ગુજરાત આવીને અખિલેશ યાદવે સમજાવી EDની પરીભાષા

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવ શનિવારે અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે CBI અને એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના બહાને ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે તપાસ એજન્સીઓની છાપેમારી પર કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકાર આ સમયે પૂર્વવર્તી કોંગ્રેસ સરકારની નીતિ પર કામ કરી રહી છે. જો આજે કોંગ્રેસ જમીન પર પહોંચી ગઈ છે, તો કાલે ભાજપ પણ જમીન પર પહોંચી હશે.

તેમણે કહ્યું કે ભાજપ સત્યનો માર્ગ ભૂલી ગઈ છે અને અહિંસાનો રસ્તો બુલ્ડોઝરે લઈ લીધો છે. આ દરમિયાન અખિલેશ યાદવે EDની પરિભાષા સમજાવી હતી. અખિલેશ યાદવે કહ્યું કે, ED છે એક્ઝામિન ઇન ડેમોક્રેસી, તમારે એ પરીક્ષામાંથી પસાર થવું પડશે. ભાજપ કોંગ્રેસના રસ્તે ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી કોઈ નવું કામ કરી રહી નથી. ઉલ્લેખનીય છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને સંબંધીઓને ત્યાં EDની છાપેમારી ચાલી રહી છે. તેમાં સમાજવાદી પાર્ટીના નેતા જિતેન્દ્ર સિંહનું નામ પણ સામેલ છે, જે લાલુ પ્રસાદ યાદવના વેવાઈ પણ છે.

EDની કાર્યવાહીથી અખિલેશ યાદવ પણ નારાજ છે. તેમણે કહ્યું કે, CBI, ED અને ઇનકમ ટેક્સ પાસે છાપેમારી કરાવવાનું ભાજપનું કોઈ નવું કામ નથી. એક દિવસે ભાજપની પણ એ જ હાલત થશે, જે આજે કોંગ્રેસની છે. તેમનું નામ લેનારું કોઈ નહીં હોય. અખિલેશ યાદવે ગુજરાત સાથે ઉત્તર પ્રદેશનો જૂનો સંબંધ બતાવ્યો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગાંધીજીએ જન્મ લીધો, પરંતુ લોકો તેમને યમુનાના કિનારે યાદ કરે છે, ત્યાં જઈને સંકલ્પ લે છે. ભગવાન કૃષ્ણએ યમુનાના કિનારે જન્મ લીધો, પરંતુ છેલ્લા શ્વાસ ગુજરાતમાં લીધા હતા.

આ સંબંધ ઉત્તર પ્રદેશના લોકો અને યમુનાનો છે. સત્ય અને અહિંસાનો નારો ગાંધીજીએ આપ્યો હતો અને એ જ રસ્તે દુનિયા ચાલી, પરંતુ જ્યારથી દેશ અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવી છે, સત્ય અને અહિંસાનો માર્ગ ભૂલી ચૂકી છે. હવે અહિંસાનો રસ્તો બુલ્ડોઝરે લીધો છે.

તેમણે કહ્યું કે, ભાજપ પણ એ જ રસ્તો અપનાવી રહી છે, જેના પર કોંગ્રેસ ચાલતી હતી. CBI, ED, ઇનકમ ટેક્સ બધી કોંગ્રેસના ઇશારે ચાલતી હતી. હવે આ એજન્સીઓ ભાજપ સરકારના ઇશારા પર ચાલી રહી છે. કોંગ્રેસે ઘણા બધા નેતાઓ પર છાપેમારી કરાવી હતી, હવે ભાજપ કરાવી રહી છે. ભાજપ કયું નવું કામ કરાવી રહી છે. ગુજરાતના વેપારી જાણે છે કે, ઇનકમ ટેક્સ, ED, CBI સરકારના ઇશારે ચાલે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.