પત્નીની પીડા જોઈને પ્રતિજ્ઞા લીધી, હવે ફ્રીમાં ગર્ભવતી મહિલાઓને પહોંચાડે છે હૉસ્પિટલ; રિક્ષાને બનાવી એમ્બ્યુલન્સ

કહેવાય છે કે કેટલાક લોકો જન્મથી નહીં, પોતાના કામથી હીરો બને છે. જમશેદપુરના સોનારી વિસ્તારના રહેવાસી અરુણ દાસ સાહૂ આવો જ એક સાચો હીરો છે, જે પોતાની સેવા અને માનવતાની ભાવનાથી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વ્યવસાયે એક સાધારણ ઓટો ડ્રાઈવર અરુણ, છેલ્લા 10 વર્ષથી ઓટો ચલાવીને ગુજરાન ચલાવી રહ્યો હતો. તેનામાં પરિવર્તન આવ્યું અને છેલ્લા 6 મહિનાથી તેણે પોતાની ઓટોને મીની એમ્બ્યુલન્સ બનાવી દીધી છે. તે એ મહિલાઓને મફતમાં સેવા આપે છે જે પ્રસૂતિ પીડામાંથી પસાર થઈ રહી છે અને જેમને તાત્કાલિક હૉસ્પિટલ કે ક્લિનિકમાં પહોંચાડવાની જરૂરિયાત હોય છે.

auto.jpg-2

લોકલ 18ના અહેવાલ મુજબ, ઓટોરિક્ષા ચાલક અરુણે તેની પહેલની પ્રેરણાદાયી કહાની શેર કરી. તેણે કહ્યું કે તેના પ્રેમ લગ્ન થયા હતા અને ઘણીવાર તેની પત્ની આર. જાની સાથે નાની-મોટી બહેસ થઈ જતી હતી. પરંતુ એક દિવસ જ્યારે તેની પત્ની ગર્ભવતી હતી, ત્યારે બહેસ દરમિયાન તેણે કહ્યું કે, ‘જો તમે છોકરી હોત, તો તમે આ પીડા સમજી શક્યો હોત. આ વાત અરુણના દિલને સ્પર્શી ગઈ. તેણે મહિલાઓના દુઃખને દૂર કરવા માટે કંઈક કરવાનો સંકલ્પ લીધો.

આ વિચારને ધ્યાનમાં રાખીને તેણે પોતાની ઓટોને એમ્બ્યુલન્સની જેમ સજાવી અને તેના પર લખ્યું-ગર્ભવતી મહિલાઓ માટે નિઃશુલ્ક સેવા ચાલુ રહેશે. સાથે જ તેણે પોતાનો ફોન નંબર 9110919503 પણ લખ્યો, જેથી કોઈપણ જરૂરિયાતમંદ મહિલા તાત્કાલિક તેનો સંપર્ક કરી શકે. અરુણ જણાવે છે કે કેવી રીતે એક રાત્રે તે કદમાની રહેવાસી એક મહિલાને રાત્રે 2:00 વાગ્યે હૉસ્પિટલ લઈ ગયો. તેની હાલત ગંભીર હતી. જો હું તેને સમયસર ત્યાં ન લઈ ગયો હોત તો કદાચ તેનું મૃત્યુ થઈ ગયું હોત. તે રાત્રે મેં મારા છેલ્લા શ્વાસ સુધી આ કાર્ય ચાલુ રાખવાનો સંકલ્પ લીધો.

auto

તેમના સાથી વિમલેશ યાદવ કહે છે કે, અરુણ અમારા સ્ટેન્ડનો હીરો છે. કોઈ પણ ઓટો ડ્રાઈવર આટલો મોટો ત્યાગ નહીં કરી શકે કે કોઈ પોતાની કમાણી છોડીને કોઈનો જીવ બચાવવા માટે દોડી જાયછે. અરુણ કહે છે કે તે તેની રોજિંદી આવકથી ખુશ છે. ભગવાનની કૃપાથી, તેને ક્યારેય નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. આજે, જમશેદપુરના લોકો અરુણને માત્ર એક ઓટો ડ્રાઈવર તરીકે જ નહીં, પરંતુ માનવતાના રક્ષક તરીકે માન આપે છે. તેમના કાર્યથી સાબિત થયું છે કે જો ઈરાદો સાચો હોય, તો એક નાનું વાહન પણ કોઈનો જીવ બચાવી શકે છે.

About The Author

Related Posts

Top News

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.