લગ્નના 9 વર્ષે પતિને સેક્સ ન કરતા કોર્ટે માનસિક ક્રૂરતા ગણી છૂટાછેડા આપ્યા

દિલ્હીની એક અદાલતે એક પરિણીત યુગલના છૂટાછેડા મંજૂર કર્યા છે, જેમાં એવું માનવામાં આવ્યું છે કે ઇરાદાપૂર્વક જીવનસાથીને સેક્સથી વંચિત રાખવું એ માનસિક ક્રૂરતા સમાન છે. આ કેસમાં પતિએ કોર્ટમાં છૂટાછેડાની માંગણી કરી હતી. તેણે આરોપ લગાવ્યો કે, લગ્નના વર્ષો પછી પણ તેની પત્નીએ તેને ક્યારેય સેક્સ કરવાની મંજૂરી આપી નથી. આ રીતે, તે તેના પર માનસિક ક્રૂરતા કરી રહી છે, તેથી તેને છૂટાછેડાની મંજૂરી આપવી જોઈએ. બંનેના લગ્ન 2014માં થયા હતા, પરંતુ લગ્નના 9 વર્ષ પછી પણ બંને વચ્ચે કોઈ શારીરિક સંબંધ બન્યો જ નથી.

ફેમિલી કોર્ટના વિપિન કુમાર રાયે પોતાના આદેશમાં કહ્યું, 'સામાન્ય અને સ્વસ્થ જાતીય સંબંધ સુખી અને સુમેળભર્યા લગ્નજીવનનો મૂળભૂત ભાગ છે. જ્યારે અન્ય પાર્ટનર તેના વિશે વ્યથિત હોય ત્યારે પાર્ટનર દ્વારા ઇરાદાપૂર્વક સેક્સનો ઇનકાર કરવો એ માનસિક ક્રૂરતા સમાન છે. ખાસ કરીને જ્યારે બંને પક્ષો (પતિ અને પત્ની) યુવાન અને નવા પરણેલા હોય.'

કોર્ટમાં એ વાત સામે આવી કે, મહિલા લગ્ન પછી ક્યારેય સેક્સ માટે તૈયાર નહોતી થઇ કારણ કે તેને ગાયનોફોબિયા છે. આ એક એવી માનસિક બીમારી છે જેમાં સેક્સ કરવા માટે વ્યક્તિની અંદર શારીરિક કે માનસિક ડર ઘર કરી જાય છે. જોકે, મહિલાએ એવી દલીલ કરી હતી કે તેને આવી કોઈ બિમારી નથી. તે પોતે જ સેક્સથી અસંતોષ અનુભવે છે. મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે, લગ્ન પછી ક્યારેય સેક્સ ન કરવા માટે તેનો પતિ જવાબદાર છે, કારણ કે તેને સંતાન નથી જોઈતું.

ઊલટતપાસ દરમિયાન મહિલાએ જણાવ્યું કે, તે મેટ્રિમોનિયલ સાઇટ પર તેના પતિના સંપર્કમાં પ્રથમ વખત આવી હતી. આમાં તેના માતા-પિતાની કોઈ ભૂમિકા નહોતી. 13 મહિના સુધી એકબીજાના સંપર્કમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

પતિ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રભજીત જોહરે કોર્ટને જણાવ્યું હતું કે, મહિલા અત્યારે તેના લગ્નને પૂર્ણ કરવા માંગતી નથી. પતિએ અલગ-અલગ સમયે અનેક પ્રયાસો કર્યા પરંતુ તે સેક્સ માટે તૈયાર ન હતી. વકીલે વધુમાં એવી રજૂઆત કરી હતી કે, તેના અસીલની પત્ની ક્યારેય તેની સાથે સંભોગ કરવા માટે સંમત થઈ નથી, ન તો લગ્ન સંપન્ન કરવાના હેતુથી કે બાળક પેદા કરવાના હેતુથી.

ફેમિલી કોર્ટે કહ્યું કે સેક્સ એ કોઈપણ લગ્નનો પાયો છે. આના વિના, કોઈપણ લગ્નનું લાંબું ટકવું અશક્ય છે.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, લગ્નમાં કોઈ પણ માન્ય કારણ વિના જાતીય સંબંધોનો ઇનકાર કરવો એ ક્રૂરતાથી ઓછું નથી, કારણ કે તે લગ્ન નામની સંસ્થાના પાયા પર હુમલો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જો પતિ-પત્ની સેક્સ વગર ખુશ હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જો બંનેમાંથી કોઈ પણ એક તેનાથી અસંતુષ્ટ હોય તો લગ્નનો કોઈ અર્થ નથી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.