મણિપુરમાં ફરી હિંસા, ચુરાચાંદપુર ગોળીબારના ધણધણાટથી ગુંજી ઉઠ્યો

On

મણિપુરનો મુદ્દો રસ્તાથી સંસદ સુધી છવાયેલો છે અને દેશના વિપક્ષો સંસદના ચોમાસું સત્રમાં હંગામો મચાવી રહ્યા છે અને PM મોદી સંસદમાં જવાબ આપે તેવી માંગ કરી રહ્યા છે. આ દરમિયાન મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે અને ચુરાચાંદપુરમાં ગોળીબારનો ધણધણાટ શરૂ થયો છે.

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે અહીંના ચુરાચંદપુર જિલ્લામાં હિંસા ફાટી નીકળી છે. મળતી માહિતી મુજબ અહીંના થોરબુંગ વિસ્તારોમાં ભારે ગોળીબાર થઈ રહ્યો છે. હાલ આ ફાયરિંગમાં કેટલી જાનહાનિ થઇ છે તે જાણી શકાયું નથી. થોરબંગ વિસ્તાર સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર છે.

મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન કુકી અને મૈતેય સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી ત્યાં સ્થિતિ તંગ બની છે. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની લગભગ 53ટકા વસ્તી મૈતેય સમાજની છે અને મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે 40 ટકા આદિવાસીઓ છે, જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે અને મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.

મણિપુર હિંસાને લઈને રોડથી લઈને સંસદ સુધી હોબાળો થઈ રહ્યો છે. 20 જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્ર સતત સ્થગિત થઈ રહ્યું છે. વાસ્તવમાં વિરોધ પક્ષો મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. તે આ મામલે PM નરેન્દ્ર મોદીને જવાબ આપવાની માંગ પર અડી ગયા છે. આ મામલે PMને જવાબ આપવા માટે તેમણે 26 જુલાઈએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પણ આપી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે.

જો કે આની પર ચર્ચા કરવા માટે આગામી સપ્તાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરતી વખતે સભાપતિ જગદીપ ધનખડની ખુરશી સામે પહોંચી ગયેલા AAP સાંસદ સંજય સિંહને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' એ ગુરુવારે એક મોટી બેઠક બોલાવી હતી. બેઠકમાં વિરોધ પક્ષોના સાંસદોકાળા કપડા પહેરીને આવ્યા. વિપક્ષી સાંસદોએ મણિપુર પર ચર્ચા કરવાની મંજૂરી ન આપવા અને અને અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા શરૂ ન કરવા બદલ કેન્દ્ર સરકારના વિરોધમાં કાળા કપડા પહેરીને વિરોધ કર્યો હતો.

મણિપુરમાં 19 જુલાઈના રોજ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ હંગામો થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના 4 મેના રોજ બની હતી. આ ઘટનાની ફરિયાદ 18 મેના રોજ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે 21 જૂને કેસ નોંધ્યો હતો. આ ઘટના બાદ મોદી સરકાર અને બિરેન સિંહની સરકાર શંકાના દાયરામાં આવી ગઈ હતી. દબાણ હેઠળ, પોલીસે બે દિવસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. વિપક્ષ પીએમ મોદી, અમિત શાહ અને એન.બિરેન સિંહને મણિપુરમાં હિંસા રોકવામાં સક્ષમ ન હોવાનો આરોપ લગાવી રહ્યો છે.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.