સુરતના બ્રિજ પર મોટું ગાબડું પડી ગયું, મહાનગરપાલિકા કહે ઉંદરોએ આ કર્યું

તમે એવા ઘણા ઉદાહરણો જોયા હશે, જેમાં તંત્રની પોલ ખૂલે અને પછી તેના માટે એવા કારણો દર્શાવવામાં આવે જેની આપણે અપેક્ષા પણ ન કરી હોય. ક્યારેક-ક્યારેક આવા જવાબો હાસ્યાસ્પદ પણ હોય છે. આવો જ કંઈક મામલો સામે આવ્યો છે સુરતથી. સુરતના રસ્તાઓ પર ભુવા પડવાની વાત તો સામાન્ય છે, પરંતુ આખા દેશમાં બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતના ભટાર ફલાય ઓવરબ્રિજ એપ્રોચના ભાગમાં લગભગ દોઢ ફૂટનું ગાબડું પડી ગયું હતું. આ મામલે બ્રિજ વિભાગના અધિકારીઓએ એવી ટિપ્પણી કરી છે જે સાંભળીને તમને 440 વોલ્ટનો ઝટકો લાગશે.

flyover1
pendervet.com

બ્રિજ વિભાગના અધિકારીઓએ બ્રિજમાં ગાબડાં પડવાના મામલે કહ્યું કે, મોટા ઉંદરોએ આ જગ્યા કોતરી હતી અને તેના કારણે નીચેની માટી એક તરફ ધસી ગઈ અને ગાબડું પડ્યું હતું. આવા ઉંદર આ કરતા મોટા ગાબડાં પણ પાડી શકે છે. જો કે, પાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી કરી આ ગાબડું પૂરી દીધું હતું.

flyover
bombaysamachar.com

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ આખા રાજ્યમાં તમામ બ્રિજોની ચકાસણી કરીને હેઠ રિપોર્ટ કાર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં બ્રિજને થયેલી ક્ષતિઓ અંગે પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે એવો પ્રશ્ન થાય કે આ રિપોર્ટ ભટાર એપ્રોચને ઉંદરો કોતરી રહ્યા છે તેની જાણ કેમ ન થઈ હોય? કે પછી રિપોર્ટ તૈયાર થયા બાદ ઉંદરોએ કોતરવાનું ચાલુ કર્યું હશે?

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.