માતા-પિતાની કોહવાયેલી લાશ વચ્ચે 3 દિવસ બાદ જીવિત મળ્યું 4 દિવસનું બાળક

ઉત્તરાખંડના દેહરાદૂનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઘરેથી પતિ-પત્નીની લાશ મળી છે. લાશો ત્રણ દિવસ જૂની થઈ જવાના કારણે સડી ચુકી હતી. આશ્ચર્યની વાત એ છે કે, મૃતક દંપત્તિનું 4-5 દિવસનું બાળક લાશોની વચ્ચે જીવિત મળ્યું. મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવવા માંડી હતી. પોલીસે શવોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે અને બાળકને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, યુવકે પૈસા ઉધાર લીધા હતા, જેને ચુકવી ના શકવાના કારણે તેણે પત્ની સાથે સુસાઇડ કરી લીધુ.

13 જૂને પોલીસ કંટ્રોલ રૂમને સૂચના મળી હતી કે, ટર્નર રોડ પર એક ઘરમાં કોઈની ડેડ બોડી હોઈ શકે છે. કારણ કે, ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. સૂચના મળતા પોલીસ સ્થળ પર પહોંચી. ઘરના એક દરવાજા પર તાળું હતું અને બીજો દરવાજો અંદરથી બંધ હતો આથી, જાળી કાપીને તેને અંદરથી ખોલવામાં આવ્યો. અંદર જોયુ તો એક મહિલા અને એક પુરુષની લાશ જમીન પર પડી હતી, જે ફુલી ગઈ હતી અને સડવા માંડી હતી. રૂમમાં ખૂબ જ લોહી હતું.

પોલીસની ટીમે ઘરની અંદર તપાસ કરી તો રૂમમાંથી 4-5 દિવસનું બાળક મળ્યું. તે જીવિત હતું, પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ મોકલ્યું. પોલીસે FSLની ટીમ બોલાવી અને તપાસ કરાવી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને શવોના શરીર પર કોઈપણ પ્રકારના ઈજાના નિશાન નથી મળ્યા, જે લોહી મળ્યું તે તેમના મોઢામાંથી નીકળ્યું હતું. પોલીસે શવોને પણ કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

પોલીસના જણાવ્યા અનુસાર, શવ સહારનપુર જિલ્લાના ચહલોલી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય કાશિફ માહતશિમ અને તેની 22 વર્ષીય પત્ની અનમના છે. તેઓ ચાર મહિના પહેલા જ આ મકાનમાં રહેવા આવ્યા હતા. મકાન માલિક સોહેલ છે અને તે જોશિયાડા ઉત્તરકાશીમાં રહે છે. મૃતકના પરિવારજનોને બોલાવવામાં આવ્યા તો જાણકારી મળી કે કાશિફના બે લગ્ન થઈ ચુક્યા હતા. પહેલા લગ્નથી તેને 5 વર્ષની બાળકી છે. તેમજ, એક વર્ષ પહેલા તેણે અનમ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા, જે થોડાં મહિના પહેલા જ મા બની હતી.

પહેલી પત્ની નુસરત છે તેણે પોલીસને જણાવ્યું કે, બે-ત્રણ દિવસથી મારા પતિ ફોન નહોતા ઉઠાવી રહ્યા. મારી છેલ્લીવાર વાત 10 જૂને રાત્રે 11 વાગ્યે થઈ હતી. કાશિફે જણાવ્યું હતું કે, તે કાલે ગામ આવશે કારણ કે તેણે કોઈકને 5 લાખ રૂપિયા પાછા આપવાના હતા, જે તેણે ઉધાર લીધા હતા. બે-ત્રણ દિવસથી ફોન રિસીવ ના થયો અને પછી ફોન બંધ થઈ ગયો હતો. હું જ્યારે અહીં આવી તો જોયુ કે ઘર બંધ હતું. પછી મે મારા સાસુ-સસરા અને દિયરને આ અંગે વાત કરી હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.