અફવાઓ વચ્ચે શિવસેનાના નેતા DyCM અજિત પવારને મળ્યા, ગઠબંધન અંગે કહ્યું કે...

પુણેમાં આગામી નાગરિક ચૂંટણીઓને લઈને ચાલી રહેલી તીવ્ર ચર્ચા વચ્ચે, શિવસેનાના નેતા રવિન્દ્ર ધંગેકરે પુણે નાગરિક ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના DyCM અજિત પવારને મળ્યા. આ મુલાકાત પછી, તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાવાના દાવાઓને નકારી કાઢ્યા. આ મુલાકાત એવા સમયે થઇ છે કે તેના કારણે એવી અટકળો ચાલી રહી છે કે, તેઓ શિવસેના છોડી શકે છે. તેમણે આ બાબતે શું કહ્યું તે આપણે જાણી લઈએ.

Ravindra-Dhangekar-DyCM-Ajit-Pawar2
maharashtratimes.com

જ્યારે તેમના પુત્રને ટિકિટ ન આપવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કોઈપણ પક્ષ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો હતો અને શિવસેનાના ચૂંટણી પ્રતીક, 'ધનુષ્ય અને તીર'નો ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત, NCP સાથે જોડાણ અંગેના સવાલ પર તેમણે કહ્યું કે, DyCM એકનાથ શિંદે નિર્ણય લેશે. તેમણે એમ પણ કહ્યું કે, પક્ષના કાર્યકરો DyCM અજિત પવારને મળવા માંગે છે, અને કોઈપણ જોડાણ થવા અંગે કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવી નથી. DyCM એકનાથ શિંદે જોડાણ અંગે ચર્ચા કરશે અને તેઓ જ તે અંગે નિર્ણય લેશે.

Ravindra-Dhangekar2
navbharatlive.com

આ દરમિયાન, પિંપરી-ચિંચવડ પછી, કાકા-ભત્રીજા DyCM અજિત પવાર અને શરદ પવાર પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે એક થયા છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે સોમવારે જાહેરાત કરી. રોહિત પવારે જણાવ્યું હતું કે, બંને પક્ષો તેમના પોતાના પ્રતીકો પર ચૂંટણી લડશે. રસપ્રદ વાત એ છે કે, તેમણે ઉમેર્યું હતું કે NCP-SCPના વડા શરદ પવાર ગઠબંધન નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ નહોતા, અને સાંસદ સુપ્રિયા સુલેએ પુણેમાં પાર્ટી કાર્યકરો સાથે બેઠક યોજી હતી.

Ravindra-Dhangekar-DyCM-Ajit-Pawar
marathi.abplive.com

રોહિત પવારે જણાવ્યું હતું કે, પાર્ટીના તમામ કાર્યકરો સાથે વાત કર્યા પછી, સુપ્રિયા સુલેએ પોતે પણ પુણેમાં કાર્યકરો સાથે વાત કરી હતી, ત્યારપછી પિંપરી-ચિંચવડના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. આ કાર્યકર્તાઓ અને તેમની ચૂંટણી માટે લડાઈ છે, તેથી તેમના મંતવ્યો સાંભળ્યા પછી અને તેમની ચિંતાઓ સમજ્યા પછી, NCPના બંને જૂથો પુણે અને પિંપરી-ચિંચવડમાં સાથે મળીને ચૂંટણી લડશે તે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, બંને પક્ષો તેમના પોતાના પ્રતીકો પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, 'આ નિર્ણય ફક્ત પુણે અને પિંપરી ચિંચવડ માટે લેવામાં આવ્યો છે, અને તે પણ સ્થાનિક કાર્યકરોને સાંભળીને અને તેમની સંમતિથી. પવાર સાહેબ આ સમગ્ર નિર્ણય પ્રક્રિયામાં સામેલ રહ્યા નથી.'

આવા વરિષ્ઠ નેતાઓએ ક્યારેય મ્યુનિસિપલ ચૂંટણીઓમાં સીધા ભાગ લીધો નથી, તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે, જેઓ અમારા માટે લડી રહ્યા છે તેમને સાંભળવા અને સમજવા જોઈએ, અને કાર્યકરો જે નિર્ણય લે છે તેના આધારે નિર્ણયો લેવા જોઈએ. તેથી, પુણે અને પિંપરી ચિંચવડમાં આ ગઠબંધન રચાયું છે.

About The Author

Related Posts

Top News

રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભારતીય સીનિયર પુરુષ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ (ચીફ સિલેક્ટર) તરીકે અજીત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અગરકર છેલ્લા ત્રણ...
National 
રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

મહારાષ્ટ્રના વિખે પરિવાર સાથે સંકળાયેલા નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદમાં ચૂંટાયા છે. ભારતીય મૂળના નીલા પાટીલને સ્વીડનની 'ગ્રીન પાર્ટી...
World 
ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ પોલીસ બેરિકેડ્સ તોડતા જોવા મળે છે....
National 
જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું

બિગ બોસ 20ના 'વીકેન્ડ કા વાર' એપિસોડ દરમિયાન, સલમાન ખાને સ્પર્ધકોને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, ...
Entertainment 
કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું
Copyright (c) Khabarchhe All Rights Reserved.