'મેં તો જાતે જ રાજીનામું આપી દીધું હતું' જાણો પદ પરથી દૂર કરવાના બિલ પર શું બોલ્યા અમિત શાહ?

જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા કોઈ મંત્રી પર 5 વર્ષ કરતા વધુની સજાની જોગવાઈવાળા કેસમાં આરોપ લાગે તો તેમણે પદ પરથી હટવું પડશે. એવી જોગવાઈવાળા બિલને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, RJDના નેતાઓએ તેનો વિરોધ કરતા કહ્યું કે, આ લોકતંત્રની વિરુદ્ધ છે. આ સિવાય અસદુદ્દીન ઓવૈસીએ પણ વિરોધ કર્યો છે. આ દરમિયાન અમિત શાહે પોતે જ પોતાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે રાજનીતિમાં શુદ્ધતા જાળવવી જરૂરી છે અને આપણે આપણી જવાબદારીથી નહીં ભાગી શકીએ.

amit-shah
livehindustan.com

એટલું જ નહીં, તેમણે પોતાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ‘જ્યારે હું ગુજરાતમાં મંત્રી હતો ત્યારે મારા પર આરોપો લાગ્યા હતા. મેં પદ પરથી રાજીનામું આપ્યું અને કોર્ટના આદેશોનું પાલન કર્યું. ત્યારબાદ જ્યારે હું આરોપોમાંથી મુક્ત થયો અને બંધારણ હેઠળ પદ સંભાળવાનો અધિકાર મળ્યો ત્યારે જ મેં ફરીથી જવાબદારી સંભાળી. એટલું જ નહીં, અમિત શાહે કહ્યું કે આ બિલ દેશમાં ભ્રષ્ટાચાર રોકવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે અને રાજનીતિમાં શુદ્ધતાને પ્રોત્સાહન આપશે. જ્યારે ઘણા વિપક્ષી સાંસદોએ કહ્યું કે, આ બિલ ઉતાવળમાં લાવવામાં આવ્યું છે, ત્યારે અમિત શાહ ચર્ચાની વચ્ચે ઉભા થયા અને કહ્યું કે જો આવું છે તો હું તમને કહી દઉં કે આ બિલ સંયુક્ત સમિતિ સમક્ષ મોકલવામાં આવશે.

amit-shah2
thehindu.com

આ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આવા બિલનો ઉપયોગ વિપક્ષી સરકારો સામે હથિયાર તરીકે થઈ શકે છે. આવા બિલ દેશમાં લોકતંત્રને હંમેશાં માટે ખતમ કરી દેશે અને તે સુપર ઇમરજન્સી તરફનું એક મોટું પગલું છે. આ સમય દરમિયાન, કેટલાક વિપક્ષી સાંસદોએ લોકસભામાં બિલની નકલ ફાડી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી કે કયા સાંસદોએ આવું કર્યું છે. આ દરમિયાન લોકસભાની કાર્યવાહી બપોરે 3:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.