ વિના પકડાશો પોલિસ તમને તો દંડ કરવાને બદલે ગુલાબ આપશે.

સરકારના નવા નિર્ણય અનુસાર હવે હેલમેટ નહીં પહેરનારા વાહનચાલકોને તરત દંડ કરવામાં નહીં આવે, પરંતુ તેમના હાથમાં એક ગુલાબ આપીને શાંત અને સમજદારીપૂર્વક નિયમનું મહત્ત્વ સમજાવવામાં આવશે. પોલીસ વિભાગને પણ આ અંગે દિશા-નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે જ્યાં સુધી યોગ્ય જાગૃતિ ન ફેલાય ત્યાં સુધી દંડ ન કરવામાં આવે. લોકોને હેલમેટ પહેરવાની આવશ્યકતા અને તેની પાછળની સુરક્ષા અંગે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Gujarat Police
english.gujaratsamachar.com

અત્યારે દંડને નહીં લેવામાં આવે, પરંતુ હેલમેટ માટેનું સુરક્ષા અભિયાન રાજ્યભરમાં ચાલુ રહેશે. વાહનચાલકોને સતત જાગૃત કરવામાં આવશે કે હેલમેટ તેમના માટે જીવ બચાવનારી ઢાળ છે અને તે કોઇ પણ જાતનો દંડ ટાળવા માટે નહીં, પરંતુ પોતાની સુરક્ષા માટે છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકાર લોકોની ભાવનાઓને માન આપે છે, પરંતુ દરેક નાગરિકની પણ જવાબદારી છે કે તે નિયમોનું પાલન કરે.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.