વૈષ્ણો દેવી જઈ રહેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 10 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થઈ ગયો છે. અમૃતસરથી કટરાથી જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક બસ ઊંડી ખાણમાં ખાબકી ગઈ હતી. આ દરમિયાન અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ગયા છે જ્યારે એક ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જમ્મુ જિલ્લા કલેક્ટર કાર્યાલયે કહ્યું કે, ઇજાગ્રસ્તોને સરાકરી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલોમાં દાખલ કરાવવામાં આવ્યા છે. બસ તીર્થયાત્રીઓને લઈને વૈષ્ણો દેવીના દર્શન કરાવવા જઈ રહી હતી.

રિપોર્ટ્સ મુજબ, અકસ્માત જમ્મુના ઝજ્જર કોટલી પાસે થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે જેવી જ બસ નેશનલ હાઇવે 44 પર પહોંચી. બસ અનિયંત્રિત થઈને ઊંડી ખાણમાં ખાબકી.બસમાં લગભગ 70 લોકોના સવાર હતા, જ્યા જે કટરામાં વૈષ્ણો દેવીના દર્શન માટે જઇ રહ્યા હતા, જેમાંથી 10 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઇ ગયા, જ્યારે કેટલાક લોકોની હાલત ગંભીર છે. જમ્મુના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કોહલીએ જણાવ્યું કે, 20 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે. બચાવ અભિયાન ચાલી રહ્યું છે. સ્થાનિક લોકો બચાવ અભિયાનમાં પોલીસની મદદ કરી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જમ્મુ-કશ્મીરના રિયાસી જિલ્લામાં 21 મેના રોજ માતા વૈષ્ણો દેવીના દર્શને જઈ રહેલા તીર્થયાત્રીઓને લઇને જઈ રહેલી બસ પલટી જવાથી 27 વર્ષીય મહિલાનું મોત થઈ ગયું હતું અને 24 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. તો જમ્મુ-કશ્મીરના ડોડા જિલ્લામાં ચિનાબ નદીના તટ પર એક ખાનગી કાર કથિત રીતે રોડથી અનિયંત્રિત થઇને 300 ફૂટ નીચે પડી ગઈ, જેથી તેમાં સવાર દંપતી સહિત 4 લોકોના મોત થઈ ગયા હતા અને એક અન્ય વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માત રગ્ગી નાળા પાસે બટોટે કિશ્તવાડ રાજમાર્ગ પર થયો અને પોલીસ તેમજ સ્થાનિક લોકો દ્વારા ચલાવવામાં આવેલા સંયુક્ત બચાવ અભિયાન દરમિયાન કલાકોની સખત મહેનત બાદ 4 શબ શોધી કાઢવામાં આવ્યા હતા.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) કિશ્તવાડ અબ્દુલ કયૂમે કહ્યું હતું કે, કાર સવાર પુલ ડોડાથી જમ્મુ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચાલકે એક ગાડીથી આગળ નીકળવાનો પ્રયાસ કર્યો અને એ દરમિયાન કાર પરથી નિયંત્રણ ગુમાવી દીધું અને તેઓ 300 ફૂટ નીચે ચિનાબ નદીના કિનારા પર જઈ પડ્યા. 4 લોકોના શબ શોધી કાઢવામાં આવ્યા છે અને એક ઇજાગ્રસ્તને સરકારી મેડિકલ કૉલેજ, ડોડામાં દાખલ કરાવવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસથી જાણકારી મળે છે કે પુરપાટ ઝડપે ગાડી ચલાવવાના કારણે આ અકસ્માત થયો છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.