અફવાઓ વચ્ચે શિવસેનાના નેતા DyCM અજિત પવારને મળ્યા, ગઠબંધન અંગે કહ્યું કે...

પુણેમાં આગામી નાગરિક ચૂંટણીઓને લઈને ચાલી રહેલી તીવ્ર ચર્ચા વચ્ચે, શિવસેનાના નેતા રવિન્દ્ર ધંગેકરે પુણે નાગરિક ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના DyCM અજિત પવારને મળ્યા. આ મુલાકાત પછી, તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાવાના દાવાઓને નકારી કાઢ્યા. આ મુલાકાત એવા સમયે થઇ છે કે તેના કારણે એવી અટકળો ચાલી રહી છે કે, તેઓ શિવસેના છોડી શકે છે. તેમણે આ બાબતે શું કહ્યું તે આપણે જાણી લઈએ.

Ravindra-Dhangekar-DyCM-Ajit-Pawar2
maharashtratimes.com

જ્યારે તેમના પુત્રને ટિકિટ ન આપવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કોઈપણ પક્ષ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો હતો અને શિવસેનાના ચૂંટણી પ્રતીક, 'ધનુષ્ય અને તીર'નો ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત, NCP સાથે જોડાણ અંગેના સવાલ પર તેમણે કહ્યું કે, DyCM એકનાથ શિંદે નિર્ણય લેશે. તેમણે એમ પણ કહ્યું કે, પક્ષના કાર્યકરો DyCM અજિત પવારને મળવા માંગે છે, અને કોઈપણ જોડાણ થવા અંગે કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવી નથી. DyCM એકનાથ શિંદે જોડાણ અંગે ચર્ચા કરશે અને તેઓ જ તે અંગે નિર્ણય લેશે.

Ravindra-Dhangekar2
navbharatlive.com

આ દરમિયાન, પિંપરી-ચિંચવડ પછી, કાકા-ભત્રીજા DyCM અજિત પવાર અને શરદ પવાર પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે એક થયા છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે સોમવારે જાહેરાત કરી. રોહિત પવારે જણાવ્યું હતું કે, બંને પક્ષો તેમના પોતાના પ્રતીકો પર ચૂંટણી લડશે. રસપ્રદ વાત એ છે કે, તેમણે ઉમેર્યું હતું કે NCP-SCPના વડા શરદ પવાર ગઠબંધન નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ નહોતા, અને સાંસદ સુપ્રિયા સુલેએ પુણેમાં પાર્ટી કાર્યકરો સાથે બેઠક યોજી હતી.

Ravindra-Dhangekar-DyCM-Ajit-Pawar
marathi.abplive.com

રોહિત પવારે જણાવ્યું હતું કે, પાર્ટીના તમામ કાર્યકરો સાથે વાત કર્યા પછી, સુપ્રિયા સુલેએ પોતે પણ પુણેમાં કાર્યકરો સાથે વાત કરી હતી, ત્યારપછી પિંપરી-ચિંચવડના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. આ કાર્યકર્તાઓ અને તેમની ચૂંટણી માટે લડાઈ છે, તેથી તેમના મંતવ્યો સાંભળ્યા પછી અને તેમની ચિંતાઓ સમજ્યા પછી, NCPના બંને જૂથો પુણે અને પિંપરી-ચિંચવડમાં સાથે મળીને ચૂંટણી લડશે તે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, બંને પક્ષો તેમના પોતાના પ્રતીકો પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, 'આ નિર્ણય ફક્ત પુણે અને પિંપરી ચિંચવડ માટે લેવામાં આવ્યો છે, અને તે પણ સ્થાનિક કાર્યકરોને સાંભળીને અને તેમની સંમતિથી. પવાર સાહેબ આ સમગ્ર નિર્ણય પ્રક્રિયામાં સામેલ રહ્યા નથી.'

આવા વરિષ્ઠ નેતાઓએ ક્યારેય મ્યુનિસિપલ ચૂંટણીઓમાં સીધા ભાગ લીધો નથી, તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે, જેઓ અમારા માટે લડી રહ્યા છે તેમને સાંભળવા અને સમજવા જોઈએ, અને કાર્યકરો જે નિર્ણય લે છે તેના આધારે નિર્ણયો લેવા જોઈએ. તેથી, પુણે અને પિંપરી ચિંચવડમાં આ ગઠબંધન રચાયું છે.

About The Author

Related Posts

Top News

POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

POCOએ બજેટ સેગમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન, POCO X8 રજૂ કર્યો છે, જે મોટી બેટરી અને બ્રાઇટ ડિસ્પ્લે...
Tech and Auto 
POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

ગાઝિયાબાદના મુરાદનગરમાં દહેજની માંગણીને લઈને પરિણીત મહિલાને હેરાન કરવા અને શંકાસ્પદ સંજોગોમાં તેનું મૃત્યુ થવાના મામલે પોલીસે પતિ ગૌરવની ધરપકડ...
National 
કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

કેનેડાના સરે શહેરમાં ભારતીય મૂળની મહિલા અને તેના ભાડૂઆત વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાની શરૂઆત...
World 
કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓને અપાતા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેની...
Sports 
ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.