વજૂભાઇ વાળાએ PM મોદીની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરી દીધી, કહ્યું- કૃષ્ણની જેમ...

ગુજરાતના રાજકોટમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં સામેલ થવા આવેલા રાજ્યના પૂર્વ નાણા મંત્રી અને કર્ણાટકમાં રાજ્યપાલ રહી ચૂકેલા વજૂભાઇ વાળાએ બે મોટા નિવેદનો આપીને રાજકારણને ગરમાવી દીધું હતું. તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર ભાજપ કેટલી જીતશે તેની પર નિવેદન આપ્યુ હતું અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્દ મોદીની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરી દીધી હતી.

રાજકોટ વજૂભાઇ વાળાનું નેટિવ છે અને રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારનું અદકેરું મહત્ત્વ છે. આખું રાજકોટ જન્માષ્ટમીના તહેવારમાં કૃષ્મય બની જાય છે. શુક્રવારે રાજકોટમાં જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે યોજાયેલી ધર્મ સભામાં ભાગ લેવા પહોંચેલા ભાજપના દિગ્ગજ નેતા વજૂભાઇ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે હિંમત કરવામાં આવે તો ધાર્યું પરિણામ મળી શકે છે. તેમણે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી વિશે બોલતા કહ્યું હતું  કે ભાજપમાં અઘરું છે, પરંતુ અશક્ય નથી. ગુજરાતમાં જીતશે તો ભાજપ એમ પણ તેમણે કહ્યુ હતું.

વજૂભાઇ વાળાએ કહ્યુ કે ગુજરાતમાં ત્રીજો,ચોથો કે પાંચમો મોરચો આવે, તો પણ જીતશે તો ભાજપ જ. ભાજપ પણ કોઇ પણ આહવાન કરે છે તો તેને પુરું કરવાની ક્ષમતા ધરાવે છે.

વાળાએ બીજું મહત્ત્વનું નિવેદન એ આપ્યું હતું કે PM મોદીએ ભગવાન કૃષ્ણની જેમ સગાવાદને ક્યારેય મહત્ત્વ આપ્યું નથી. ભગવાન કૃષ્ણએ ધર્મ માટે મામા કંસનો વધ કર્યો હતો. PM મોદી પરિવારવાદ અને ભ્રષ્ટાચારનો વિરોધી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે અને બધા રાજકીય પક્ષો પોતપોતાના સમીકરણો ગોઠવવામાં પડી ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જયારે પ્રદેશ પ્રમુખ બન્યા હતા ત્યારે એવું કહ્યુ હતું કે ગુજરાતમાં ભાજપ બધી 182 બેઠકો પર જીત મેળવશે.

જો કે આ વખતે આમ આમ આદમી પાર્ટીને એન્ટ્રીને કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ  થવાનો છે. ભાજપે તો ક્યારનોય ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને આમ આદમી પાર્ટીને નેતા અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતો વધી ગઇ છે અને તેમણે અહીં ગેરંટી આપવાનું શરૂ કરી દીધું છે.કોંગ્રેસે પણ ઝોન વાઇસ ધમધમાટ શરૂ કર્યો છે.

હવે ભાજપના નેતા વજૂભાઇ વાળાએ આમ આદમી પાર્ટી સામે આડકતરી રીતે નિશાન સાધતા કહ્યુ હતું કે ગુજરાતમાં ત્રીજો, ચોથો, પાંચમો કેટલાં પણ મોર્ચા આવે જીતશે તો ભાજપ જ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.