મણિપુરમાં ફરી હિંસા, ચુરાચાંદપુર ગોળીબારના ધણધણાટથી ગુંજી ઉઠ્યો

On

મણિપુરનો મુદ્દો રસ્તાથી સંસદ સુધી છવાયેલો છે અને દેશના વિપક્ષો સંસદના ચોમાસું સત્રમાં હંગામો મચાવી રહ્યા છે અને PM મોદી સંસદમાં જવાબ આપે તેવી માંગ કરી રહ્યા છે. આ દરમિયાન મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે અને ચુરાચાંદપુરમાં ગોળીબારનો ધણધણાટ શરૂ થયો છે.

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે અહીંના ચુરાચંદપુર જિલ્લામાં હિંસા ફાટી નીકળી છે. મળતી માહિતી મુજબ અહીંના થોરબુંગ વિસ્તારોમાં ભારે ગોળીબાર થઈ રહ્યો છે. હાલ આ ફાયરિંગમાં કેટલી જાનહાનિ થઇ છે તે જાણી શકાયું નથી. થોરબંગ વિસ્તાર સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર છે.

મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન કુકી અને મૈતેય સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી ત્યાં સ્થિતિ તંગ બની છે. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની લગભગ 53ટકા વસ્તી મૈતેય સમાજની છે અને મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે 40 ટકા આદિવાસીઓ છે, જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે અને મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.

મણિપુર હિંસાને લઈને રોડથી લઈને સંસદ સુધી હોબાળો થઈ રહ્યો છે. 20 જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્ર સતત સ્થગિત થઈ રહ્યું છે. વાસ્તવમાં વિરોધ પક્ષો મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. તે આ મામલે PM નરેન્દ્ર મોદીને જવાબ આપવાની માંગ પર અડી ગયા છે. આ મામલે PMને જવાબ આપવા માટે તેમણે 26 જુલાઈએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પણ આપી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે.

જો કે આની પર ચર્ચા કરવા માટે આગામી સપ્તાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરતી વખતે સભાપતિ જગદીપ ધનખડની ખુરશી સામે પહોંચી ગયેલા AAP સાંસદ સંજય સિંહને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' એ ગુરુવારે એક મોટી બેઠક બોલાવી હતી. બેઠકમાં વિરોધ પક્ષોના સાંસદોકાળા કપડા પહેરીને આવ્યા. વિપક્ષી સાંસદોએ મણિપુર પર ચર્ચા કરવાની મંજૂરી ન આપવા અને અને અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા શરૂ ન કરવા બદલ કેન્દ્ર સરકારના વિરોધમાં કાળા કપડા પહેરીને વિરોધ કર્યો હતો.

મણિપુરમાં 19 જુલાઈના રોજ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ હંગામો થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના 4 મેના રોજ બની હતી. આ ઘટનાની ફરિયાદ 18 મેના રોજ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે 21 જૂને કેસ નોંધ્યો હતો. આ ઘટના બાદ મોદી સરકાર અને બિરેન સિંહની સરકાર શંકાના દાયરામાં આવી ગઈ હતી. દબાણ હેઠળ, પોલીસે બે દિવસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. વિપક્ષ પીએમ મોદી, અમિત શાહ અને એન.બિરેન સિંહને મણિપુરમાં હિંસા રોકવામાં સક્ષમ ન હોવાનો આરોપ લગાવી રહ્યો છે.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.