EVM પર સવાલ ઉઠતા CECનો શાયરાના અંદાજ- વફા ખુદ સે નહીં હોતી, ખતા EVM કી કહતે હો

ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી અને ફરીએકવાર EVM પર તેમને સવાલ પૂછાયો હતો, જેનો જવાબ રાજીવ કુમારે શાયરાના અંદાજમાં આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી કેમ્પેઇન દરમિયાન પર્સનલ એટેકથી બચજો અને ડેકોરમ જાળવી રાખજો. ત્યાર બાદ તેમણે પ્રસિદ્ધ શાયર બશીર બદ્રનો એક શેર સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,

दुश्मनी जम कर करो लेकिन ये गुंजाइश रहे 

जब कभी हम दोस्त हो जाएँ तो शर्मिंदा न हों 

રાજીવ કુમારે EVM પર સવાલ ઉઠાવનારાઓ પર પણ એક શાયરી કહી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે,

अधूरी हसरतों का इल्जाम हर बार हम पर लगाना ठीक नहीं, 

वफा खुद से नहीं होती खता ईवीएम की कहते हो.

7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી, 7 મેના રોજ ગુજરાતમાં થશે ચૂંટણી, 4 જૂને પરિણામ

દુનિયાની સૌથી મોટી લોકસભા ચૂંટણીના કાર્યક્રમ અંગે શનિવારે ચીફ ઇલેક્શન કમિશ્નર ઓફ ઇન્ડિયા રાજીવ કુમારે પત્રકાર પરિષદને સંબોધી હતી. લોકસભા ચૂંટણી માટે ઈલેક્શન કમિશને તારીખોની જાહેરાત કરી દીધી છે. 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 19 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થશે, જેમાં 102 સીટ પર મતદાન થશે. 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે, જેમાં 89 સીટ પર મતદાન થશે.7 મેએ ત્રીજા તબક્કાનું મતદાન થશે, જેમાં 94 સીટ પર મતદાન થશે.13 મેએ ચોથા તબક્કાનું મતદાન થશે, જેમાં 96 સીટ પર મતદાન થશે.20 મેએ પાંચમા તબક્કાનું મતદાન થશે, જેમાં 49 સીટ પર મતદાન થશે.25 મેએ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે, જેમાં 57 સીટ પર મતદાન થશે. 1 જૂને સાતમા તબક્કાનું મતદાન થશે, જેમાં 57 સીટ પર મતદાન થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે અને ચૂંટણીનું પરિણામાં 4 જૂનના રોજ આવશે.

હાઇલાઇટ્સ...

- 543 બેઠકો

- 7 તબક્કામાં ચૂંટણી થશે

- 19 એપ્રિલથી વોટીંગ 102 બેઠકો પર મતદાન શરૂ થશે

- 4 જૂન 2024 પરિણામ જાહેર થશે

 -97 કરોડ કુલ મતદારો

- 49 કરોડ 70 લાખ પુરુષ મતદારો

- 47 કરોડ 15 લાખ મહિલા મતદારો

- 1 કરોડ 80 લાખ નવા મતદારો ઉમેરાયા

- 55 લાખ  EVMનો ઉપયોગ

- 10. 5 લાખ પોલીંગ બૂથ

- 1 એપ્રિલ 2024ના દિવસે 18 વર્ષ પુરા થતા હશે તે મત આપી શકશે

-88.5 લાખ દિવ્યાંગ મતદારો

- 2019ની સરખામણી 2024માં 6 ટકા મતદારો વધ્યા

- ચૂંટણીમાં હિંસા નહી થવા દેવાશે, ચૂંટણી પંચ કડક પગલાં ભરશે

- ધન- બળનો પ્રયોગ નહીં થઇ શકે

- હિસ્ટ્રી પર નજર રખાશે

-સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર રાખવામાં આવશે.

- જાતિ- ધર્મના નામે મત નહીં માંગી શકાશે.

Related Posts

Top News

કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
National 
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત

બેંગલુરુમાં બુધવારે એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે લાખો ચાહકો IPL 2025 ની વિજેતા RCB ટીમની વિજય પરેડમાં હાજરી આપવા...
National 
સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત

એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોની દરરોજ ઘણી ફરિયાદો આવતી રહે છે. ક્યારેક 'રેલ નીર' બોટલના ઓવરચાર્જિંગ વિશે, ...
National 
એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!

ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, આમ તો ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની સંભાવના હતી, પરંતુ દક્ષિણ દિશા તરફ વરસાદ અટકી...
Gujarat 
ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.