સ્વામિનારાયણ સાધુના જલારામ બાપાના નિવેદન સામે વીરપુર 2 દિવસ બંધ, રૂપાલા કહે- સ્વામીની હેસિયત નથી

વડતાલ સ્વામીનારાયણ સંપદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી વિસ્તારાં એક સત્સંગ કાર્યક્રમમાં જલારામ બાપા વિશે જે નિવેદન આપ્યું તેને કારણે લોહાણા સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. સમાજના લોકોએ મંગળવાર અને બુધવાર એમ બે દિવસ માટે વીરપુર બંધ રાખવાની જાહેરાત કરી હતી અને મંગળવારે વીરપુર સજ્જડ બંધ રહ્યું હતું.

જ્ઞાનપ્રકાશે કહ્યું હતું કે, જલારામ બાપાએ ગુણાતીત સ્વામીને કહ્યું હતું કે, સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે, વીરપુરમાં કાયમ સદાવ્રત ચાલતું રહે. ગુણાતીત સ્વામીએ આર્શીવાદ આપ્યા હતા અને કહ્યું હતું કે, તમારા ભંડાર હમેંશા ભરેલા રહેશે.

ભારે હોબાળા પછી જ્ઞાનપ્રકાશે માફી માંગી લીધી છે, પરંતુ લોહાણા સમાજે માંગ કરી છે કે સ્વામી વીરપુર જલારામ બાપાના મંદિરે આવીને માફી માંગે. આ મુદ્દે પાટીદાર નેતા અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પણ ભડક્યા હતા તેમણે કહ્યું હતું કે જલારામ બાપા વિશે બોલવાની સ્વામીની હેસિયત નથી. 

આ દુઃખદ ઘટના છે. જલારામ બાપા પ્રત્યે દેશ અને દેશ બહાર શ્રદ્ધા ધરાવતો ખૂબ મોટો વર્ગ છે. જલારામ બાપા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે. વિશ્વમાં કદાચ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય જે અત્યારના સમયે અત્યંત દુર્લભ કહેવાય, જ્યાં માણસોને પૈસા ન ધરવા માટે પૈસા રાખીને રાખ્યા છે. જે સ્વામીએ આ નિવેદન આપ્યું છે હું તેનું નામ પણ જાણતો નથી. આવા સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાય અન્ય સંતો અને અનુયાયીઓ દ્વારા જ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આવા નિવેદનથી સંપ્રદાયે બચવું જોઈએ, આ ખૂબ જ દુઃખદ વાત છે. જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.

About The Author

Related Posts

Top News

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે....
Politics 
મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.