CM અરવિંદ કેજરીવાલને હવે ગુજરાત યુનિવર્સિટીએ આપ્યો મોટો ઝટકો

અમદાવાદની એક કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહને સમન્સ જાહેર કર્યા છે. આ સમન્સ માનહાનિના કેસમાં જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના મુદ્દા પર યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપ્યું. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની ફરિયાદ પર પોલીસે IPCની કલમ 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો.

ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, પ્રેસ કોન્ફરન્સ અને ટ્વીટર હેન્ડલ પર અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી. તેનાથી પ્રતિષ્ઠિત સંસ્થાની છબીને નુકસાન પહોંચ્યું છે. જેના પર અમદાવાદ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ જયેશભાઈ ચોવાટિયાએ શનિવારે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ જાહેર કરીને 23 મેના રોજ ઉપસ્થિત થવા માટે કહ્યું છે. ફરિયાદકર્તાના વકીલે કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 70 વર્ષ અગાઉ કરવામાં આવી હતી અને લોકો વચ્ચે તેની પ્રતિષ્ઠા છે.

તેમણે આગળ કહ્યું કે, આરોપોથી લોકો વચ્ચે યુનિવર્સિટીની વિશ્વસનીયતાને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ‘જો ડિગ્રી છે અને એ જ સત્ય છે તો એ કેમ આપવામાં આવી રહી નથી? અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે, તેઓ ડિગ્રી એટલે આપી રહ્યા નથી કેમ કે બની શકે કે તે નકલી હોય! જો વડાપ્રધાને દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે તો ગુજરાત યુનિવર્સિટીએ એ વાતની ખુશી માનવી જોઈએ કે આપણો વિદ્યાર્થી દેશનો વડાપ્રધાન બની ગયો.

તો સંજય સિંહે કહ્યું કે, તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલી ડિગ્રીને અસલી બનાવવામાં આવે. કોર્ટની તપાસ દરમિયાન 4 સાક્ષીઓને પણ રજૂ કરવામાં આવ્યા. ગુજરાત યુનિવર્સિટીના વકીલે કહ્યું કે, આ નિવેદનથી એવો સંદેશ ગયો છે કે યુનિવર્સિટી નકલી ડિગ્રી આપે છે. રિપોર્ટ્સ મુજબ, ગુજરાત હાઇ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MAની ડિગ્રીને લઈને 31 માર્ચના રોજ નિર્ણય સંભળાવ્યો હતો. તેમાં હાઇ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં કોર્ટના નિર્ણય પર પોતાની વાત રાખતા યુનિવર્સિટીને લઈને કેટલીક વાતો કહી અને સવાલ ઊભા કર્યા હતા.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.