ગુજરાતમાં હવે હેલમેટ વિના પકડાયા તો દંડ નહીં થાય, પોલીસ કરશે આ કામ

હેલમેટ ટૂ-વ્હિલર ચાલકોની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે, હેલમેટ વિના ઘણા ટૂ-વ્હીલર ચાલકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાત સરકારે હાલમાં જ ટૂ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે ફરજિયાત હેલમેટનો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદા પછી સુરત અને રાજકોટમાં તેનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાયદાની વિરોધમાં માત્ર લોકો જ નહીં, પરંતુ સત્તાપક્ષ નેતાઓ અને વિરોધ પક્ષ બંનેએ જ નિરાશા વ્યક્ત કરી હતી. ગઇકાલે જ ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ ફરજિયાત હેલમેટના કાયદાને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહ વિભાગને વિચારવા કહ્યું હતું.

તો સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનવાલાએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને E-mail દ્વારા આવેદન આપીને ફરજિયાત હેલમેટના મામલે ફરી વિચાર કરવાની માગ કરી હતી. તેમણે પત્રમાં દંડના નામે થતી ખુલ્લી લૂંટપર ગંભીર આરોપ લગાવીને ફરજિયાત હેલમેટના મામલે વ્યાપક સમીક્ષા કરવાની માગ કરી હતી.

Gujarat Police
https://x.com/i/grok

સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં હેલમેટના દંડ સામે લોકોને પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘણા ધારાસભ્યો અને સ્થાનિક પ્રતિનિધિઓએ પણ આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે દંડ કરતા પહેલા લોકોમાં જાગૃતિ લાવવી વધુ જરૂરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સરકારે એક અલગ જ નિણર્ય લીધો છે. હવે જો તમે હેલમેટ વિના પકડાશો પોલિસ તમને તો દંડ કરવાને બદલે ગુલાબ આપશે.

સરકારના નવા નિર્ણય અનુસાર હવે હેલમેટ નહીં પહેરનારા વાહનચાલકોને તરત દંડ કરવામાં નહીં આવે, પરંતુ તેમના હાથમાં એક ગુલાબ આપીને શાંત અને સમજદારીપૂર્વક નિયમનું મહત્ત્વ સમજાવવામાં આવશે. પોલીસ વિભાગને પણ આ અંગે દિશા-નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે જ્યાં સુધી યોગ્ય જાગૃતિ ન ફેલાય ત્યાં સુધી દંડ ન કરવામાં આવે. લોકોને હેલમેટ પહેરવાની આવશ્યકતા અને તેની પાછળની સુરક્ષા અંગે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Gujarat Police
english.gujaratsamachar.com

અત્યારે દંડને નહીં લેવામાં આવે, પરંતુ હેલમેટ માટેનું સુરક્ષા અભિયાન રાજ્યભરમાં ચાલુ રહેશે. વાહનચાલકોને સતત જાગૃત કરવામાં આવશે કે હેલમેટ તેમના માટે જીવ બચાવનારી ઢાળ છે અને તે કોઇ પણ જાતનો દંડ ટાળવા માટે નહીં, પરંતુ પોતાની સુરક્ષા માટે છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકાર લોકોની ભાવનાઓને માન આપે છે, પરંતુ દરેક નાગરિકની પણ જવાબદારી છે કે તે નિયમોનું પાલન કરે.

About The Author

Related Posts

Top News

માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

ચીની વૈજ્ઞાનિકો દ્રાક્ષના બીજમાંથી મેળવેલી PCC1 નામની દવા પર કામ કરી રહ્યા છે, જે ઉંદરોના આયુષ્યને 150 વર્ષ સુધી...
Science 
માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.