અંગ્રેજોના સમયના 3 કાયદા બદલાશે, અમિત શાહે સંસદમાં મૂક્યા 3 બિલ, જાણો તમામ વિગત

મોનસુન સત્રના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કાયદા સંબધિત 3 બિલ લોકસભામાં રજૂ કર્યા હતા. જેમાં ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023 બિલ, ઈન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ, 2023 બિલ અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ બિલનો સમાવેશ થાય છે.અમિત શાહે કહ્યુ કે આ ત્રણેય બિલોને સ્ટેન્ડીંગ કમિટીમાં મોકલવામાં આવશે. એ ઉપરાંત તેમણે કહ્યુ કે, આઝાદીના અમૃતકાળની શરૂઆત થઇ ચૂકી છે. જૂના કાયદામાં માત્ર સજા હતી. અંગ્રેજોના સમયના ત્રણેય કાયદા બદલી દેવામાં આવશે. જૂના કાયદામાં બદલાવ માટે બિલ રજૂ કરવામાં આવ્યા છે. અમિત શાહે કહ્યું,આ નવા બિલની સાથે IPC, CRPC અને એવિડન્સ એક્ટ ખતમ થઇ જશે. નવા કાયદાનો હેતુ ન્યાય આપવાનો હશે. મહિલાઓ અને બાળકોને ન્યાય મળશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં 3 બિલ રજૂ કરતી વખતે 10 પોઇન્ટ પર ચર્ચા કરી હતી.

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે આજે હું જે ત્રણ બિલ એકસાથે લઈને આવ્યો છું તે PM મોદીના પાંચ વચનમાંથી એકને પૂર્ણ કરશે. આ ત્રણ બિલમાં એક ઇન્ડિયન પીનલ કોડ છે, એક ક્રિમીનલ પ્રોસીજર કોડ છે, ત્રીજું  ઇન્ડિયન એવિડન્સ કોડ છે. ઇન્ડિયા પીનલ કોડ 1860ની જગ્યાએ હવે ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023 હશે. ક્રિમીનલ પ્રોસીજરના સ્થાને ઇન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ 2023 પ્રસ્થાપિત થશે. અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872ને બદલીને ઇન્ડિયન એવિડન્સ એક્ટ લાગુ થશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ ત્રણ કાયદાઓને બદલીને તેમની જગ્યાએ જે ત્રણ નવા કાયદા બનાવવામાં આવશે તેમાં ભારતીયોને અધિકાર આપવાની ભાવના હશે. આ કાયદાઓનો હેતુ કોઈને સજા કરવાનો રહેશે નહીં. તેનો હેતુ લોકોને ન્યાય આપવાનો રહેશે. તેમણે કહ્યું કે 18 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો, ભારતની સર્વોચ્ચ અદાલત, 22 ઉચ્ચ અદાલતો, ન્યાયિક સંસ્થાઓ, 142 સાંસદો અને 270 ધારાસભ્યો ઉપરાંત, જનતાએ પણ આ બિલો અંગે સૂચનો આપ્યા છે. ચાર વર્ષથી આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. અમે આ અંગે 158 બેઠકો કરી છે.

અમિત શાહે કહ્યું, આ બિલ હેઠળ, અમે સજાનો રેશિયો 90 ટકા થી ઉપર લઈ જવાનો એક લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.તેથી, અમે એક મહત્વપૂર્ણ જોગવાઈ લાવ્યા છીએ. જ્યાં 7 વર્ષ અને તેથી વધુની સજા હોય તેવા તમામ કેસમાં ફોરેન્સિક ટીમ માટે ગુનાના સ્થળની મુલાકાત લેવાનું ફરજિયાત બનાવવામાં આવશે.

લોકસભામાં ભારતીય સુરક્ષા બિલ, 2023 પર બોલતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, 1860 થી 2023 સુધી, દેશની ફોજદારી ન્યાય પ્રણાલી અંગ્રેજો દ્વારા બનાવેલા કાયદા અનુસાર કામ કરતી હતી. ત્રણ કાયદા બદલવામાં આવશે અને દેશમાં ક્રિમિનલ ન્યાય પ્રણાલીમાં મોટો બદલાવ થશે.

અમિત શાહે કહ્યું કે આ કાયદાથી સામાન્ય લોકોને પોલીસ અત્યાચારોથી મુક્તિ મળશે.યૌન હિંસાના કેસમાં પીડિતાનું નિવેદન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પોલીસે 90 દિવસમાં સ્ટેટસ આપવાનું રહેશે.

અમિત શાહે લોકસભામાં કહ્યું કે IPC પરનું નવું બિલ રાજદ્રોહના ગુનાને સંપૂર્ણ રીતે રદ કરી દેશે. ભારતીય ન્યાય સંહિતા (નવી IPC)માં અલગતા, સશસ્ત્ર બળવો, વિધ્વંસક, પ્રવૃત્તિઓ, અલગતાવાદી પ્રવૃત્તિઓ અથવા ભારતની સાર્વભૌમત્વ અથવા એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો પર નવા ગુના પણ ઉમેરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોબ લિંચિંગ પર પણ કાયદો લાવવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે આ નવા કાયદા આવવાથી આઝાદીના અમૃત કાળની શરૂઆત થઇ ગઇ છે. અમિત શાહે કહ્યું, સંશોધન બિલમાં 9 કલમો બદલીને અને દુર કરવામાં આવી છે. ફેરફાર પછી 533 કલમો રહેશે.

અમિત શાહે કહ્યું કે કેસની તપાસ 180 દિવસમાં પૂરી કરવાની રહેશે. બીજી તરફ જો દોષી સાબિત થવા પર 30 દિવસમાં સજા આપવી પડશે. કાયદામાં ગુલામીના 475 પ્રતીકો હતા. રાજ્યપાલ અને મુખ્યમંત્રી પાસેથી પણ સૂચનો લેવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નવા કાયદા હેઠળ મોબ લિંચિંગના કેસમાં 7 વર્ષની સજા થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે અલગતાવાદ અને દેશ વિરુદ્ધ યુદ્ધ કરવા જેવા અપરાધોને અલગ અપરાધ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. તેની ગેરહાજરીમાં દાઉદ ઈબ્રાહિમ જેવા ફરાર ગુનેગારો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

અમિત શાહે કહ્યું કે, સેશન્સ કોર્ટના જજ જેને ભાગેડુ જાહેર કરશે, તેમની ગેરહાજરીમાં પણ તેમના કેસની સુનાવણી થશે અને તેમને સજા થશે, જો તેઓ સજાથી બચવા માંગતા હોય તો ભારત આવીને કેસ લડે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.