શું મમતા બેનર્જીનું 36 વર્ષ જૂનું 'શસ્ત્ર' બહાર લાવ્યા અભિષેક બેનર્જી; શું 1990 જેવું થશે?

તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર પથ્થરમારો અને ઇંડા ફેંકવાની ઘટના પછી પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. TMC તેને રાજકીય હુમલો ગણાવીને સંગઠનાત્મક મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહી છે. મમતા બેનર્જી પોતે હોસ્પિટલમાં ગયા હતા અને આ ઘટનાને ગંભીરતાથી લઈને વિપક્ષ પર હુમલો કર્યો હતો. પરંતુ પ્રશ્ન એ છે કે, શું 36 વર્ષ પહેલાં પોતાની ફોઈ મમતા બેનર્જી પર હાજરા વળાંક પાસે થયેલા હુમલાની જેમ અભિષેક પણ આ ઘટનાનો ઉપયોગ પોતાની રાજકીય શક્તિ વધારવા માટે કરી શકશે?

03

હકીકતમાં, 1990માં, એક યુવાન મમતા બેનર્જી, જે કોંગ્રેસના નેતા તરીકે આંદોલન કરી રહ્યા હતા, તેમના પર કોલકાતાના હાજરા વળાંક પાસે હુમલો કરવામાં આવ્યો હતો. તે ઘટનાએ તેમને સત્તાની સામે  ટક્કર લેનારા એક અતિ એગ્રેસીવ નેતા તરીકે ઓળખ આપી હતી. તે ફોટોગ્રાફ્સ હજુ પણ TMC ઓફિસની દિવાલો પર દરેકને બરાબર દેખાય તે રીતે મુકવામાં આવ્યા છે. આ હુમલા પછી, કોંગ્રેસ તરફથી ટેકો ન મળવાને કારણે મમતાએ અલગ થઈને તૃણમૂલ કોંગ્રેસની રચના કરી, અને બાકી આગળનો ઇતિહાસ સામે જ છે. વ્યક્તિગત ઈજાને રાજકીય ફાયદામાં ફેરવવાની આ રણનીતિ મમતા બેનર્જીના રાજકીય કારકિર્દીનો મુખ્ય ભાગ રહી છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં વ્હીલચેર પર પ્રચાર કરવો અને BJP પર ખૂની હુમલાનો આરોપ લગાવવો તેમના માટે અસરકારક સાબિત થયો હતો.

એવો અહેવાલ છે કે, શનિવારની ઘટના પછી, TMC આ વખતે પણ એ જ ફોર્મ્યુલા અજમાવવાના પ્રયાસમાં છે. જોકે, રાજકીય પંડિતો તેને 1990 જેટલું સરળ માનતા નથી. આનું કારણ પણ સ્પષ્ટ છે...

સત્તા ગુમાવ્યા પછી સંઘર્ષની છબી બનાવવી મુશ્કેલ: થોડા દિવસો પહેલા મમતા બેનર્જી મુખ્યમંત્રી હતા, અને TMC દોઢ દાયકાથી રાજ્યમાં સત્તામાં હતી. હવે, વિપક્ષી નેતા જેવી શેરી લડાઈ પર સંઘર્ષ કરનારની છબી બનાવવી એ લોકો માટે વિશ્વસનીય લાગતું નથી.

05

અભિષેકની છબી અલગ છે: મમતા બેનર્જીએ આંદોલનો અને જન સંઘર્ષો દ્વારા પોતાની છબી બનાવી, જ્યારે વિપક્ષ સતત અભિષેક બેનર્જી પર વંશવાદની રાજનીતિ, પરિવારવાદ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો રહ્યો છે. આ આરોપોએ તેમની જાહેર છબીને ઘણું મોટું નુકસાન પહોંચાડ્યું છે. તેમને ઘણીવાર ઘમંડી માણસ તરીકે જોવામાં આવે છે, જેના કારણે 1990વાળી લોકોની સહાનુભૂતિ ફરીથી મેળવવાનું પડકારજનક લાગે છે.

રાજકીય પરિદૃશ્ય બદલાયું છે: 1990માં, બંગાળ કોંગ્રેસ અને ડાબેરી મોરચા વચ્ચે દ્વિધ્રુવીય હતું. ત્રીજા વિકલ્પ માટે જગ્યા હતી, જેનો મમતા બેનર્જીએ લાભ લીધો. 2026માં, BJP એક શક્તિશાળી રાષ્ટ્રીય પક્ષ તરીકે મજબૂત હાજરી ધરાવે છે, જેમની પાસે સંસાધનો અને સંગઠન બંને છે. ડાબેરી પક્ષો હવે પહેલા જેટલા પ્રભાવશાળી નથી રહ્યા.

મમતા બેનર્જી અભિષેક બેનર્જીને તેમના રાજકીય ઉત્તરાધિકારી તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. હોસ્પિટલની મુલાકાત લઈને, તેમણે આ ઘટનાનો ઉપયોગ પાર્ટીના ભાવિ નેતૃત્વની ચર્ચા કરવા માટે કરવાનો પ્રયાસ કર્યો છે. INDIA બ્લોકના સમર્થનથી, તેઓ આ મુદ્દાનો લાભ લેવા માંગે છે. પરંતુ વિશ્લેષકો માને છે કે, અભિષેક મમતા નથી, અને 2026નું બંગાળ હવે 1990ના બંગાળ જેવું બિલકુલ રહ્યું નથી.

02

બીજી બાજુ, BJPએ પહેલાથી જ આ સરખામણીને નકારી કાઢી છે, અને તેને TMCની જૂની ચાલ ગણાવી છે. હવે જોવાનું બાકી છે કે, બંગાળના લોકો આ 'હુમલાના રાજકારણ' પર કેટલો વિશ્વાસ કરે છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં અંધશ્રદ્ધાનો ખેલ, પિતૃદોષ નિવારવા અને બીમારી દૂર કરવાના બહાને ઘરેણાં પડાવી લેતી ગેંગ ઝડપાઇ

આજે પણ લોકો અંધશ્રદ્ધાના ખેલમાં ફસાઈ જતા હોય છે. આ ખેલમાં લોકો પોતિકાઓની બલિ આપતા પણ ખચકાતા નથી. આ સિવાય...
સુરતમાં અંધશ્રદ્ધાનો ખેલ, પિતૃદોષ નિવારવા અને બીમારી દૂર કરવાના બહાને ઘરેણાં પડાવી લેતી ગેંગ ઝડપાઇ

OnePlusનો 8000mAh બેટરી, 50MP AI કેમેરાવાળો N6 ફોન લોન્ચ, 5 વર્ષની લેગ-ફ્રી લાઇફ, જાણી લો કિંમત

OnePlusએ ભારતીય બજારમાં તેની નવી N સિરીઝનો પહેલો સ્માર્ટફોન, OnePlus N6 લોન્ચ કર્યો છે. OnePlus N6ની સૌથી...
Tech and Auto 
OnePlusનો 8000mAh બેટરી, 50MP AI કેમેરાવાળો N6 ફોન લોન્ચ, 5 વર્ષની લેગ-ફ્રી લાઇફ, જાણી લો કિંમત

35 કરોડની ઓફર અને 15 MLAના રાજીનામા..., વિજય સરકાર તોડી પાડવાના કાવતરાનું રહસ્ય ખુલ્યું! 3 પકડાયા

તામિલનાડુના રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે, અભિનેતામાંથી રાજકારણી બનેલા CM વિજયની આગેવાની હેઠળના TVK ધારાસભ્યએ દાવો...
National 
35 કરોડની ઓફર અને 15 MLAના રાજીનામા...,  વિજય સરકાર તોડી પાડવાના કાવતરાનું રહસ્ય ખુલ્યું! 3 પકડાયા

વૈભવ સૂર્યવંશીને કોઈપણ ભોગે ઈંગ્લેન્ડ સામેની T20I મેચમાં રમાડવો જ જોઈએ: સુનિલ ગાવસ્કર

આયર્લેન્ડ સામે ભારતીય ટીમના પ્રદર્શનથી ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર બિલકુલ ખુશ નથી. આ બે મેચોની શ્રેણીમાં યજમાન આયર્લેન્ડે ભારતને ...
Sports 
વૈભવ સૂર્યવંશીને કોઈપણ ભોગે ઈંગ્લેન્ડ સામેની T20I મેચમાં રમાડવો જ જોઈએ: સુનિલ ગાવસ્કર
Copyright (c) Khabarchhe All Rights Reserved.