અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં HIV ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ સામાન્ય આવ્યા પછી, તેમણે ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની થબી સામે એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકાર્યા. આ અનોખા લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે સમારંભ સંપૂર્ણપણે કરિયાવરમુક્ત અને સાદગપૂર્ણ હતો. ન કોઈ બેન્ડ, ન કોઈ ભવ્ય સમારોહ અને ન કોઈ પરંપરાગત લગ્ન વિધિનું આયોજન કરવામાં આવ્યું. સ્ટેજ પર વરરાજા અને કન્યાએ એકબીજાને ગુલાબની જગ્યાએ પેન ભેટ આપીને શિક્ષણ અને જાગૃતિનો સંદેશ આપ્યો.

ચરખી દાદરીના રહેવાસી મનેન્દ્ર દહિયા અને મોનિકા તંવર વ્યવસાયે કાઉન્સેલર છે. બંનેનું કહેવું છે કે લગ્ન માત્ર એક સામાજિક વિધિ નથી, પરંતુ વિશ્વાસ અને જવાબદારીનો સંબંધ છે. આ વિચારને ધ્યાનમાં રાખીને તેમણે લગ્ન પહેલાં આરોગ્ય તપાસને પ્રાથમિકતા આપી હતી.

marriage
aajtak.in

વરરાજા માનેન્દ્ર દહિયાએ જણાવ્યું હતું કે યુવાનોએ સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે ખચકાટ વિના આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. તો મોનિકા તંવરે પણ કહ્યું હતું કે સમાજમાં હજુ પણ HIV જેવા મુદ્દાઓની ખુલ્લેઆમ ચર્ચા થતી નથી, જ્યારે જાગૃતિ જ સૌથી મોટી સુરક્ષા છે.

સમારંભમાં હાજર રહેલા સામાજિક કાર્યકર સંજય રામફલે સમજાવ્યું કે આ પહેલનો હેતુ યુવાનોમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આજે લગ્નો દેખાડો કરવાનું માધ્યમ બની રહ્યા છે, જ્યારે જરૂરિયાત સાદગી અને જાગૃતિને પ્રોત્સાહન આપવાની છે.

marriage
varniya.com

લોકો આ અનોખા લગ્નને વિચારવાની એક નવી રીત અને સમાજનો અરીસો બતાવતી પહેલ ગણાવી રહ્યા છે. માનેન્દ્રના પિતા કૃષ્ણ દહિયાએ જણાવ્યું હતું કે લગ્ન પહેલાં સ્વાસ્થ્ય જાગૃતિ અંગેની આવી પહેલ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તેમણે યુવાનોને આવા લગ્ન કરવાનું આહ્વાન કર્યું હતું.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.