'આધાર કાર્ડ અને તિલક...'વિશ્વ હિન્દુ પરિષદે ગરબામાં પ્રવેશ માટે આ શરતો રાખી છે?

દેશભરમાં નવરાત્રી (નવરાત્રી 2023)ના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (VHP)દ્વારા એક ફરમાન બહાર પાડવામાં આવ્યું છે કે, ગરબા અને દાંડિયાના કાર્યક્રમોમાં માત્ર આધાર કાર્ડ બતાવવા પર જ પ્રવેશ આપવામાં આવે. વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈનનું કહેવું છે કે, આ તહેવારમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ હિંદુ છે કે કેમ, તે વાતની તપાસ થવી જરૂરી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, 15 ઓક્ટોબરના રોજ મુંબઈના દાદરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે, આધાર કાર્ડ દ્વારા ઓળખ થયા પછી દરેક વ્યક્તિના કપાળ પર તિલક અને કાંડા પર રક્ષા દોરો બાંધવો જરૂરી છે. તેમણે કહ્યું કે, 'લવ જેહાદ'થી બચવા માટે આ પગલાં લેવા જરૂરી બની ગયા છે. તેમણે કહ્યું કે, જે લોકોને હિંદુ ધર્મમાં આસ્થા નથી તેઓને આવા સમારંભોમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ નહીં, આપણી મહિલાઓની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે, ગરબા રસ અને ભક્તિનો વિષય છે. આ માત્ર ડાન્સ પ્રોગ્રામ કે ઓર્કેસ્ટ્રા નથી. આ દેવી માતાને પ્રસન્ન કરવાનો તહેવાર છે. તેથી ગરબા આયોજકો અને વહીવટીતંત્ર બંનેએ ગરબા પંડાલમાં આવતા લોકોની તપાસ કરવી જોઈએ. આ માટે મુખ્ય દ્વાર પર ઉભા રહીને આવનાર દરેક વ્યક્તિનું આધાર કાર્ડ ચેક કરો. ગરબામાં ભાગ લેનાર દરેક વ્યક્તિના કપાળે તિલક લગાવો અને તેમના હાથ પર રક્ષા દોરો બાંધો.

આ પહેલીવાર નથી, જ્યારે હિંદુ સંગઠનોએ આવો આદેશ બહાર પાડ્યો હોય. ગયા વર્ષે નવરાત્રિ પર, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે ગરબાનું આયોજન કરતા લોકોને પંડાલમાં મુસ્લિમોને પ્રવેશ ન આપવા જણાવ્યું હતું. ઘણી જગ્યાએ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો નવરાત્રી પંડાલોની બહાર હાજર રહ્યા હતા. તેઓ કાર્યક્રમમાં આવનારા લોકોના ઓળખ કાર્ડ ચેક કરી રહ્યા હતા. કેટલીક જગ્યાએ નવરાત્રીના મંડપની બહાર કેટલાક યુવકોને માર પણ મારવામાં આવ્યો હતો. તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

ગયા વર્ષે પણ આ જ કાર્યક્રમો દરમિયાન કોમી અથડામણના અહેવાલો પણ આવ્યા હતા. આ કેસોના મામલે બુલડોઝર વડે મકાનો તોડી પાડવાના અને પોલીસો દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવાના અહેવાલો પણ બહાર આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.