વડોદરામાં પિતાએ પુત્રને ગળેફાંસો આપી પોતે જીવન ટૂંકાવી લખ્યું- પત્નીનો ત્રાસ...

છેલ્લા ઘણા સમયથી આપઘાતના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ચોંકાવનારો આપઘાતનો બનાવ વડોદરાના બાપોદ ગામમાં સામે આવ્યો છે. જેમાં બાપોદ ગામમાં રહીને રિક્ષા ચલાવી પોતાનું જીવન ગુજરાન ચલાવતા યુવકે પોતાના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. આ યુવકે આપઘાત કર્યા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, તેણે 'પોતાની પત્નીથી ત્રાસીને ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે.' જે અંગે હાલ તો બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ પર આવેલ બાપોદ ગામ ખાતે વુડાના મકાનમાં રહેતા 32 વર્ષના પરેશ કનુભાઇ સીંકલીગરે પોતાના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. પરેશભાઇ રીક્ષા ચાલક હતા અને તેઓ પોતાના 11 વર્ષના પુત્ર તેમજ પત્ની આશાબેન સાથે રહેતા હતા. શનિવારના રોજ બપોરના સમયે પોતાના ઘરમાં જ તેમણે પહેલા પુત્રને ગળા ફાંસો આપીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ ઘરના બીજા રૂમમાં જઇને તેણે પોતે પણ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક પરેશભાઈની પત્ની આશાબેન બંગલાઓમાં કામ કરવા જતી હોય છે જ્યાંથી તે બપોરના સમયે કામ કરીને જ્યારે ઘરે પરત ફરી ત્યારે તેણે ઘરનો દરવાજો નહીં ખૂલતાં બૂમો પાડી હતી. તો પણ અંદરથી કોઇએ દરવાજો ન ખોલતા. તેની બૂમો સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં આવી ગયા હતા. ત્યારબાદ ચોથા માળેથી ઘરમાં જઈને એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો.

જો કે, પત્ની અને આસપાસનાં લોકો દરવાજો ખોલતા જ એકદમ ચોંકી ગયા હતા. જે બાદ સમગ્ર ઘટનાની જાણ બાપોદ પોલીસને કરવામાં આવતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ, સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતાં પોલીસને ઘરમાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં પરેશભાઈએ આ અંતિમ પગલું ભરવા પહેલા પોતાની વ્યથા વર્ણવી હતી. તેમણે લખ્યુ હતુ કે, 'પત્નીનાં ત્રાસથી કંટાળીને હું આત્મહત્યા કરું છું. પરંતુ મારા માર્યા પછી પુત્રનું પણ મારી પત્ની ધ્યાન નહીં રાખે. જેથી તેની દુર્દશા થશે તેના કરતા તેને પણ સાથે લઇ જાઉં છું. આથી પુત્રની ચિંતા જ ના રહે.'

આ સાથે જ ચિઠ્ઠીમાં તેમણે લખ્યું છે કે, 'મારા બે મિત્રોએ મને આર્થિક સંકટમાં ખૂબ જ મદદ કરી છે. મારા મિત્રોએ મકાન ઉપર લોન લઇને મને પૈસા આપ્યા છે. મારા મિત્રોએ સખી મંડળમાંથી લોન લીધી છે. તેઓને હું પૈસા આપી શક્યો નથી તે બદલ હું માફી માંગુ છુ. મારી રિક્ષા વેચીને તેમને પૈસા પરત કરી દેજો. મારા મિત્રોએ મને અંતિમ સમયે મદદ કરી હતી.' આ સાથે જ પરેશભાઇએ વધુમાં લખ્યું છે કે, 'હું મોટી બહેનની માફી માંગુ છુ.' મોટી બહેનનાં રૂપિયા પણ પરત નહીં આપતા પરેશભાઈએ મોટી બહેનની પણ માફી માંગી છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.