એક એવા સરપંચ, જેઓ મૃત*કના પરિવારને આપે છે 10,000 રૂપિયાની આર્થિક સહાય

જન સેવા એ જ પ્રભુ સેવા આ વાક્યને હકીકતમાં સાર્થક કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના સોનપરી ગામના યુવા સરપંચ તુષારભાઈ મેર.  તેમણે લોકોને મદદરૂપ થવા માટે એક અનોખી પહેલની શરૂઆત કરી છે. સરપંચ તરીકે ચૂંટાયા બાદ તુષારભાઈએ ગામમાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો તે પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે 10 હજાર રૂપિયા આપવાનું ચાલુ શરૂ કર્યું છે. આ રકમ સરપંચ પોતાની જાતે ભોગવે છે. આ રકમ ક્યારેય પાછી આપવાની હોતી નથી અથવા તો તેના માટે કોઈ શરત નથી.

sarpanch2
gujarati.news18.com

સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો દહાડી મજૂરી અને ખેતી-પશુપાલન પર આધાર રાખે છે, ત્યારે અચાનક આવી પડતી આપત્તિમાં ખર્ચને સંભાળવો મુશ્કેલ થઈ જાય છે. એવામાં આ 10 હજાર રૂપિયાની સહાય પરિવાર માટે આશીર્વાદ બની જાય છે. News18 ગુજરાતીના રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 7 પરિવારોને આ મદદ મળી ચૂકી છે.

તુષારભાઈ મેરેએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં 70% જેટલો વિસ્તાર આર્થિક રીતે પછાત છે. હું જ્યારે સરપંચ તરીકે ચૂંટણી લડવાનું વિચારી રહ્યો હતો, ત્યારે મેં નિર્ણય લીધો હતો કોઈપણ જ્ઞાતિમાં કુદરતી કે આકસ્મિક મૃત્યુ થાય તો તે પરિવારને 10 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવી, જે પરત ન લેવી. આ વિચાર મને તરત જ આવ્યો નહોતો, પરંતુ હું નાનપણથી અહીં રહ્યો છું, એટલે હું ગ્રામજનોની પરિસ્થિતિને સારી રીતે જાણું છું. ઘણા એવા પરિવારો છે જ્યાં આકસ્મિક આફત આવ્યા બાદ ઘરખર્ચ માટે પૈસા હોતા નથી.

sarpanch
gujarati.news18.com

તેમણે વધુમાં કહ્યું કે, પરિવારોના આવા દુઃખદ અનુભવોને જોતા, સેવાના ભાગરૂપે આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો છે. હું સરપંચ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં 7 લોકોનું નિધન થયું છે, જે ખરેખર દુઃખદાયી છે. આ 7 પરિવારોમાં ઘણા એવા હતા, જેમના ઘરમાં 500 રૂપિયા પણ નહોતા. આવા પરિવારો માટે આ આર્થિક સહાય ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ સિવાય ગ્રામજનોના આરોગ્યને ધ્યાનમાં રાખતા ગામમાં એક એમ્બ્યુલન્સ મૂકવાનો પણ નિર્ણય લીધો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.