'મેં તો જાતે જ રાજીનામું આપી દીધું હતું' જાણો પદ પરથી દૂર કરવાના બિલ પર શું બોલ્યા અમિત શાહ?

જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા કોઈ મંત્રી પર 5 વર્ષ કરતા વધુની સજાની જોગવાઈવાળા કેસમાં આરોપ લાગે તો તેમણે પદ પરથી હટવું પડશે. એવી જોગવાઈવાળા બિલને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, RJDના નેતાઓએ તેનો વિરોધ કરતા કહ્યું કે, આ લોકતંત્રની વિરુદ્ધ છે. આ સિવાય અસદુદ્દીન ઓવૈસીએ પણ વિરોધ કર્યો છે. આ દરમિયાન અમિત શાહે પોતે જ પોતાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે રાજનીતિમાં શુદ્ધતા જાળવવી જરૂરી છે અને આપણે આપણી જવાબદારીથી નહીં ભાગી શકીએ.

amit-shah
livehindustan.com

એટલું જ નહીં, તેમણે પોતાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ‘જ્યારે હું ગુજરાતમાં મંત્રી હતો ત્યારે મારા પર આરોપો લાગ્યા હતા. મેં પદ પરથી રાજીનામું આપ્યું અને કોર્ટના આદેશોનું પાલન કર્યું. ત્યારબાદ જ્યારે હું આરોપોમાંથી મુક્ત થયો અને બંધારણ હેઠળ પદ સંભાળવાનો અધિકાર મળ્યો ત્યારે જ મેં ફરીથી જવાબદારી સંભાળી. એટલું જ નહીં, અમિત શાહે કહ્યું કે આ બિલ દેશમાં ભ્રષ્ટાચાર રોકવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે અને રાજનીતિમાં શુદ્ધતાને પ્રોત્સાહન આપશે. જ્યારે ઘણા વિપક્ષી સાંસદોએ કહ્યું કે, આ બિલ ઉતાવળમાં લાવવામાં આવ્યું છે, ત્યારે અમિત શાહ ચર્ચાની વચ્ચે ઉભા થયા અને કહ્યું કે જો આવું છે તો હું તમને કહી દઉં કે આ બિલ સંયુક્ત સમિતિ સમક્ષ મોકલવામાં આવશે.

amit-shah2
thehindu.com

આ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આવા બિલનો ઉપયોગ વિપક્ષી સરકારો સામે હથિયાર તરીકે થઈ શકે છે. આવા બિલ દેશમાં લોકતંત્રને હંમેશાં માટે ખતમ કરી દેશે અને તે સુપર ઇમરજન્સી તરફનું એક મોટું પગલું છે. આ સમય દરમિયાન, કેટલાક વિપક્ષી સાંસદોએ લોકસભામાં બિલની નકલ ફાડી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી કે કયા સાંસદોએ આવું કર્યું છે. આ દરમિયાન લોકસભાની કાર્યવાહી બપોરે 3:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.