મામી સાથે હતા ભાણીયાના ગેરસંબંધ, મામાને દારૂ પીવડાવી....

ઉત્તર પ્રદેશના બરેલીમાં મામી સાથે પ્રેમ પ્રસંગના કારણે ભાણેજે પોતાના જ મામાની હત્યા કરી નાખી. પોલીસે હત્યાના આરોપી ભાણેજ, તેના સાથી અને મામીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે જે વ્યક્તિની હત્યા થઇ છે, તેની પત્નીનું તેના ભાણેજ સાથે અફેર ચાલી રહ્યું હતું. મામી, ભાણેજ અને તેના સાથીએ મળીને આ હત્યાકાંડ કર્યો હતો. આ ત્રણેયે મામાને 20 સપ્ટેમ્બરના રોજ દારૂ પીવડાવીને તેમને રેલવેના પાટા પર સૂવડાવી તેમને મોતના ઘાટે ઉતાર્યા હતા.

આ કેસ બરેલીના ફતેગંજનો છે. જ્યાં આરતી નામની મહિલાનું તેના જ ભાણ્યા માનવેન્દ્ર સાથે અફેર ચાલી રહ્યું હતું. આ વાતને લઇ આરતી અને તેના પતિ રામવીરના સંબંધમાં ખટાશ આવી ગઇ. પછી ઝઘડો એટલો વધી ગયો કે આરતીએ માનવેન્દ્ર અને તેના એક સાથી સાથે મળીને રામવીરની હત્યા કરાવી દીધી.

પત્નીએ કરાવી પતિની હત્યા

ગયા અઠવાડિયે રામવીરનું શવ પાટા પાસેથી મળી આવ્યું હતું. પહેલા જોતા પોલીસને લાગ્યું કે ટ્રેનથી કપાઇને તેની મોત થઇ છે. પણ ભાઈની મિસિંગ રિપોર્ટ પછી તપાસ શરૂ કરવામાં આવી તો પોલીસને ચોંકાવનારી જાણકારી મળી. પોલીસને જાણ થઇ કે મૃતક રામવીરની પત્નીનું ઘણાં વર્ષોથી માનવેન્દ્ર નામના યુવક સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે. આના આધારે તપાસ આગળ વધારવામાં આવી તો હત્યાકાંડ સામે આવ્યો.

પોલીસ અનુસાર, આરતીના કહેવા પર માનવેન્દ્રએ રામવીરને બોલાવી દારૂ પીવડાવી બેભાન કર્યો. ત્યાર પછી તેને રેલવેના પાટા પર ફેંકી દીધો. જેને લીધે ચાલતી ટ્રેનથી કપાઇને રામવીરનું મોત થયું. જ્યારે પોલીસે આરતી અને માનવેન્દ્રને કસ્ટડીમાં લીધા તો પહેલા તેમણે કહાણી બનાવી પણ ત્યાર બાદ કડક પૂછપરછમાં બંનેએ હકીકત જણાવી દીધી.

આરતીએ કહ્યું કે, રામવીર તેને હેરાન કરતો હતો. તેની સાથે એ ખુશ નહોતી અને માનવેન્દ્ર સાથે રહેવા માગતી હતી. માટે તેણે માનવેન્દ્ર દ્વારા તેની હત્યા કરાવી દીધી. આ કાવતરામાં માનવેન્દ્રએ પોતાના મિત્રને પણ સામેલ કર્યો હતો. હાલમાં ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ કેસ વિશે જાણકારી આપતા એસપી મુકેશ મિશ્રાએ જણાવ્યું કે, રામવીર નામના વ્યક્તિની હત્યાના કેસનો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીનું નામ માનવેન્દ્ર છે, જે મૃતકનો ભાણેજ છે. માનવેન્દ્રએ સૌરભ નામના એક વ્યક્તિને પણ આ કાવતરામાં સામેલ કર્યો હતો. તેની સાથે પોલીસે મૃતકની પત્ની આરતીની પણ ધરપકડ કરી લીધી છે. હત્યાકાંડનું કારણ મૃતક રામવીરની પત્નીનું દૂરના સગામાં લાગતા ભાણેજ સાથેનો પ્રેમ સંબંધ છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.