ભારતમાં આ દેશની એમ્બેસી આજથી બંધ, જતા-જતા કરી આ રિક્વેસ્ટ

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવવા છતા ભારતમાં જૂની સરકારનું કામ દૂતાવાસ કરી રહ્યું હતું, પરંતુ હવે દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એક સત્તાવાર નિવેદનમાં શનિવારે કહેવામાં આવ્યું કે, ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના દૂતાવાસે રવિવારે ભારતમાં પરિચાલનને બંધ કરવાનો નિર્ણય લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ખૂબ જ દુઃખ, અફસોસ અને નિરાશા સાથે નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનનું દૂતાવાસ પોતાનું પરિચાલન બંધ કરવાના આ નિર્ણયની જાહેરાત કરે છે.’

દૂતાવાસ બંધ કરવા પાછળ મેજબાન સરકારના સમર્થનની કમી અને અફઘાનિસ્તાનના હિતોની પૂર્તિની અપેક્ષાઓને પૂરી ન કરી શકવાનો સંદર્ભ આપવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘દૂતાવાસે મેજબાન સરકાર પાસે મહત્ત્વપૂર્ણ સમર્થનની ઉલ્લેખનીય કમીનો અનુભવ કર્યો છે, જેથી અમારી ક્ષમતા અને કર્તવ્યમાં પ્રભાવી ઢંગે બાધા ઉત્પન્ન થઈ. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ઐતિહાસિક સંબંધો અને દીર્ઘકાલીન ભાગીદારીને ધ્યાનમાં રાખતા સાવધાનીપૂર્વક વિચાર-વિમર્શ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.’

દૂતવાસે ભારતમાં રાજનાયિક સમર્થનની કમીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કાયદેસરના કામકાજી સરકારનો અભાવ છે. દૂતાવાસને બંધ કરવાની જાહેરાત સાથે અફઘાનિસ્તાની દૂતવાસે કર્મીઓ અને સંસાધનોની કમી જેવા પડકારોનો સંદર્ભ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજદૂતોના વિઝા સમય પર રિન્યૂ ન કરવામાં આવ્યા, જેના કારણે ટીમમાં નિરાશા ઉત્પન્ન થઈ. અફઘાન નાગરિકો માટે ઇમરજન્સી કાન્સુલર સેવાઓ દૂતાવાસને મેજબાન દેશોને સ્થળાંતરીત થવા સુધી ચાલુ રહેશે.

દૂતાવાસ તરફથી આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અફઘાનિસ્તાન દૂતવાસના રાજદૂત અને અન્ય વરિષ્ઠ રાજદૂત ભારત છોડીને યુરોપ અને અમેરિકા જતા રહ્યા, જ્યાં તેમણે શરણ લીધું. અધિકારીઓએ કહ્યું કે, 5 અફઘાન રાજદૂતોએ દેશ છોડ્યો. દૂતાવાસે કહ્યું કે વિદેશ મંત્રાલયને પહેલા નવી દિલ્હીમાં પરિચાલન બંધ કરવાના પોતાના નિર્ણયથી અવગત કરાવવામાં આવ્યું હતું. તેની સાથે જ સરકારને ભારતમાં રહેવા, કામ કરવા, અભ્યાસ કરવા, વેપાર કરવા અને વિભિન્ન ગતિવિધિઓમાં સામેલ થનારા અફઘાનોના હિતોની રક્ષાનો આગ્રહ કરવામાં આવ્યો.

About The Author

Related Posts

Top News

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ 37મી...
Gujarat 
સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હજીરા-સુરત, ડિસેમ્બર 17, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ને વીજ મંત્રાલય દ્વારા આયોજિત અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી...
Gujarat 
AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

હૈદરાબાદ (તેલંગાણા) [ભારત], 15 ડિસેમ્બર: સેવા વિતરણ અને ઝડપી પ્રતિભાવમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને, હૈદરાબાદ જિલ્લા કલેક્ટર હરિ...
National 
હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.