મુસ્લિમ યુવકે હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા, વિરોધ થયો તો સનાતન ધર્મ અપનાવી લીધો

મધ્યપ્રદેશના નરસિંહપુરમાં એક ખાસ લગ્ન જોવા મળ્યા છે. લગભગ પાંચ વર્ષથી એકબીજાના પ્રેમમાં રહેલા મુસ્લિમ યુવક અને હિંદુ યુવતીએ ગુરુવારે રાત્રે કારેલીના શ્રીરામ મંદિરમાં વૈદિક વિધિથી લગ્ન કર્યા હતા. યુવકે સનાતન અપનાવવાનું કારણ આપ્યું કે તેને સનાતન ધર્મમાં રસ હતો. તે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો. તેથી આ બધું કર્યું છે.

લગ્ન બાદ યુવકનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેના કેટલાક મિત્રો, પરિચિતો અને અન્ય લોકો મંદિરમાં હાજર હતા. જિલ્લામાં સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ મુસ્લિમ છોકરા અને હિંદુ છોકરીએ લગ્ન માટે અરજી કરી હતી. જ્યારે મેરેજ ઓફિસરના નોટિસ બોર્ડ પર આ પત્ર મૂકવામાં આવ્યો ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો હતો.

ઈન્ટરનેટ મીડિયામાં જ્યારે આ નોટિસ વાયરલ થઇ ત્યારે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ લગ્નમાં જે લોકો સાક્ષી બનશે તેમની સામે શોકસભાનું આયોજન કરવામાં આવશે. જ્યારે આ બધી બાબતો ઈન્ટરનેટ મીડિયામાં આવી ત્યારે સમગ્ર મામલામાં વળાંક આવ્યો અને સાંજ સુધીમાં મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું. જે બાદ યુવકે કારેલીના જ શ્રીરામ મંદિરમાં પૂજા કરીને મુસ્લિમમાંથી હિંદુ ધર્મ અપનાવ્યો હતો.

ગાડરવાહા તહસીલના ચીચલીમાં રહેતો યુવક ફાઝીલ ખાન અને આમગાંવની રહેવાસી હિંદુ યુવતીની 5 વર્ષ પહેલા મુલાકાત થઇ ડમરુ ઘાટી શિવમંદિરમાં મુલાકાત થઇ હતી. એ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રેમ શિવમંદિરમાં થયો અને લગ્ન શ્રીરામ મંદિરમાં થયા.

ફાઝિલની આસપાસના લોકો પાસેથી માહિતી એકત્ર કર્યા બાદ જાણવા મળ્યું કે ફાઝિલની આસ્થા હિંદુ ધર્મમાં હતી, જેના કારણે હિંદુ ધર્મમાં તેની વાપસીની તૈયારી કરવામાં આવી હતી. કારેલી રામ મંદિરમાં વૈદિક મંત્રો સાથે, પંડિતે જનોઇ સંસ્કાર સાથે યુવકને હિંદુ ધર્મમાં ઘર વાપસી કરાવી. યુવકનું નામ ફાઝીલથી બદલીને અમન રાય કરી દેવામાં આવ્યું છે.

આ દરમિયાન શ્રીરામ મંદિર પરિસરમાં અમન રાયે સોનાલી રાયને વરમાળા પહેરાવી હતી. બંનેને રામચરિતમાનસ પુસ્તકની ભેટ આપવામાં આવી હતી. આ મામલે પંડિત શિવનારાયણ દુબેએ કહ્યું કે એક કપલ લગ્ન માટે આવ્યું હતું, યુવક મુસ્લિમ હતો અને યુવતી હિંદુ હતી. યુવકે સનાતન ધર્મ આપનાવ્યો અને મેં બંનેના લગ્ન કરાવી દીધા હતા. લોકોએ વરવધૂને રામ દરબાર સ્મૃતિ ચિહ્ન ભેટમાં આપ્યું હતું. આ પ્રસંગે લોકો બેન્ડ વાજાની ધૂન પર નાચ્યા હતા.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.