ધીરેન્દ્ર શાસ્ત્રી જો પેકેટના હીરાની સંખ્યા બતાવી દે તો.., હીરાના વેપારીનો પડકાર

ગુજરાતની મુલાકાતે આવી રહેલા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદ શરૂ થયો છે તેમાં હવે સુરતના હીરાના વેપારી પણ ઝંપલાવી દીધું છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી થોડા દિવસોમાં ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજવાના છે. તેમની મુલાકાતના કારણે દિવ્ય દરબારનો વિરોધ જોવા મળી રહ્યો છે. આ જોઈને સુરતના હીરાના વેપારીએ પણ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ અને રાજકોટમાં પણ બાગેશ્વર બાબાને પડકાર ફેંકવામાં આવ્યા હતા.

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારથી વિવાદ શરૂ થયો છે. રાજકોટ અને અમદાવાદ પછી સુરતના હીરાના વેપારી જનક બાબરીયાએ પડકાર ફેંકતા કહ્યું છે કે, જો મને બાબાના દિવ્ય દરબારમાં જવાનું આમંત્રણ મળશે તો હું એક પોલિશ્ડ ડાયમંડ ભરેલું પેકેટ લઇને જઇશ. જો બાબા મને બતાવશે કે મારી પાસેના પેકેટમાં કેટલા હીરા છે તો એ પોલીશ્ડ ડાયમંડનું પેકેટ હું તેમના ચરણોમાં સમર્પિત કરી દઇશ અને તેમની દૈવી શક્તિનો સ્વીકાર કરી લઇશ.

જનક બાબરિયાએ કહ્યું કે 22 મેથી તેઓ ગુજરાતાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવા જઇ રહ્યા છે. બાગેશ્વર સરકારથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરતમાં 26 અને 27 મેના દિવસે થવાનો છે. બાબરિયાએ કહ્યું કે આ દરબારમાં ચમત્કાર, અંધવિશ્વાસ અને તેમની દૈવી શક્તિ વિશે કહેવામાં આવે છે, જેનો તેઓ વિરોધ કરશે.

હીરાના વેપારી જનક બાબરિયાએ કહ્યું કે બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં અનેક લોકો જતા હોવાથી સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ અમે સરકારને પત્ર લખીશું. બાબરિયાએ કહ્યું કે, અમે દરેક અમદાવાદ, સુરત, રાજકોટ દરેક જિલ્લાના કલેકટરને દિવ્ય દરબાર રદ કરવા માટે આવેદન પત્ર આપીશું.

બાબરિયાએ કહ્યુ કે ગુજરાતના લોકોએ આવા અંધવિશ્વાસ અને દૈવી ચમત્કારોનો ક્યારેય વિશ્વાસ કર્યો નથી અને કરશે પણ નહી. આવા તો અનેક બાબા ગુજરાતાં આવ્યા છે. પહેલા ધબુડી માના નામની ચર્ચા થતી હતી, પરંતુ ગુજરાતની જનતાએ નિંદા કરી હતી. જનક બાબરિયાએ કહ્યું કે ગુજરાતના લોકો જલારામ અને બાપા સીતારમ જેવા સંતોને આદર્શ સંત માને છે, કારણકે તેમને ક્યારેય દિવ્ય દરબાર કે ચમત્કારની વાત કરતા નહોતા.

About The Author

Related Posts

Top News

AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચા છે. અમદાવાદના 16 બ્રિજ પર...
Gujarat 
AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.