લગ્ન કરી દુલ્હન મંડપથી TET-2ની પરીક્ષા આપવા ગઈ, વર-જાનૈયાઓએ મંડપમાં જ રાહ જોઈ

ગુજરાતમાં રવિવાવરે TET-2ની પરીક્ષા લેવાઇ હતી. મહેસાણા જિલ્લાના ખેરાલુની યુવતીની એક પ્રેરણાત્મક વાત સામે આવી છે. આ યુવતીના લગ્ન સવારે થયા હતા. ત્યારબાદ તેણે TET-2ની પરીક્ષા આપી હતી અને પછી તેની વિદાય કરવામાં આવી હતી. ઠાકોર સમાજે છોકરીઓના વિકાસમાં ભાગીદાર બનવા માટે અનોખી પહેલ કરી છે. કન્યાના પતિ સહિત સાસરીયા પક્ષ પણ કન્યા પરીક્ષા આપીને આવે ત્યાં સુધી મંડપમાં જ તેની રાહ જોઇ હતી. આ બાબતને એ ગામના લોકો અને આખા રાજ્યના લોકો વખાણી રહ્યા છે.

ઠાકોર નૈના મહેન્દ્રસિંહે B.sc, B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે. નૈનાના લગ્ન અને પરીક્ષા એક દિવસે જ હતા. જો કે, પરિવાર અને સમાજના સહકાર સાથે સવારે કન્યાના લગ્ન કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને પરીક્ષા માટે મોકલવામાં આવી હતી. લગ્નના મંડપથી કન્યાને ખેરાલુથી અમદાવાદ પરીક્ષા આપવા માટે મોકલવામાં આવી હતી. આ દરમિયાન મંડપમાં જ વરરાજા, જાનૈયાઓએ કન્યાની રાહ જોઈ હતી.

આ અનોખી પહેલ બાબતે યુવતી નૈનાબેને જણાવ્યું કે, આજે મારી અમદાવાદમાં TET-2નું ગણિત-વિજ્ઞાનનું પેપર હતું. આજે મારે બે પરીક્ષા હોય તેમ લાગતું હતું, એક જીવનની અને એક હું ભણી છું તેની પરીક્ષા. આ બંને પરીક્ષા આપવામાં હું સફળ થઇ છું. તેથી આજે હું ખૂબ ખુશ છું. અમારા સમાજની દીકરીઓને હું કહેવા માગીશ કે, તે પોતાનો અભ્યાસ પૂરો કરે અને આગળ વધે. આ પરીક્ષા આપવામાં મને મારી ફેમિલીનો સપોર્ટ સૌથી વધારે હોય છે.

તો યુવતીના પિતાએ જણાવ્યું કે, 'અમે નૈનાના લગ્નનું મૂહુર્ત TETની તારીખ આવે તે પહેલા જ કઢાવી લીધું હતું. આ પરીક્ષાનું કોલલેટર અઠવાડિયા અગાઉ જ નીકળ્યું હતું. ત્યારે નૈના માટે લગ્ન અને પરીક્ષા આપવી બંને જરૂરી હતી એટલે અમે યોગ્ય મૂર્હુતે લગ્ન પણ થઈ જાય અને પરીક્ષા પણ આપી શકે તેવું આયોજન કર્યું હતું. અમારી છોકરી ભણવામાં પહેલાથી જ ખૂબ જ હોશિયાર હતી.

તેણે B.sc અને B.edમાં સારી ટકાવારી પણ લાવી છે. ત્યારે તેને TET-2 પરીક્ષા અપાવવી ખૂબ જરૂરી હતી, જેને લઈ પહેલા લગ્નનવિધિ પતાવીને પરીક્ષા આપવા માટે મોકલી દીધી હતી અને પરીક્ષા આપ્યા બાદ તેને વિદાય આપવામાં આવી હતી. આ બાબતે નૈનાના માતા જશોદાબેને જણાવ્યુ કે, 'મારી દીકરીએ પરીક્ષા આપી તે સારું કહેવાય નહીં તો બધાને એમ હોય કે, મારા લગ્ન છે એટલે પરીક્ષા નહીં આપું. પરીક્ષા આપી તે ખૂબ મહત્ત્વનું છે.'

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.