અફવાઓ વચ્ચે શિવસેનાના નેતા DyCM અજિત પવારને મળ્યા, ગઠબંધન અંગે કહ્યું કે...

પુણેમાં આગામી નાગરિક ચૂંટણીઓને લઈને ચાલી રહેલી તીવ્ર ચર્ચા વચ્ચે, શિવસેનાના નેતા રવિન્દ્ર ધંગેકરે પુણે નાગરિક ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના DyCM અજિત પવારને મળ્યા. આ મુલાકાત પછી, તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાવાના દાવાઓને નકારી કાઢ્યા. આ મુલાકાત એવા સમયે થઇ છે કે તેના કારણે એવી અટકળો ચાલી રહી છે કે, તેઓ શિવસેના છોડી શકે છે. તેમણે આ બાબતે શું કહ્યું તે આપણે જાણી લઈએ.

Ravindra-Dhangekar-DyCM-Ajit-Pawar2
maharashtratimes.com

જ્યારે તેમના પુત્રને ટિકિટ ન આપવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કોઈપણ પક્ષ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો હતો અને શિવસેનાના ચૂંટણી પ્રતીક, 'ધનુષ્ય અને તીર'નો ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત, NCP સાથે જોડાણ અંગેના સવાલ પર તેમણે કહ્યું કે, DyCM એકનાથ શિંદે નિર્ણય લેશે. તેમણે એમ પણ કહ્યું કે, પક્ષના કાર્યકરો DyCM અજિત પવારને મળવા માંગે છે, અને કોઈપણ જોડાણ થવા અંગે કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવી નથી. DyCM એકનાથ શિંદે જોડાણ અંગે ચર્ચા કરશે અને તેઓ જ તે અંગે નિર્ણય લેશે.

Ravindra-Dhangekar2
navbharatlive.com

આ દરમિયાન, પિંપરી-ચિંચવડ પછી, કાકા-ભત્રીજા DyCM અજિત પવાર અને શરદ પવાર પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે એક થયા છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે સોમવારે જાહેરાત કરી. રોહિત પવારે જણાવ્યું હતું કે, બંને પક્ષો તેમના પોતાના પ્રતીકો પર ચૂંટણી લડશે. રસપ્રદ વાત એ છે કે, તેમણે ઉમેર્યું હતું કે NCP-SCPના વડા શરદ પવાર ગઠબંધન નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ નહોતા, અને સાંસદ સુપ્રિયા સુલેએ પુણેમાં પાર્ટી કાર્યકરો સાથે બેઠક યોજી હતી.

Ravindra-Dhangekar-DyCM-Ajit-Pawar
marathi.abplive.com

રોહિત પવારે જણાવ્યું હતું કે, પાર્ટીના તમામ કાર્યકરો સાથે વાત કર્યા પછી, સુપ્રિયા સુલેએ પોતે પણ પુણેમાં કાર્યકરો સાથે વાત કરી હતી, ત્યારપછી પિંપરી-ચિંચવડના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. આ કાર્યકર્તાઓ અને તેમની ચૂંટણી માટે લડાઈ છે, તેથી તેમના મંતવ્યો સાંભળ્યા પછી અને તેમની ચિંતાઓ સમજ્યા પછી, NCPના બંને જૂથો પુણે અને પિંપરી-ચિંચવડમાં સાથે મળીને ચૂંટણી લડશે તે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, બંને પક્ષો તેમના પોતાના પ્રતીકો પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, 'આ નિર્ણય ફક્ત પુણે અને પિંપરી ચિંચવડ માટે લેવામાં આવ્યો છે, અને તે પણ સ્થાનિક કાર્યકરોને સાંભળીને અને તેમની સંમતિથી. પવાર સાહેબ આ સમગ્ર નિર્ણય પ્રક્રિયામાં સામેલ રહ્યા નથી.'

આવા વરિષ્ઠ નેતાઓએ ક્યારેય મ્યુનિસિપલ ચૂંટણીઓમાં સીધા ભાગ લીધો નથી, તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે, જેઓ અમારા માટે લડી રહ્યા છે તેમને સાંભળવા અને સમજવા જોઈએ, અને કાર્યકરો જે નિર્ણય લે છે તેના આધારે નિર્ણયો લેવા જોઈએ. તેથી, પુણે અને પિંપરી ચિંચવડમાં આ ગઠબંધન રચાયું છે.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.