પૂર્વ રક્ષામંત્રીની કોંગ્રેસને સલાહ, મોદીને હરાવવા હિન્દુ વોટની જરૂર રણનીતિ...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી A.K.એન્ટનીએ હિંદુ વોટ બેંકના મહત્વ પર ભાર આપતા કહ્યું કે, કોંગ્રેસે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા પરથી હટાવવા માટે બહુમતી સમુદાયને સાથે લેવો જોઈએ, માત્ર લઘુમતીના બળ પર આ લડાઈ નહીં જીતી શકાય. કોંગ્રેસ કાર્ય સમિતિના સભ્ય A.K.એન્ટની પાર્ટીના સ્થાપના દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કોંગ્રેસને હિન્દુઓ પ્રત્યે વધુ સંવેદનશીલ થવા માટે કહ્યું.

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, 'ભારતમાં બહુમતી વાળા લોકો હિંદુ છે અને આ બહુમતી વાળા સમુદાયને નરેન્દ્ર મોદીની સામે લડાઈમાં સામેલ કરવા જોઈએ.' તેમણે કહ્યું કે, દરેકે સતર્ક રહેવું જોઈએ અને 'ફાસીવાદની સામે લડાઈ'માં બહુમતી વાળા સમુદાયને સાથે લેવો જોઈએ.

હિન્દુઓને નરમ હિન્દુત્વના રૂપમાં બતાવવાથી નુકશાન

એન્ટનીએ કહ્યું કે, જેમ લઘુમતીઓને તેમના ધર્મ અને આસ્થાને માનવાની સ્વતંત્રતા છે, તેવી જ રીતે હિન્દુ સમુદાયના લોકોને પણ મંદિરમાં જવાનો, તિલક લગાવવાનો અધિકાર છે. જ્યારે-જ્યારે આવું હિન્દુ સમુદાયના લોકો કરે છે ત્યારે તેમને નરમ હિન્દુત્વમાં માનનારા લોકોના રૂપમાં બતાવવામાં આવે છે, જે યોગ્ય રણનીતિ નથી, તેનાથી નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીને ફાયદો થશે અને તેઓ એકવાર ફરી સત્તામાં આવી જશે.

ભાજપનો પલટવાર

એન્ટનીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી તરફથી વળતો જવાબ આપતા શહજાદ પૂનાવાલાએ કહ્યું, કોંગ્રેસની નીતિ રહી છે કે, 'હિન્દુઓ કો દો ગાલી, તાકી મિલે વોટ બેન્ક કી તાલી', તેમણે કહ્યું, 'કોંગ્રેસે ઘણી વખત ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા છે, રામ મંદિરનો પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસે ગીતાની સરખામણી જેહાદ સાથે કરી છે અને હિંદુત્વની તુલના આતંકવાદી સંગઠન ISIS અને બોકો હરમ સાથે કરી છે. તેમણે કહ્યું કે, જે કોંગ્રેસે પહેલા વોટ બેંક માટે હિંદુત્વને આતંકવાદ સાથે જોડ્યુ, હવે તે જ પાર્ટીના દિગ્ગજ નેતાએ તેની આ વાતોને ફગાવી દીધી છે.

જ્યારે BJP નેતા અમિત માલવિયાએ પણ એન્ટનીના નિવેદન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ માટે ભારતના લોકો ભારતીય નથી, પરંતુ તેઓ ભારતીયોને બહુમતી-લઘુમતી, હિન્દુ-મુસ્લિમમાં વહેંચી ચૂક્યા છે. હવે પૂર્વ રક્ષા મંત્રી A.K.એન્ટની કહી રહ્યા છે કે, કોંગ્રેસને મોદી સરકારને પછાડવા માટે હિન્દુઓના સમર્થનની જરૂરત છે, લઘુમતીઓનું સમર્થન જ પૂરતું નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.