ખેડૂતો માટે આનંદ સમાચાર, નર્મદા ડેમ ઓવરફલો થતા સૌરાષ્ટ્રના આ ડેમને ભરવામાં આવશે

નર્મદા સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થતા સૌરાષ્ટ્રમાં જળ સંકટ હળવું થયું છે. જેનાથી સૌરાષ્ટ્રના લોકોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો છે. નર્મદાનુ પાણી ચાર લીંકથી નર્મદાની પાણી સૌરાષ્ટ્રના ડેમોમાં પહોંચાડવામાં આવશે. લીંક 1ની મદદથી જામનગરના ઊંડ-1માં પાણી પહોંચશે. લીંક -3ની મદદથી આજી-1, ન્યારી-2 અને ભાદર-1માં નર્મદાની પાણી પહોંચશે. આ ડેમમાં આખા વર્ષ દરમિયાન ચાલે તેટલું પાણી ભરવામાં આવશે. આ બાબતે સૌની યોજના સાથે સંકળાયેલા અધિકારીઓનુ કહેવું છે કે, પીવાની પાવી રિજર્વ રહી શકે તે માટેનું તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના પાણીથી ભરાવાના કારણે સૌથી મોટો ફાયદો ખેડૂતોને થશે. ગત વર્ષે અછત જેવો માહોલ જોવા મળ્યો હતો. આ જળસંકટમાં નર્મદાના નીર ગુજરાતના લોકો માટે જીવાદોરી સાબિત થયા હતા. સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યા પર સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર પહોંચતા જળ સંકટ થયુ ન હતુ અને ફરી એક વાર સૌની યોજના અંતર્ગત 4 લીંકની મદદથી નર્મદા ડેમ ઓવરફ્લો થતા સૌરાષ્ટ્રના ડેમો ભરવામાં આવશે અને તેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. નર્મદા ડેમ ઓવર ફ્લો થવાના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે નર્મદાના નીરના વધામણા કર્યા હતા.

આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમ અને તેનુ નેટવર્ક આપણા માટે જીવ દોરી સમાન છે. આજે આનંદની વાત છે કે, ડેમનું કામ પૂર્ણ થયું અને દરવાજા લાગી ગયા પછી પહેલી વખત આજે મહત્તમ સપાટી ઉપરવાસના વરસાદને કારણે આવ્યું છે. ડેમના દરવાજા ખોલવા પડ્યા છે અને સંપૂર્ણ ડેમ આજે ભરાઈ ગયો છે. આજે હું અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ચીફ સેક્રેટરી નર્મદાના ચેરમેન કૈલાશ નાથન, MD રાજીવ ગુપ્તાએ માં નર્મદાને પ્રમામ કરીને નર્મદાના નીરના વધામણા કર્યા છે. કાલ રાતથી જ પાણી છોડવામાં આવ્યું છે. તમામ કેનાલો એટલે કે, બ્રાંચ કેનાલો, કચ્છથી માંડીને બનાસકાંઠા સુધી અને આ બાજુ સૌરાષ્ટ્રની કેનાલો આ બધામાં મહત્તમ પાણી છોડીને સૌની યોજનાના ડેમો સુજલામ સુફલામ યોજનાના તળાવો, નદીઓ આ પાણી વહેવડાવીને પાણી ડાયવર્ટ કરવાનો આપણને મોકો મળ્યો. ગુજરાતમાં છેલ્લા 20 વર્ષની મહેનત અને ટેકનીકલની કાર્યક્ષમતા આજે પૂરવાઈ થઇ છે કે, નેવાના પાણી મોભે ચડાવવા. આ બધી પાણી અહીંથી 400-500 કિલોમીટર સુધી અહીંથી ડાયવર્ટ કરીને પહોંચાડીને ગુજરાતના ખેડૂત અને ગુજરાતની જનતાને પીવા માટે આ પાણીને ત્યાં સુધી પહોંચાડી દઈશું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.