સંભલને કારણે ફરી ચર્ચામાં 1991 પૂજા સ્થળ કાયદો,શું મસ્જિદની જગ્યાએ બની શકે મંદિર

સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદને લગતો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એ જ જામા મસ્જિદ, જ્યાં એક પક્ષ દાવો કરે છે કે આ સ્થાન પર શ્રી હરિહર મંદિર હતું, જ્યારે બીજો પક્ષ એમ કહે છે કે, આ તેમની ઐતિહાસિક મસ્જિદ છે. જ્યારે એક ટીમ સર્વે કરવા માટે મસ્જિદની અંદર પહોંચી ત્યારે હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી સંભલના સમગ્ર વિસ્તારમાં તણાવ છે. હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બજારો, ઈન્ટરનેટ સેવાઓ અને શાળાઓ બંધ રાખવામાં આવી છે. આ દરમિયાન ફરી એકવાર પ્લેસ ઓફ વર્શીપ એક્ટની ચર્ચા છે. હવે આપણે આ કાયદો શું છે તે વિશે જાણીશું.

1991માં જ્યારે રામ મંદિર આંદોલન તેની ચરમસીમાએ હતું. લાલ કૃષ્ણ અડવાણીની રથયાત્રા અને તેમની ધરપકડ ઉપરાંત કાર સેવકો પર ગોળીબારથી કોમી તણાવ સર્જાયો હતો. દેશભરમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો થઈ રહ્યા હતા. તે સમયે તત્કાલિન PM PV નરસિમ્હા રાવની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર કાયદો લાવી હતી. જેનું નામ પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ હતું.

આ કાયદો એમ કહે છે કે 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશના ધાર્મિક સ્થળો જે પણ સ્થિતિમાં હતા, તેમની સ્થિતિ એ જ રહેશે. અધિનિયમની કલમ 3 કહે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈપણ ધાર્મિક સંપ્રદાયના કોઈપણ પૂજા સ્થળને અલગ ધાર્મિક સંપ્રદાયના પૂજા સ્થાનમાં રૂપાંતરિત કરી શકશે નહીં. આનું ઉલ્લંઘન કરવા પર 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. જોકે, રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને તેનાથી દૂર રાખવામાં આવ્યો હતો.

આ કાયદાને લઈને કેટલાક પક્ષો તરફથી સતત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આવી જ એક અરજી 2021માં BJPના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે દાખલ કરી હતી. મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ અશ્વિની કુમારે કહ્યું હતું કે, આ કાયદો ભારતના બંધારણ દ્વારા નિર્ધારિત ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. આની પાછળ આપવામાં આવેલી દલીલ એ હતી કે, આ કાયદો તે ધર્મસ્થાનોને મૂળ ધર્મના અનુયાયીઓને પાછા સોંપતા અટકાવે છે, જેને સદીઓ પહેલા આક્રમણકારો અને શાસકો દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા.

જ્ઞાનવાપી કેસની સુનાવણી કરતી વખતે પૂર્વ CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે, કોઈ સ્થળના ધાર્મિક પાત્રને શોધવાથી 'Places of Worship Act'ની કલમ 3 અને 4નું ઉલ્લંઘન થતું નથી. મતલબ કે, ધાર્મિક સ્થળની પ્રકૃતિ બદલી શકાતી નથી, પરંતુ તે ધર્મસ્થાનનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે ચોક્કસપણે જાણી શકાય છે.

19 નવેમ્બરે સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને સંભલના ચંદૌસી સિવિલ જજની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સંભલની શાહી જામા મસ્જિદ પહેલા ત્યાં શ્રી હરિહર મંદિર હતું. આ માટે તેમના દ્વારા બે પુસ્તકો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના અહેવાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં બાબરનામા, આઈન-એ-અકબરી અને ASIનો એક 150 વર્ષ જૂનો રિપોર્ટ સામેલ છે.

અરજી દાખલ થયા પછી કોર્ટે મસ્જિદનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર પછીથી સંભલમાં તણાવનું વાતાવરણ છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.